________________
૬૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
રિયલ-રિલેટિવની ભેદરેખા !
પ્રશ્નકર્તા : પણ એવું બોલીએ તો વધારે ખ્યાલમાં ના આવે ?
દાદાશ્રી : થોડીવાર બોલવાનું હોય. મેં “જ્ઞાન” આપ્યા પછી તમે શુદ્ધાત્મા થઈ ગયા. હવે શું ગા ગા કરવાનું છે ?!
ત હોય, સ્ટણ શુદ્ધાત્માનાં.... પ્રશ્નકર્તા: ‘જ્ઞાન’ લીધાં પછી, ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એનું રટણ અને ‘રામ, રામ” એવું નામ સ્મરણ, એ બેમાં શું ફેર છે ?
દાદાશ્રી : ઓહોહોહો, રટણની તો બહુ જરૂર જ નથી હોતી. રટણ તો રાત્રે થોડીક વાર માટે કરીએ, પણ કંઈ આખો દહાડો ય, ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એવું ગા ગા કરવાની જરૂર હોતી નથી.
પ્રશ્નકર્તા : એવું કરે નહીં. પણ ‘હું શુદ્ધાત્મા છું’ એ એની મેળે આવી જાય છે.
દાદાશ્રી : ના, પણ રટણ કરવાની જરૂર નથી. રટણ કરવું અને આવી જવું, એ બેમાં ફેર છે. એની મેળે આવે અને રટણ કરવામાં ફેર ખરો કે નહીં ? શો ફેર ?
પ્રશ્નકર્તા : પેલું સહજ આવે.
દાદાશ્રી : હા, સહજ આવે. એટલે એ સહજ જે આવે છે તમને, એ તો બહુ કિંમતી છે. રટણ કરવું એ ચાર આના કિંમતી હોય તો આની કિંમત તો અબજો રૂપિયા છે. એટલી બધી ફેરવાળી વાત, આ બે ભેગી તમે મૂકી. અત્યારે તમારા ધ્યાનમાં “હું ચંદુભાઈ છું' એવું રહે છે કે, ખરેખર હું શુદ્ધાત્મા છું' એ રહે છે ?
પ્રશ્નકર્તા: ‘હું શુદ્ધાત્મા છું'.
દાદાશ્રી : તો એ શુક્લધ્યાન કહેવાય. તમારા ધ્યાનમાં શુદ્ધાત્મા છે, એને શુકલધ્યાન કહ્યું છે અને શુક્લધ્યાન એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. એટલે તમારી પાસે જે સિલ્લક છે, એ અત્યારે હિન્દુસ્તાનમાં, આ વર્લ્ડમાં કોઈ
જગ્યાએ નથી, એવી છે ! માટે આ સિલ્લકને સાચવીને વાપરજો. અને એને આની જોડે સરખામણી ના કરશો. તમે કોની જોડે સરખામણી કરી ?
પ્રશ્નકર્તા : “રામ” નામ.
દાદાશ્રી : એ તો જાપ કહેવાય. ને જાપ તો એક પ્રકારની શાંતિને માટે જરૂરી. જ્યારે આ તો સહજ વસ્તુ છે.
જ્ઞાતમાં ન કરાય જાપ કે તપ ! પ્રશ્નકર્તા : દાદા, ક્રમિકમાર્ગની અંદર મનની સ્થિરતા માટે એમ કહ્યું કે જપયજ્ઞ કરો. હવે આપણે શુદ્ધાત્મા છીએ, શુદ્ધાત્મા છીએ, એમ રટણ કરીએ એટલે આપણને પણ મનની સ્થિરતા મળેને એ રીતે ?
દાદાશ્રી : ના, આપણે જરૂર જ નથીને, મનની સ્થિરતાની. પ્રશ્નકર્તા : પણ, એ પણ એક જાતનો જપયજ્ઞ જ થયોને ?
દાદાશ્રી : ના, આપણે તો જપયજ્ઞ હોય નહીંને ! જપયજ્ઞ એટલે શું ? નાના છોકરાની રમત. બાળમંદિરની એટલે મનની શાંતિ ના રહેતી હોય, તો રામ રામ રામ’, ‘સોહમ્ સોહમ્ સોહમ્ કશુંક બોલે એક શબ્દ, ત્યારે પછી કહેશે, હું ‘સોહમ્ જ બોલ બોલ કરું છું. ત્યારે મેં કહ્યું, ના, ‘ખીંટી' બોલ બોલ કરજે. તોયે એ ફળ મળશે. ‘સોહમ્ બોલીશ તોયે એ ફળ મળશે.
એ જપયજ્ઞ એટલે શું? કોઈ શબ્દ બોલ બોલ કર્યા કરવો એટલે મનમાં જે ફણગા ફૂટે તે સાંભળવામાં આવે નહીં. પેલા વિલય થઈ જાય. એને એકાગ્ર કહેવાય. એકાગ્ર રહે એટલે શાંતિ રહે. તે પછી “રામ”ને બદલે ‘ખીંટી, ખીંટી’ બોલે તોય ચાલે. આ શબ્દની એકાગ્રતા થઈ. આપણે તો
એવું હોય જ નહીંને ! આપણે મન મારવાનું નથી. આપણે તો મનને વિશ્લેષણ કરવાનું છે તે જોવાનું છે એ શું માલ ભરી લાવ્યું છે તે. એ જોય છે ને આપણે જ્ઞાતા છીએ. ને શેય છે તો જ્ઞાતાની કિંમત છે. આપણે જપ-તપ કશું કરવાનું રહ્યું નહીં. છેવટે તો જ્ઞાતા-શેયમાં જ રહેવાનું. એમાં જાપ જપાય નહીં.