________________
સત્સંગનું માહાત્મય !
૩૬૭
રીતે બાકીનું આયુષ્ય જળવાઈ રહે અને આ શુદ્ધાત્માનો ઉપયોગ રહે !
દાદાશ્રી : ના, એ તો પાછલું આયુષ્ય તો છે તે જ અહીં આગળ, જ્યાં બધા સત્સંગીઓ રહેતા હોય, મહાત્માઓ રહેતા હોયને, એમની જોડે જ રહેવું જોઈએ. એટલે કુસંગથી છેટા, એનું નામ સત્સંગ.
પ્રશ્નકર્તા : પણ એમાં ટકી રહેવાય ?
દાદાશ્રી : ટકી રહેવાયને ! કશું નુકસાન થાય નહીં ને ખોટ ના આવે, નફો થયા કરે.
પ્રશ્નકર્તા : દાદા, બે રીતે એમાં ભયસ્થાનો છે કે પાછળ જે ફાઈલ મૂકીને આવ્યા હોય એ બધી ખેંચ્યા કરતી હોય, ફાઈલો જો વ્યવસ્થિત ન થઈ હોય, જો પોતાની આર્થિક વ્યવસ્થા પણ કંઈક ન થઈ હોય તો દાદા ત્યાંથી પાછો ખેંચીને લઈ જાય.
દાદાશ્રી : એ તો આવે. આવે-જાયને તો એને પાછું નિવેડો લાવતો જાય. પોતે છૂટવા માટે જે પ્રયત્ન કરે છેને, એના બધા પ્રયત્ન છૂટવા માટે સફળ થાય છે.
પ્રશ્નકર્તા : એને સંજોગો મળી આવે !
દાદાશ્રી : બંધાવું છે તેને, જેને બધી શંકા છે તેને આ બધું બાઝી પડે. બાકી તો આમ મહીં કશું વસ્તુ બાંધતી નથી. ગમે એટલું એ કરે તોય !
પ્રશ્નકર્તા : અક્રમમાં તો બંધાય જ નહીંને કર્મ.
દાદાશ્રી : અક્રમની જે પાંચ આજ્ઞા પાળતો હોય, એને બંધાય જ નહીંને !
પ્રશ્નકર્તા : પૂરેપૂરી આજ્ઞા ન પળાતી હોય ને ભાવમાં હોય તો ?
દાદાશ્રી : સિત્તેર ટકા પળાતી હોય તોય ચાલે.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : પણ એક રીતે તો દાદાજી આપે જ્યારે જુદું પાડ્યું કે તું આત્મા છું ને આ અનાત્મા છે, ત્યારથી જ ચાર્જ બંધ થઈ ગયું ને ભાવકર્મ ઉડાડી દીધું.
૩૬૮
દાદાશ્રી : ના, પણ તોય આ બહાર છે તે આ કુસંગ ખરોને ! નર્યો કુસંગ છે. એટલે પાંચ આજ્ઞામાં રહે તો એ વાડ છે. વાડ તૂટી તો એ જ્ઞાનને ખલાસ કરી નાખે, ધૂળધાણી કરી નાખે.
આ કાળ કેવો છે કે બધે કુસંગ છે. રસોડાથી માંડીને ઓફિસમાં, ઘરમાં, રસ્તામાં, બહાર, ગાડીમાં, ટ્રેનમાં, એવી રીતે બધે જ કુસંગ જ છે. કુસંગ છે એટલે આ જ્ઞાન મેં તમને બે કલાકમાં આપેલું એ આ કુસંગ ખઈ જાય. કુસંગ ના ખઈ જાય ? તો એને માટે પાંચ આજ્ઞાઓની પ્રોટેક્શન વાડ આપી કે આ પ્રોટેક્શન કર્યા કરશો તો મહીં દશામાં મીનમેખ ફેરફાર નહીં થાય. એ જ્ઞાન એને આપેલી સ્થિતિમાં જ રહેશે. એટલે આ આજ્ઞા એ તમને પાળવા માટે આપી. એટલો ભાગ તમારી પાસે રાખ્યો. આમ એકલા રહ્યા કરો તો દર વખતે તો પ્રોટેક્શન રહે નહીંને !
એ ટોળું, આખું ગામ જ સત્સંગનું હોય તો પ્રોટેક્શન રહી શકે.
܀܀܀܀܀