________________
૧૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
ભોગવવાની આવે ફરી ?
દાદાશ્રી : હૈષવાળી ચીકણી અને રાગવાળી ચીકણી. બેઉ સરખી ચીકણી, કેષવાળી વધારે ચીકણી હોય એવું નહીં. એ તો આપણા રાગદ્વેષને જ બંધ કરવાના. તમારા રાગનો જ નિવેડો કરવાનો થશે. પેલી ફાઈલને લેવા-દેવા નહીં. આ રાગ રહ્યો ને પેલી ફાઈલ તો ગઈ. હવે મહીં રાગ ઊભો રહ્યો, તે ફરી નિકાલ કરી, ફરી સહી કરી આપવી પડશે.
પ્રશ્નકર્તા : એ ગમે તે રીતે નીકળે. આપણે એની સાથે સંમત નથી એવું જુદું રાખવું ?
દાદાશ્રી : ના, બીજા કોઈની સાથે, ગમે તેની સાથે સંબંધ થઈને, આ જ રીતે આમ રાગનો જ સંબંધ થાય પાછો અને પછી એનો નિવેડો આવી જાય. પેલી ફાઈલ જોડે કશી લેવા-દેવા નહીં, એ ફાઈલ તો ગઈ બધી.
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૩૯ દાદાશ્રી : ફાઈલ એટલે વિચાર આવ્યા વગર રહે નહીં, બોલ્યા વગર રહેવાય નહીં. ના બોલવાની કળા ત્યાં ચાલે નહીં.
પ્રશ્નકર્તા: પણ એની રીત તો હશેને, દાદાજી.
દાદાશ્રી : એ તો આપણે નિયમ રાખવાનો કે વખતે આપણે બોલવું નથી. છતાં બોલાઈ જવાય એ ફાઈલની નિશાની. જેટલી ફાઈલ ચીકણી હોય એટલું બોલાય. નહીં તો આપણા ધાર્યા પ્રમાણે ના બોલવું હોય તો ના ય બોલાય. એ ફાઈલ જે ચીકણી છે તેની સાથે ના બોલવું હોય તો બોલાઈ જવાય. પણ આ નથી બોલવું એવું નક્કી રાખવું જોઈએ. એને માટે આપણે નથી બોલવું, નથી વિચારવું કે નથી વર્તવું, એ આપણા મનમાં નક્કી રાખી અને પછી એ ફાઈલનો નિકાલ કરવો. ફાઈલો કહી, આ ફાઈલો ગણાય. ‘ફાઈલ મારે આમ નડે છે” એવું બોલાય નહીં ! ફાઈલ તો એની મેળે નિકાલ થઈ જ જાય. નડે છે શું ? જાગૃતિ કાચી રહી એ નડે. ફાઈલ તો નિકાલ થઈ જાય, જે આવી એ ફાઈલ છ મહિનેબાર મહિને પણ નિકાલ થઈ જાય. એને ધ્યાનમાં લેવાની નહીં બહુ. નિકાલ કરવો છે એવું નક્કી રાખવું. તો જ્યારે ભેગી થાય ત્યારે નિકાલ કરવો છે એ નિશ્ચય હાજર રહે.
પ્રશ્નકર્તા : એટલે જાગૃતિ પૂરી હોય તો ફાઈલ કંઈ નડતી જ નથી. અને આ જે નડે છે એ જાગૃતિની કચાશ છે હજુ.
દાદાશ્રી : આપણે નિકાલ કરવો છે અને એને નથી નિકાલ કરવો, તોય કહીએ ‘આવી જા', અમારે નિકાલ કરવો જ છે. તોય પણ આપણે જીતીશું, એ જીતવાના નથી. કારણ કે એ પૌગલિક કાયદાની બહાર છે. આ તો પૌગલિક કાયદાની અંદર છે. એ કહેશે, મારે મોક્ષે જવા દેવા નથી. આપણે કહીએ, મારે જવું છે. તો આપણે જઈશું અને એ થોડો વખત હરાવડાવી, હંફાવડાવી અને પછી ભાગી જશે. કમઠ તરીકે દશ અવતાર સુધી પાર્શ્વનાથ ભગવાનનો ભઈ થયો. પણ છેવટે એને ભાગવું પડ્યું, ભગવાન ના ભાગ્યા.
ફાઈલ જશે પણ રણ રહેશે ! પ્રશ્નકર્તા : રાગવાળી જે ફાઈલો છે, એ કઈ રીતે આગળ
આ ભવ સમભાવે નિકાલમાં ! પ્રશ્નકર્તા: ભાવ ઘણો હોય, છતાં સમભાવે નિકાલ ન થાય તો શું કરવું ?
દાદાશ્રી : સમભાવે નિકાલ ન થાય, તેની જોખમદારી નહીં. આપણે ભાવ છે, આપણે નક્કી એવું રાખવું જોઈએ કે ન થાય, તોય પણ આપણે આપણું ફેરવવાનું નહીં કે હવે સમભાવે નિકાલ નથી કરવો. બળ્યો, હવે નિકાલ નથી કરવો, એવું નહીં. મારે સમભાવે નિકાલ કરવો જ છે. આપણે ભાવ છોડવો નહીં. ન થાય એ ‘વ્યવસ્થિત’ના તાબાની વાત છે.
પ્રશ્નકર્તા : પણ કોઈ વખત થાયને ભલે આજે ન થાય, કાલે-પરમ દિવસે તો થશે જ !
દાદાશ્રી : એંસી ટકા થઈ જ જાય. એંસી ટકા તો એની મેળે જ નિકાલ થઈ જાય. આ તો કોઈને દશ-પંદર ટકા જરા બાકી રહી જાય. એય બહુ ચીકણી ફાઈલ હોયને તો ના થાય, તો વ્યવસ્થિતના આધીન