SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાવરણકમ ૧૩૯ ૧૪ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા: જ્ઞાનાવરણ જે હોય છે, એ એકઝેક્ટ કેવી રીતનું હોય છે એ દાખલો આપીને સમજાવો. જ્ઞાન પ્રગટવા ન દે તે જ્ઞાનાવરણકર્મ ! આંખે પાટા બાંધીને કોઈ માણસને મોકલીએ, તો એ માણસને કેવું કેવું દેખાય ? શું દેખાય ? પ્રશ્નકર્તા : કંઈ દેખાય નહીં. દાદાશ્રી : હવે કેટલીક ચીજો, બે-ચાર દૂધિયાં પડ્યાં છે, હવે તમે તો શું જાણો કે બધા દૂધિયાં છે, પણ એમાં કઈ કડવી ને કઈ મીઠી શી રીતે જાણો તમે ? દાદાશ્રી : એ આત્માને (વ્યવહાર આત્માને) આવાં પાટા બંધાય છે. જેવાં જેવાં કર્મ તમે કર્યા તેવાં પાટા બંધાય છે. તે લીલા પાટા દેખાય પ્રશ્નકર્તા : ચાખીએ તો જ ખબર પડે. દાદાશ્રી : ચાખીએ ત્યારે.... એ તો બુદ્ધિ થઈ પછી. એમ ને એમ જાણો ત્યારે. એ જ્ઞાનાવરણ નડે છે, જ્ઞાનનું આવરણ છે. એવું આપણે, આવરણ ખસે છેને ચાખીએ તો ? પ્રશ્નકર્તા : હા. એ જ્ઞાનાવરણીય કર્મ એટલે જેનાથી આપણને આગળ છે તે જ્ઞાનમાં આવતું નથી વસ્તુ. આપણે આ જ્ઞાન જે છે આપણી પાસે તે તેને (વસ્તુને) આવરણ રૂપે છે, પ્રકાશ થવા દેતું નથી. છે છતાં પ્રગટ થવા દેતું નથી એટલે પડદો છે જ્ઞાન ઉપર, હવે પડદો ખસે એટલે આપણી પાસે માલ તો છે. બહારથી લાવવા જવાનું નથી. તે જ્ઞાનાવરણકર્મ એક છે. દાદાશ્રી : એનું નામ જ્ઞાનાવરણ ખસ્યું. જાણકારી ખબર નથી પડતી, એનું નામ જ્ઞાનાવરણ. કડવું હોય તો સોડે સુધે. સોડીને જ્ઞાન થાય એ ઈન્દ્રિય જ્ઞાન થયું કહેવાય ને પેલું ડિરેક્ટ જ્ઞાન. જ્ઞાન ડિરેક્ટ હોવું જોઈએ. પ્રશ્નકર્તા: જે અમને હોય છે તે જ્ઞાનાવરણ ? દાદાશ્રી : તમને એકલાને નહીં, આખા જગતને એ જ છે ને !! જ્ઞાનાવરણ એટલે આંખે પાટા બાંધેલા છે ને એ જુએ છે કે આ મકાન પીળું કેમ દેખાય છે ? અલ્યા, મકાન સફેદ છે. તારા પાટા જ તને દેખાડે છે, એમાં અમે શું કરીએ ? એટલે જ્ઞાનનું આવરણ છે તારું. જ્ઞાતાવરણ તડે આમ જ્ઞાનાવરણના પાટાથી તો અનુભવમાં જ ના આવે સાચી વસ્તુ કે સાચું સુખ શું છે ! ‘હું કોણ છું ?” એનું ભાન જ ના થાય, એ બધું જ્ઞાનાવરણ, એ જ અજ્ઞાન. આ બધું અજ્ઞાનમાં રહે છે આખું જગત. એટલે પછી જ્ઞાન મલે એને આગળ ત્યારે જ્ઞાનાવરણથી મુક્ત થાય. અવળી સમજણે ચાલ્યું આ તો. પ્રશ્નકર્તા : કોઈ જગ્યાએ એક પ્રવચનમાં સાંભળેલું કે જમતી વખતે આપણે બોલીએ તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય એવું ખરું ? દાદાશ્રી : આખો દહાડો જ્ઞાનાવરણ જ બંધાય છે ને ! કંઈ બોલવાથી એકલાથી જ નહીં, આખો દહાડો કર્મ જ બંધાય છે. જ્ઞાનાવરણ એકલું જ નહીં, આ તો બધા ભયંકર મોહનીયકર્મ બંધાય છે આ. પ્રશ્નકર્તા : આત્માની બાબતમાં જ્ઞાનાવરણકર્મ શું છે ? દાદાશ્રી : હું શુદ્ધાત્મા છું, હવે ‘શુદ્ધાત્મા’ એ જ વિજ્ઞાન છે અને એની ઉપર આવરણ આવ્યું છે. એટલે આપણને અજવાળું આવતું નથી, એટલે જ્ઞાન આપણને ખબર પડતું નથી. એ આવરણ ખસે તો જ્ઞાન ઉત્પન્ન થાય.
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy