________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
સમભાવે નિકાલ કરવો છે એવું કહીએ, એટલે આ મહીં બધું ફેરફાર થઈ જાય. અમારી વાણીનું વચનબળ છે આ. એ વાક્યમાં વચનબળ મૂકેલું છે. એનાંથી બહુ સરસ કામ થાય. અને છેવટે બે વરસે-પાંચ વરસે પણ સમભાવે નિકાલ એની જોડે થઈ જશે. એની જોડે વ્યવહાર સંબંધ જ નહીં રહે, રાગ-દ્વેષનો સંબંધ જ નહીં રહે, ‘ફાઈલ’ નહીં રહે.
૨૦૩
હવે સમભાવે નિકાલ કર્યો એ એક શબ્દ શું કહે છે ? એટલું પુણ્ય બંધાય, તે આવતા ભવમાં ઉકેલ આવી જાય. આ ફાઈલોનો સમભાવે નિકાલનો અર્થ જ એવો છે એ આત્માને આત્મા બનાવનારો છે. કોઈ કાળે
હોતું જ નથીને ! આજે કોઈ માને નહીં આ વાત ?! એ ચાખે ત્યારે માને. અહો અહો ! આ અક્રમ વિજ્ઞાત !
એટલે આ કહું છું આ અક્રમ વિજ્ઞાન બહુ સાયન્ટિફિક છે, વિજ્ઞાન છે. એ તો જ્યારે બહાર પડશે ત્યારે ખબર પડશે કે આ શું છે ! આખું જગત એક દહાડો સો-બસો વર્ષે, પાંચસો વર્ષે પણ આફરીન થશે આની પર. અને વિજ્ઞાન એટલે અવિરોધાભાસ, સિદ્ધાંત. સિદ્ધાંત એનું નામ કહેવાય કે અસિદ્ધાંતપણાને ક્યારેય પણ ન પામે. બાકી સિદ્ધાંત છે કઈ જગ્યાએ ? કોઈ જગ્યાએ સિદ્ધાંત જોવામાં જ આવ્યો નથીને ! પચ્ચીસ પાના વાંચો ત્યારે વિરોધાભાસ થઈને ઊભું રહ્યું હોય. આ તો વિરોધાભાસ વાણી જ કોઈ દહાડો નથી નીકળી. ફ્રેશ હોય, નવું હોય, એને હેલ્સિંગ કરતું હોય.
એનું એ જ, પણ ફ્રેશ હોય. ફાઈલ શબ્દ તો બહુ સારો અંગ્રેજીમાં મૂક્યો છે પણ ! કારણ કે લોકો પછી પાછળ તપાસ કરવાના કે આ કયા યુગમાં થયું હશે ? એટલે અંગ્રેજોના યુગમાં આ થયું હશે એવી શોધખોળ કરશે. પછી કોઈ બાપોય રચનાર નથી, ચરોતરમાં થયેલું છે આ. એટલે આ ભાષા ઇટસેલ્ફ બધું કહી આપશે. ખોળનારને જડી આવશે.
દસ લાખ વર્ષે પ્રગટ્યું આ વિજ્ઞાત !
પ્રશ્નકર્તા : દાદાનું જે આ વિજ્ઞાન છે, તેની અંદર અમને મૌલિક વસ્તુ એવી લાગી કે દાદા અહમ્નું વિરેચન કરી નાખે. અહમનું નિરસન કરી નાખે છે અને બીજી કોઈ ઠેકાણે અહમનું નિરસન ના જોયું.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : હોઈ શકે નહીં, બની શકે નહીં. બનેલુંય નહીં ક્યારેય પણ એથી દસ લાખ વર્ષ કહ્યા. અક્રમ દસ લાખ વર્ષે આવ્યું છે. તે આ અહમ્ ઊડી જવાથી તમારી અને ભગવાન મહાવીરની દશામાં ફેર કેટલો કે મહાવીરની દશામાં એમને નિકાલ કરવાનું હોતું નથી. એમને ફાઈલ જ નથી હોતી અને તમે ફાઈલોમાં ગૂંચવાયેલા છો એટલો જ ફેર છે. બાકી ચિંતા વગર એ હતા ને તમેય ચિંતા વગરનાં છો !
૨૦૪
ફાઈલ વગરતા એ ભગવાત !
બીજું કોઈ છે જ નહીં. ત્યાં આપણી ભૂલોનું ફળ આપણને ભોગવવાનું. માલિકી આપણી, ઉપરી ય કોઈ નહીં. મહીં બેઠા છે તે જ ભગવાન આપણા. આ શુદ્ધાત્મા એ જ ભગવાન. ફાઈલ વગરના શુદ્ધાત્મા ભગવાન કહેવાય ને ફાઈલવાળા શુદ્ધાત્મા, એ શુદ્ધાત્મા કહેવાય.
ચંદુભાઈને ફાઈલો છે ત્યાં સુધી આપણે શુદ્ધાત્મા. ફાઈલો છે ત્યાં સુધી બુદ્ધિ રહેવાની, પણ આપણે આ બધાથી જુદા છીએ. આપણે આમાં એકેય નથી. દાદાએ જે આ જુદા પાડ્યા ત્યારથી ફાઈલ હોય તો મહીં બેસવું, બેસીને ટોળામાં ફરવું, નથી ગમતું છતાં જોડે રહેવું પડે એટલે મહીં જરા ખેંચ્યા કરશે પણ મહીંથી છૂટા પડ્યા પછી છૂટું જ છે. એ ફાઈલોનો સમભાવે નિકાલ કરીએ એટલે બધાથી છૂટતાં જઈએ.
પ્રશ્નકર્તા ઃ તમારી સ્થિતિ પામવી છે દાદા, બધી ફાઈલો હોય તોય અડે નહીં.
દાદાશ્રી : હા, એટલે હવે ફાઈલ રૂપે લાવ્યા છીએ. હવે ફાઈલનો સમભાવે નિકાલ લાવી નાખવાનો. બસ, એટલે પતી ગયું, બધું કામ પતી જાય.
܀܀܀܀܀