________________
શાનાવરણકર્મ
૧૪૧
૧૪૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આવી જવાબદારી લે નહીં ને ! પેલો અવળું બોલે પણે પોતે સવળું બોલે. સામો તો અણસમજણથી ગમે તે પૂછે, પણ પોતાથી અવળું ના બોલાય. જવાબદાર છે પોતે.
ધર્મસ્થાને ઊલ્ટાં વધ્યાં આવરણો ! ધર્મનું વ્યાખ્યાન સાંભળવા જાય, તે વખતે જ્ઞાનાવરણના કર્મ બંધાય. જો આવી વાત કોઈ માને ખરું? બધા સામા થાય ને ? મારો આ દાદાને !! દાદો જ નકામો છે. અલ્યા, દાદાની વાત સમજોને ! મારે કંઈ આવાં શબ્દો નથી નીકળે એવાં. વાત તો સમજો ! વ્યાખ્યાનમાં બાપજી બોલ્યા કરે, પેલો સાંભળ્યા કરે. આ કાને સાંભળે ને આ કાને કાઢી નાખે. જરાય પાંસરો થયો નથી. પચ્ચીસ વરસ સુધી ધર્મસ્થાને ગયો પણ હતો તેના કરતાં વધારે બગડ્યો, લબાડ થયો. કોઈ પાંસરા થયેલા એવાં બહુ જૂજ માણસો હશે ! હજારે બે-પાંચ માણસો મહીં નીકળે.
‘તમે સમજતા નથી’ એવું ય ના બોલાય. આપણે તો એમ કહેવાય કે, ‘ભઈ, વિચારો તો ખરા ! તમે જરા વિચાર તો કરો.” બાકી કોઈને સમજતા જ નથી’ કહીએ, તો પછી આ બધા ડફોળ જ છે ? આવું બોલે છે કે નથી બોલતાં લોકો ?
પ્રશ્નકર્તા : પણ ત્યાં કેવી રીતે જ્ઞાનાવરણીય કર્મ બંધાય ?
પ્રશ્નકર્તા : બોલે છે, આ બુદ્ધિવાળા એમ જ બોલે છે કે “આને સમજ નથી.'
દાદાશ્રી : હા, એવું બોલે સામાને ‘તમે ના સમજો' એવું કહેવું એ મોટામાં મોટું જ્ઞાનાવરણકર્મ છે. ‘તમે ના સમજો’ એવું ના કહેવાય પણ ‘તમને સમજણ પાડીશ’ એવું કહેવું. ‘તમે ના સમજો' કહે તો સામાના કાળજે ઘા વાગે !
દાદાશ્રી : જ્યાં જ્ઞાન આપતાં હોય ને ત્યાં છે તે પ્રમાદ સેવો તો જ્ઞાનાવરણ ને દર્શનાવરણ બેઉ બંધાય. એ કંઈ ભાજી-મૂળાની દુકાન ન હોય આ ! ભાજી-મૂળાની દુકાને પ્રમાદ સેવો તો ચાલે.
પ્રશ્નકર્તા: આ જ્ઞાની મળે તો ય જ્ઞાનાવરણકર્મ ના તૂટે એવું બને
દાદાશ્રી : તૂટી જાય. એ પોતે વાંકો હોય તો ના તૂટે.
પ્રશ્નકર્તા : એનું સજ્જડ જ્ઞાનાવરણકર્મ હોય એ, તો ભેગો થાય તો ય પત્તો ના ખાય ને ?
પ્રશ્નકર્તા: આ ધર્મનું વ્યાખ્યાન સાંભળવા જાય તો એમાં બંધ પડે?
દાદાશ્રી : હા, બધું ઊંધું જ થયું, તેથી જ આ ઊંધું થયું બધું અને પાછો ત્યાંથી નીચે ઊતરીને પછી “શેઠ, ખંખેરી શું કામ નાખ્યું ? લઈ જવું'તુને ઘેર !' મૂઆ, આ જ્ઞાનાવરણીય ને દર્શનાવરણીય વધ્યા. કયા અવતારમાં ભોગવશો ? જરાક તો સમજો ભગવાનની વાત તો સમજો. એકાદ અક્ષર સમજોને !
એ જ મોટું જ્ઞાતાવરણ ! સામો મોટી ઉંમરનો હોય તો ય કહેશે ‘તમે સમજતા નથી, તમારામાં અક્કલ નથી.’ આમની અક્કલ માપવા નીકળ્યા ! એવું બોલાતું હશે ? પછી ઝઘડાં જ થાય ને ! પણ એવું ના બોલવું જોઈએ, સામાને દુઃખ થાય એવું કે ‘તમારામાં અક્કલ નથી.’ સામાન્ય માણસ તો અણસમજણના માર્યો આવું બોલીને જવાબદારી સ્વીકારે. પણ સમજવાળા હોય, એ તો પોતે
દાદાશ્રી : એ એનું વાંકું હોય તો બધું વાંકું થાય. ધણી વાંકો ના હોય તો કશું ના થાય.
ફેર, અજ્ઞાત તે જ્ઞાતાવરણમાં ! પ્રશ્નકર્તા : જ્ઞાનનું આવરણ કેવી રીતે ખસે? દાદાશ્રી : તમે “હું ચંદુભાઈ છું, આમનો ધણી છું, હું ડૉક્ટર છું.’