________________
આશાની મહત્વતા
૧૫
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
નગરમાં મોહ અડે નહીં, હવે ફોર્ટ એરિયામાં જાય તો કોઈ ચીજ લેવાની ઇચ્છા જ ના થાય, આકર્ષણ જ ના થાય. પહેલાં તો આમ ડાફાં મારે, આમ ડાફા મારે. હવે એ આકર્ષણ ઊડી જાય !
સંસાર ચાલે પણ અડે નહીં, નડે નહીં ને કામ થાય એવું છે. ફક્ત અમારી આજ્ઞા આરાધન કરવાની છે.
આજ્ઞા આપતારતું જોખમ !
અમારી આજ્ઞામાં રહે એટલે તમને અડે નહીં કશુંય. કારણ કે જોખમદારી કોની ? ત્યારે કહે, આજ્ઞા આપનારની. ત્યારે કહે, આજ્ઞા આપનારને જોખમદારી ચોંટતી હશે ? ત્યારે કહે, ના. એમને પરહેતુ માટે છે. એટલે એમને પોતાને ચોંટે નહીં ને કામ થઈ જાય અને ડીઝોલ્વ થઈ જાય બધું.
નહીં તો એક વાર તો લાખો અવતારેય આ સમ્યક્ દર્શન ના થાય. તે આ સહજાસહજ સમ્યક્ દર્શન મફતમાં મળી ગયું છે ! આનંદમાં રહો છો, જપ-તપ કશું કર્યા નથી, ત્યાગ કર્યા નથી, સ્ત્રી સાથે રહીને ! એટલે આ લહાવો છે, તે પૂરો કરી લ્યો હવે. આ લહાવો અક્રમનો છે.
T
5
.
સ્વચ્છંદ નીકળી ગયાની દશા છે, પોતાનું ડહાપણ જ ના રહ્યું પછી. તેથી મને જે બધાં ભેગાં થયા છે અને જે આજ્ઞામાં જ રહે છે, એનાં સ્વચ્છેદ તૂટી ગયા છે. સ્વછંદ નામનો રોગ નીકળી ગયો આખોય.
અહીં આ જ્ઞાન લીધેલાઓ અમારી આજ્ઞામાં ચોવીસેય કલાક રહે છે. માટે તેમને સંસાર બંધન નથી. નહીં તો સંસાર બંધન સ્વરૂપે જ હોય. આજ્ઞા પાળે એટલે એક ક્ષણવાર એમનો સ્વરછંદ નથી. માટે કહીએ છીએ કે મોક્ષ હથેળીમાં આવી ગયો. આ સો ટકા સ્વચ્છેદ ગયો. એ તો મોક્ષ જ છે. તમારી પાસે જ તમારો મોક્ષ છે. તમારો મોક્ષ મારી પાસે નથી અને મોક્ષ અહીં જ થઈ જવો જોઈએ. તમે મારી આજ્ઞા પાળો ત્યાંથી જ મોક્ષ. બાકી, જ્ઞાનીની આજ્ઞા અત્યાર સુધી પાળી નથી. જો પાળી હોત તો મોક્ષ થયા વગર રહેત નહીં. આજ્ઞામાં રહે તેનો સ્વછંદ રોકાય.
જાગૃતિ વર્તે સહેજે ! પ્રશ્નકર્તા : જ્ઞાનની જાગૃતિ સતત રાખવા માટે બીજા કોઈ અભ્યાસની જરૂર ખરી ?
દાદાશ્રી : જ્ઞાનની જાગૃતિ સતત જ રહે છે. બીજા કોઈ અભ્યાસની જરૂર જ નથી, ફક્ત તમારે નિશ્ચયમાં એમ રહેવું જોઈએ કે આ સતત રહેવી જ જોઈએ. કેમ સતત નથી લાગતી ? તો બીજા બધાં કારણો શું અંતરાય કરે છે, તે જોવા જોઈએ. એટલે જ્ઞાનની જાગૃતિ સતત રહે છે, પણ આપણે નિશ્ચય બળ જોઈએ. એ જાગૃતિ નથી રહેતી એવું બોલ્યો કે ના રહે. ‘રહેવી જ જોઈએ. કેમ ના રહે તો રહેશે. ને વિપ્નો આવવાનાં છેય નહીં. તમે સત્સંગમાં રહેજોને !
આજ્ઞા વળી છે ફ્રેશ ! આ આપણી પાસે જે જ્ઞાન લીધું છે ને, એ બધાંને તો બહુ સારું છે કે પાંચ આજ્ઞાઓ જે આમ ફ્રેશ છે, જેમ ફ્રેશ જમવાનું હોયને ! વર્ષોની આજ્ઞાઓ તે નહીં જાણે કેટલાંય વખતની, એ તો કેટલી બધી જુની થઈ ગયેલી હોય. આ તો ફ્રેશ, તાજી અને સુંદર, ખાવામાં મઝા આવે એવી ! એ આજ્ઞાઓ પાળે છે, એનાં જેવો મોક્ષ નથી બીજો કોઈ.
સ્વછંદ રોકાય જ્ઞાતી શરણે ! પ્રશ્નકર્તા: પણ હવે તો અમને જ્ઞાની પુરુષ મળ્યાને ?
દાદાશ્રી : તો હવે થઈ ગયું તમારું ચોખ્ખું. પણ તે અમારી આજ્ઞા પાળશો તો જોખમદારી અમારી. જ્ઞાની પુરુષ મળ્યા પછી આજ્ઞા પ્રમાણે ચાલેને, તો પછી સ્વચ્છંદ રહ્યો જ નહીંને !
આ અમે તમને આજ્ઞા આપી તે આજ્ઞામાં રહો એટલે તમારો સ્વછંદ ગયેલો જ કહેવાય. પોતાના ડહાપણથી ચાલવું છે એ જતું રહ્યું. ઓછું-વધતું રહેવાય, એ વાત જુદી છે. પણ તમારી દ્રષ્ટિ શું હોય ? તમારો પોતાનો એમાં મત નહીં, આજ્ઞામાં રહેવાનું જ નક્કી હોય. તમારી વૃત્તિ કેવી હોય ? આજ્ઞાધીન હોય એટલે સ્વચ્છંદ નહીં અને અમારી આ