________________
૨૬૮
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : આ કેવી રીતે એટલે કે એના સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થવાથી થયું. આ લોકોને સમજાવવા માટે મારે ‘બટ નેચરલ’ કહેવું પડ્યું. બાકી આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધા મળી આવ્યા તે પ્રગટ થઈ ગયું.
પ્રશ્નકર્તા : ક્યા એવિડન્સો મળ્યા ?
દાદાશ્રી : બધા બહુ જાતનાં એવિડન્સો મળ્યાં ને ! આખા જગતનું કલ્યાણ થવાનું હશે, તે ય કાળ પાક્યો હશેને, અને તેથી કંઈ નિમિત્ત તો જોઈએ ને ?
જ્ઞાત થયું એકિસડન્ટ ઇન્સિડન્ટ ?
(૧૧) અમારી અનંત અવતારની શોધખોળ !
પ્રશ્નકર્તા : આપને જે પેલું જ્ઞાન થયું, એ ઓર્ડરમાં એટલે એના ક્રમમાં છે કે “એક્સિડન્ટ છે ?
પ્રગટ્ય અક્રમ વિજ્ઞાન “બટ નેચરલી' !
પ્રશ્નકર્તા ઃ તમને જ્ઞાન થયું સુરતના સ્ટેશને, ત્યારે કેવો અનુભવ થયો હતો ?
દાદાશ્રી : બ્રહ્માંડ દેખાયું આખું ! આ જગત શી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, બધું દેખાયું. ઈશ્વર શું છે, હું કોણ છું, આ કોણ છે, આ બધું શેના આધારે ભેગું થાય છે, એ બધું દેખાયું પછી સમજમાં આવી ગયું અને પરમાનંદ થયો. ફોડ પડી ગયો ને બધો ! શાસ્ત્રોમાં પૂરું લખેલું ના હોય. શાસ્ત્રોમાં તો વર્ણન, જ્યાં સુધી શબ્દ હોય ત્યાં સુધી લખેલું હોય અને શબ્દની આગળ તો, જગત બહુ આગળ છે.
પ્રશ્નકર્તા : આ અક્રમ જ્ઞાન કેટલા અવતારનું સરવૈયું છે ?
દાદાશ્રી : અક્રમ જ્ઞાન જે પ્રગટ થયું છે, તે ઘણા અવતારનું સરવૈયું બધું ભેગુ થઈ એની મેળે કુદરતી જ આ પ્રગટ થઈ ગયું છે.
પ્રશ્નકર્તા : આ તમને બટ નેચરલ થયું પણ એ કેવી રીતે ?
દાદાશ્રી : ‘એક્સિડન્ટલી’ થયું કહે, પણ હું એને ઇન્સિડન્ટલી કહું. અને જગત એને એક્સિડન્ટલી કહે. લોકો કહેશે, ‘કશું બાવાના કપડાં પહેર્યા નહીં તો ય ?” પછી મેં કહ્યું, “ના, બધું ઓચિંતુ થઈ ગયું, હું એને ઇન્સિડન્ટલી કહું .
પ્રશ્નકર્તા : કહેવાનો મતલબ એ કે આ શું કામ અમુક લોકોને જ થાય ને બીજાને નથી થતું ?
દાદાશ્રી : હા. અમુક લોકો પૈસાવાળા થાય છે, અમુક લોકો ગરીબ હોય છે, એની પાછળ કોઝિઝ તો ખરાંને !
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તે એની પાછળના કોઝિઝ છે. બધા કોઝિઝનું સેવન કરે તો ઇફેક્ટ થાય. આ ઇફેક્ટ છે. અમને આ જ્ઞાન પ્રગટ થયું છે, એનું નામ ઇફેક્ટ. કોઝિઝ એની પાછળ રહ્યા. કોઝિઝ પહેલાં થયેલાં હોવાં જોઈએ.
પ્રશ્નકર્તા થઈ ગયા હશે કોઝિઝ પહેલાં, એવું તમે માનો છો ?