________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૮૫
૧૮૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
સ્થિર છે, કાયમનો છે. નિકાલી બાબતો અસ્થિર છે તે ચાલી જવાની છે. એ નિકાલી બાબતમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન હોય છે. નિકાલ કરનારમાં નથી હોતું. આ સમજણપૂર્વક બધું હોવું જોઈએ. પછી અણસમજણથી જેટલી ભૂલ થાય એટલે તમે દાઝો. આ વિજ્ઞાન છે તમને ભૂલ થાય તો તમે દાઝો, એમાં હું શું કરું? બાકી સમજણપૂર્વક હોવું જોઈએ !
સ્થાપતા હવે ઇન્દ્રિમ ગવર્મેન્ટ તણી ! આપણે શુદ્ધાત્મા થયા, ત્યારે કહે, ‘આ ફાઈલ નંબર વન.' જે આપણી ગુનેગારી હતી, તે આપણે એનો નિકાલ કરી નાખવાનો છે, બીજા કોઈની ગુનેગારી ન્હોતી એમાં. આ ગુનેગારી છે ત્યાં સુધી આપણે શુદ્ધાત્મારૂપ થઈ ગયા નથી. કારણ કે આ ફાઈલનો નિકાલ કરવો, ત્યાં સુધી આપણે શુદ્ધાત્મા થઈએ નહીં, ત્યાં સુધી અંતરાત્મા થવાય. અંતરાત્માના બે કામ, ફાઈલોનો નિકાલ કરવાનો ના હોય તો શુદ્ધાત્માનાં ધ્યાનમાં જાય અને ફાઈલનો નિકાલ કરવાનો થાય તો ફાઈલનો નિકાલ કરે. બે કામ કરવાના એટલે ઇન્દ્રિમ ગવર્મેન્ટ કહેવાય અને ફાઈલના નિકાલનું કામ થઈ ગયું એટલે ફૂલ ગવર્મેન્ટ.
અંતરાત્મા તો કેવળ એક જ વસ્તુ પર આવ્યો કે આ ફાઈલોનો નિકાલ કરવાનો ને હું શુદ્ધાત્મા. એ શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી અંતરાત્મા પ્રાપ્ત થાય.
પ્રશ્નકર્તા : પણ જેણે જ્ઞાન લીધું હોય તેને શું ?
દાદાશ્રી : તેને જ અંતરાત્મા પ્રાપ્ત થાય, બીજાને અંતરાત્મા પ્રાપ્ત ના થાય.
પ્રશ્નકર્તા : આ જે તમે કહ્યું ને કે, પુરુષોત્તમ થવું હોય તો ફાઈલોનો જ્યાં સુધી નિકાલ ના થાય ત્યાં સુધી ઇન્દ્રિમ ગવર્મેન્ટ રહેશે, તો બધી ફાઈલોમાંથી નીકળી જવાય, નિકાલ થઈ જાય, એના માટે ઝડપીમાં ઝડપી રસ્તો કયો ?
દાદાશ્રી : ઝડપી કરનારા જ પોતે અટવાઈ પડ્યા છે. તમારે
ફાઈલો બંધ થઈ જાયને, તે બૂમાબૂમ કરી મેલશો હમણાં. સિનેમાની ફિલમની પેઠે જુઓ તો વાંધો ખરો, જોવા માટે ? જ્યાં સુધી પૂર્ણ થયું નથી, જ્યાં સુધી ફુલ ગવર્મેન્ટ થઈ નથી, ત્યાં સુધી સેમી ગવર્મેન્ટ તો રહેશેને ? સેમી ગવર્મેન્ટ ક્યાં સુધી ? ફાઈલનો નિકાલ નહીં થાય ત્યાં સુધી. ફાઈલોનો નિકાલ થઈ રહ્યો એટલે તમે ઇન્દ્રિમ ગવર્મેન્ટમાંથી ફૂલ ગવર્મેન્ટ થઈ જશો. ઇન્દ્રિમ ગવર્મેન્ટ શાથી ? ત્યારે કહે, ફાઈલોનું કામ બાકી છે તેથી, નહીં તો ફૂલ ગવર્મેન્ટ, પ્રતીતિ ફુલ ગવર્મેન્ટની તમને છે જ. લોકોને એ પ્રતીતિ જ આવવી મુશ્કેલ છે. પ્રતીતિ આવી નહીં, જો આવી હોત તો આ કામ બાકી ના રહે.
કરવી વાતો, ફાઈલ નંબર વત જોડે ! પ્રશ્નકર્તા : ફાઈલ નંબર વન છે પોતાની. એને છે તો, હેન્ડલ કરવાની બહુ અઘરી પડે છે ઘણી વખત. એને પછી વઢવી-કરવી પડે.
દાદાશ્રી : સમજાવી-પટાવીને કામ લેવું. જરા ઉપર બેઠા હોય તો ‘નીચે બેસો, ડાહ્યા થાવ’ એમ કહેવું પડે.
પ્રશ્નકર્તા એવું બધું કહીએ તોય ફાઈલ ના માને. ઘણીવાર એવું બને.
દાદાશ્રી : એ તો થઈ જાય દાદાના નામથી, કે દાદાનું તો માનો કહીએ. એ થોડુંઘણું કાચું હશે તો ફરી કરવું પડશે. પછી એનો વાંધો નહીં. પણ તમે કહો છો ખરાને એને ? ફાઈલ નંબર વનને તમે કહો છો ત્યાંથી જ, તમે શુદ્ધાત્મા થઈ ગયા એ અજાયબી જ કહેવાયને ! એ પુરાવો ઓછો છે કંઈ ? તમે એને કહો છો ત્યાંથી પોતે શામાં છો ?
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મામાં.
દાદાશ્રી : ત્યાર પછી એ ઓછું કહેવાય કંઈ ? આપણે તો ફાઈલ નંબર વન કહીએ ને, એટલે શુદ્ધાત્મા પૂર્ણ થઈ ગયો. બાકી હવે ફાઈલ નંબર વન સિવાય બીજું શું રહ્યું ? ત્યારે કહે, ‘શુદ્ધાત્મા એકલો જ !”
એ જો બહુ કૂદાકૂદ કરતો હોય તો કહીએ, ‘ચંદુભાઈ, જરા ધીરા