________________
નિર્ભયતા, જ્ઞાનદશામાં !
૩૭૭
૩૭૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) બે-ત્રણ મચ્છરાં હોય તો કેમ આખી રાત મચ્છરાંમાં જાય ?
દાદાશ્રી : આ દુ:ખ ખસેડવું છે, એટલે લાવ ખસેડવા જઉં અને આ ખસેડવું જ નથી એટલે મૂકે બાજુએ અહીંથી.
પ્રશ્નકર્તા : પહેલાં પેલું દુ:ખ ખસેડવા જાય, પછી પોતે જ ખસી જાય.
અત્યારે કોઈ નવી જાતનો અવાજ થાયને ત્યાં અમારું શરીર હલ કંપી જાય, આમ આમ. હવે કો'ક કહેશે કે ભઈ, દાદા ખરેખર કંપ્યા છે. ત્યારે કહે, ના, દાદા મહીં પેટમાં પાણી હાલે એવા નથી ! પણ આ ભડકાટ. એ સંગી ચેતના કહેવાય છે. સંગી ચેતના કેવી ? સંગથી પોતે ચેતન ભાવને પામેલી છે.
ચાર જીત્યા તેણે જીત્યું જગત ! જે ચાર બહારવટિયાથી ડગતો ના હોય, પણ પંદર-વીસનું ટોળું બૂમ પાડવા આવે ને જો ધ્રૂજી જાય તો પછી થઈ રહ્યુંને, ખલાસ થઈ ગયુંને ! જે ચારથી ના ડગ્યો તો ચાલીસથી ના ડગ્યો ને ચાલીસથી ના ડગ્યો, એ ચાર હજારથી ના ડગ્યો ને ચાર હજારથી ડગ્યો નહીં એટલે ચાર લાખથી ના ડગ્યો, ને ચાર કરોડથી ના ડગ્યો અને છેવટે આનો અંત આવશે ! ચાર અબજથી માણસ વધારે નથી. જે કોઈથી ડગ્યો નહીં એટલે ડગે જ નહીં ! જે ડગી ગયો નથી, એને મૂઆ ચારનો શો હિસાબ તે ? આવાં ચાર લાખ હોય તોયે શો હિસાબ ને ચાર અબજ હોય તોયે શો હિસાબ ? દાદા એ જ કહેવા માગે છેને કે ભઈ, આટલો આ અજ્ઞાનનો ભય ગયો કે સર્વ ભય ગયા. ભય અજ્ઞાનનો છે. ભય બીજા કોઈ છે જ નહીં. લોકોનો ભય શું રાખવાનો ? આ તો બિચારાં ભમરડાં છે, એ એમની મેળે ફર્યા કરે છે. કોઈકને વાગીય બેસે, કો'ક ફેરો. પણ એમની પોતાની સત્તા નથી કોઈની. ‘હું ચંદુભાઈ છું ત્યાં સુધી ભયવાળા છો. ‘હું શુદ્ધાત્મા છું’ તો નિર્ભય છો. આપણે શુદ્ધાત્મા, પછી રહ્યો આ પડોશી. તે પાડોશીને કોઈ વઢવા આવે તો ન્યાયથી છે.
દુઃખ ન ખસે ત્યારે ખસે પોતે ! આ તો બહુ ફૂલ જેવો સુંવાળો છે, હું કે ! પણ એ મારી પાસે શીખી ગયો કે બહુ ભય આવે કે તરત નિર્ભય થઈ જાય. અને થોડોક ભય હોયને, બે મચ્છર કરડતાં હોય, તો આખી રાત એમાં મચ્છરમાં કાઢે. અને હવે બધા સો મચ્છરાં હોયને, તો સૂઈ જાય.
પ્રશ્નકર્તા : દાદા, એ સમજાવોને, એ કેમ પુદ્ગલમાં પેસી જાય ?
દાદાશ્રી : ખરું કહ્યું. દુઃખ ના ખસે તો પોતે ખસી જાય ! અને આપણો આ આત્મા પ્રાપ્ત થયેલાનો નિયમ શો હોય છે કે જ્યારે એ બહુ મુશ્કેલીમાં મૂકાય છે, ત્યારે પોતાની ગુફામાં જ પેસી જાય છે, આત્મા. બહાર સહન ન થઈ શકે એવું દર્દ હોય, એ દુ:ખ સહન ના થાય એવું હોય, ત્યારે ગુફામાં પેસી જાય. અને આપણા લોકોને જ્યારે મુશ્કેલી નથી હોતીને ત્યારે બહાર ફરવા નીકળે. ત્યારે તે આ ચારો ચરે છે એ. એ મુશ્કેલીમાં તો અંદર પેસી જાય. એ મુશ્કેલી નથી, તેનો આ દુરુપયોગ થાય છે.
પ્રશ્નકર્તા તો મુશ્કેલી ન હોય ત્યારે જ ધ્યાન બહુ રાખવું પડે ને ?
દાદાશ્રી : હા. ત્યારે વધારે ધ્યાન રાખવું જોઈએ પણ તે બળ્યું નથી રહેતું, તે પણ આમ ને આમ ઉકેલ આવશે. કારણ કે માર્ગ સરળ છેને ? વૈજ્ઞાનિક માર્ગ છે આ !
અત્યારે કોઈ એકદમ કહે કે તમારા પાંચ લાખ રૂપિયા ધીરેલા, તે ગયા. એટલે પછી શૉક લાગે એવું થાય કે આત્મામાં પેસી જાય. સહન ના થાયને ? આ આત્માનો આ મુખ્ય ગુણ બહુ સારો છે.
પ્રશ્નકર્તા : આત્માની અંદર ગુફામાં પેસી જાય એવું હોય તો એનાથી ઉત્તમ શું ? નહીં તો જ્ઞાન ન લીધું હોય તો કંઈનું કંઈ થઈ જાય. દાદાશ્રી : હા !
બોમ્બ પડે ત્યારે જ્ઞાત પૂર્ણ ! અજાયબ જ્ઞાન આપેલું છે. રાતે જ્યારે જાગો ત્યારે હાજર થઈ જાય