________________
નિશ્ચય - વ્યવહાર
જ કરવું. એટલે ભગવાન મહાવીર વ્યવહારમાં ઠેઠ સુધી, એકત્રીસ વર્ષ સુધી રહ્યા હતા. પદ્ધતિસર સાસરી હઉ કહેતા હતા અને છોડી(દીકરી) થયેલી, એ તે કંઈ વ્યવહાર કર્યા વગર છોડી થાય ? વ્યવહાર નથી નડતો તમારો, તમે વ્યવહારથી ભાગો છો, એ નડે છે. અને તમારી પલાયનવૃત્તિ હોય છે, ક્યાંથી ભાગી છૂટવું દુઃખના માર્યા ! અમે જો ઘરમાં રહ્યા, અમને છે કંઈ પલાયનવૃત્તિ, ભાગેડુ થવાની વૃત્તિઓ થાય છે કે લાવ, ભાગી છૂટીએ હવે અહીંથી !
૪૧૫
આ ભઈ કહે છે, આ હું વકીલાત છોડી દઉં. એટલે જે વ્યવહાર
છોડી દેવા માટે તૈયારી કરી એટલે આપણે જાણીએ કે આમનો નિશ્ચય બરોબર નથી. વ્યવહાર છોડી દે એટલે કાલ નિશ્ચયે છોડી દે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી વ્યવહાર છે અને ત્યાં સુધી વ્યવહારનું બેઝમેન્ટ હોવું ઘટે. દેહ ના હોય ને છોડી દે ત્યારે વાત જુદી છે. શું છોડી દેશો પણ ? વધારાના નખ કાપી નાખશે પણ પેલા નખ કાપી નંખાય ? તમારા વાળ હજુ જે મહીંથી નીકળ્યા નથી, તેને કપાય ? જેટલા નીકળ્યા છે, એને તોડી નાખો. પણ મહીં જે હજુ અંદર છે, તેને કાપી નંખાય ? શું છોડી દેશો તે ? છોડી દેશે એટલે ફરી આવશે વારંવાર. એટલે વાત સમજો.
પ્રશ્નકર્તા : દાદા, એટલે આમ તો આ પ્રપંચ છૂટે તો સારું એવા ભાવ હોવા ઘટે, પણ હું કાલે છોડી દઉં એ નહીં. આ ભેદ સમજવાનો છે.
દાદાશ્રી : જેને સંડાસ જવાની શક્તિ નથી તે બૂમાબૂમ કરે, હું આમ કરું ને તેમ કરું ! એટલે સમજવું જોઈએ. જ્યાં શક્તિ નથી ત્યાં શક્તિનો આરોપ શા માટે કરે છે તે ! જ્યાં અનંત શક્તિ છે ત્યાં આગળ, ત્યાં બોલને, ‘હું અનંત શક્તિવાળો છું.’ નથી શક્તિ ત્યાં આરોપ કરીને શું ફાયદો થાય ?
વ્યવહાર તિકાલી બાબત !
પ્રશ્નકર્તા : આપે તો જ્ઞાન આપ્યા પછીથી અમને એવું બતાવ્યું કે હવે આ તમારો વ્યવહાર બધો નિકાલી છે.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : હા, નિકાલી છે. તેથી આ અક્રમ વિજ્ઞાનના પ્રતાપે મોક્ષે જવાયને ?! નહીં તો મોક્ષે કેવી રીતે જાય ? જ્યાં વ્યવહાર નિકાલી હોય
નહીં, ત્યાં મોક્ષે કેવી રીતે જાય તે ? અને રાગ-દ્વેષ રહિત કરે એવું આ વિજ્ઞાન છે ! રાગ-દ્વેષ રહિત રહી શકે. થાળી ઉઠાવી લે તોય અંદર એને માટે દ્વેષ ન થાય, તો રાગ તો હોય જ નહીંને ! દ્વેષ તો, હું જ્ઞાન આપું છું ત્યારથી જતો રહે છે !!
૪૧૬
આ તમારે તો અંદર જે આંતરિક સંયમ છે, એ જ વ્યવહાર છે અને તે શુદ્ધ વ્યવહાર છે. હવે બહારનો વ્યવહાર એ નિકાલી વ્યવહાર છે. ખાલી સમભાવે નિકાલ જ કરવા જેવો છે, બીજું કશું કરવા જેવું નથી.
વ્યવહાર નિકાલી બાબત છે, નિશ્ચય ગ્રહણીય બાબત છે. ગ્રહણ કરવા જેવો નિશ્ચય છે, પેલો નિકાલ કરી નાખવાનો. ચીકણું હોય, મોળું હોય, જાડું કે પાતળું હોય, પણ પકડીને રાખવા જેવું નથી.
સેટિંગ એ વ્યવહાર, સ્લેબ એ નિશ્ચય !
સ્લેબ નિશ્ચય છે આપણો અને સેંટિંગ એ વ્યવહાર છે. હવે એ સર્ટિંગ તો કરવું પડે. પણ સેંસ્ટ્રિંગ કાઢી નાખવાનું એવું જાણવાનું. પેલો સ્લેબ રહેવા દેવાનો છે પછી. એટલે આવી રીતે આ સેંન્ટિંગ નિકાલી છે એવું સમજમાં આવે. છોડી દેવાનું છે એવું ના કહેવાય. નિકાલ કરી નાખવાનો છે. પછી ભાંગી કરીને ટુકડા કરીને ગમે તેમ નિકાલ કરી નાખવાનો. પૈસા આવ્યા એટલે સાચા, ના આવ્યા તો કંઈ નહીં. આપણે સ્લેબ જ કરવો'તોને !
એટલી સમજ બેસવી જોઈએને ! વ્યવહાર-નિશ્ચયના ભેદની વાત સમજવી પડેને ! અત્યારે તો વ્યવહારનો પક્ષપાત જ ચાલી રહ્યો છેને ? વ્યવહાર કરે તો જ નિશ્ચય થાય, કહે છે. એટલે સેંટિંગ કરીને ઉપર ફર્યા કરે છે નિરાંતે. આ ચાલશે હવે, કહે છે. સ્લેબનું જાણતા જ નથી.
પ્રશ્નકર્તા : બરાબર, દાદા. દાદા પાસે આવીએ અને એ જે પછી દ્રષ્ટાંત મળેને, એ દ્રષ્ટાંતથી વાતને વધુ પકડાય છે !