SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ [૨.૧] દ્રવ્યર્મ ત્રિકર્મથી બંધાયા જીવો ! પ્રશ્નકર્તા : એક વસ્તુ પર અમારે સત્સંગ થતો'તો કે દ્રવ્યકર્મ એટલે શું ? ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મની આપણે જે વાત કરીએ છીએ. તે જરા સમજાવો ને અમને ! દ્રવ્યકર્મ કોને કહેવાય ? ભાવકર્મ કોને કહેવાય ? નોકર્મ કોને કહેવાય ? દાદાશ્રી : હા, સમજાવીએ, હમણે સમજાવીએ. દ્રવ્યકર્મ, ભાવકર્મ ને નોકર્મ. ચોથા પ્રકારનું કર્મ હોતું નથી. આ ત્રણ જ કર્મને લઈને આખા જગતના જીવો બંધાયેલા છે. આમાં આ ત્રણ જ ગાંઠે છે, તેથી કરીને આ જીવો એ જીવાત્મા તરીકે રહ્યા છે. આ ત્રણ ગાંઠો તૂટી જાય તો પરમાત્મા થાય. હવે ત્રણ જણને ઓળખવાનાં. જેમ આપણે ત્રણ માણસની ઓળખાણ પાડીએ પછી ભૂલાય નહીં તેવું આ કર્મ ત્રણ પ્રકારના. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ. બીજા કોઈ કર્મ હોતાં નથી. બધા કર્મો આ ત્રણમાં સમાવેશ થઈ જાય છે. એને ઓળખી લેવાના. કેટલાંક લોકોની શું સમજ છે ? આ જે ભાવકર્મ કરીએ છીએ, એનાં ફળ આ બધા દ્રવ્યકર્મ આવશે. ખાવાનો ભાવ કર્યો એ ભાવકર્મ
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy