________________
આપ્તવાણી-૧૧
૨૬૩ વરસની થઈ હોય તો સમજણવાળી વાત કહેવાય. ભવિષ્યકાળનો અગ્રોચ ને એ બધી કેટલી ઉપાધિઓ થાય ! છોડી ત્રણ વર્ષની હોય તો આજથી ચિંતા કરે, તે ઠેઠ વીસ વર્ષ સુધી. તે અલ્યા, હજી છોડી મરશે કે જીવશે, તું જીવીશ કે મરીશ ! મૂઆ આખું શું કરવા આજથી ભાંજગડ લઈને બેઠો છું તે ! ત્યારે છોડીને પૈણાવા હારું પૈસા જોઈશે ને આમ જોઈશે ને ! અલ્યા મૂઆ, તે ઘડીએ જોઈ લેવાશે, પણ આજ તો હમણે મજા કર !
એવી એક્લ શું કામની ? કો’કને પક્ષાઘાત થયેલો દેખે. એટલે એને ય વિચાર આવે કે “સાલુ મને પક્ષઘાત થાય તો શું થાય કહેશે ?’ હવે અક્કલવાળાને વિચાર કરવાની જરૂર છે ? અક્કલવાળો જ વિચાર કરે ને આ ! આવી અક્કલ શું કામની તે ? જે અક્કલ દુઃખ લાવે, એ અક્કલને અક્કલ કહેવાય કેમ કરીને ? હોય તે દુ:ખને વિદાય કરી આપે એનું નામ અક્કલ કહેવાય. આ તો દુ:ખ ને દુઃખ જ. મને કંઈ પક્ષાઘાત થઈ જાય તો મારું શું થાય? મારું કોણ ? આ છોકરો તો બોલતો નથી, એકનો એક છે તે ! બધું ચીતરી નાખે. અલ્યા, થયું નથી ત્યારે મૂઆ શું કરવા... ?! એ એનું નામ અગ્રલોચ. અગ્રશોચ એટલે શું ? થયું નથી તેને આ ચીતરવું છે. તમારે અત્યારે અગ્રશોચ છે કોઈ જાતનો ? નિરાંતે મજા કરે છે ને ! અગ્રશોચ તો બધા ય ડાહ્યા માણસને હોય જ ને ! કે ગાંડાને હોય ?
પ્રશ્નકર્તા : કહેવાતા ડાહ્યાઓને જ હોય.
દાદાશ્રી : ગાંડાને ના હોય, નહીં ? બારીઓ જ બંધ ! એ દેખાતું હોય તો ભાંજગડ ને !
અરે, સાધુ મહારાજને ય મનમાં એમ થાય, ‘આ મહારાજને પક્ષઘાત થયો તે હારું, આ મારું નામે ય તેમની રાશી ઉપર છે. તો મને ય પક્ષઘાત થઈ જશે, એવી અક્કલ વાપરે. અક્કલ વાપરે તેમ તેમ સરસ મઝા આવે અંદર, નહીં ? અને તે અક્કલ ના વપરાતી હોય તો વાંધો નહિ ! એટલે પછી ઊંઘ ના આવે બિચારાને ! તે પક્ષઘાતને બોલાવ્યો બિચારાને, સૂઈ રહ્યો’તો પક્ષઘાત પેલાને ત્યાં, તે અહીં બોલાવ્યો !
એટલે બીજું આ એક અપ્રશોચ ઉત્પન્ન થઈ જાય છે, ભવિષ્યમાં
૨૬૪
આપ્તવાણી-૧૧ શું થશે એને જ ખોળ ખોળ કરે. સાધુ-સંન્યાસીઓ, આચાર્યો બધા. ભવિષ્યમાં શું થશે ? એનાં માટે જ આખો પુરુષાર્થ ઊડી જાય છે. ત્યાં જ ગૂંચાયા કરે છે. અહીં ખાવા-પીવાનું ખાતો નથી. ત્યાં ભવિષ્યમાં મૂઓ હોય. મેલને અત્યારે ત્યાં શું કરે છે ?
પ્રશ્નકર્તા: “શું થશે ?” એનો જે વિચાર છે એ જ દુ:છે. બાકી દુ:ખ ક્યાં છે ?
દાદાશ્રી : દુ:ખ નથી. તેથી જ તો અમે વ્યવસ્થિત કહ્યું. તે તમે એ દુઃખમાંથી મુક્ત થયા ને ! વ્યવસ્થિતના આધારે તમે તો સર્વ દુઃખોથી, જે આવવાના છે એનાથી મુક્ત જ થઈ ગયાને ! એ તો ભગવાને કહ્યું છે કે ક્રમિકમાર્ગમાં અંગ્રશોચ સિવાય બીજું હોય નહીં. અગ્રશોચ એટલે હવે શું થશે, હવે શું થશે ? ઓગણીસોને એકાણુંમાં શોચ કરવાનું તેનું આજથી કરે. મહારાજે ય કહે, ઘડપણ આવ્યું ને કંઈ પગ ભાંગી જાય તો શું કરું ? અલ્યા, પણ હજુ થયું નથી ને શું કરવા દુ:ખ કરો છો ? એટલે તેનાથી તમે મુક્ત થઈ બેઠા છો, એટલે જ નિરાંત થઈ ગઈ છે ને.
તેથી આપણા મહાત્માઓ લહેરથી બેસે છે બધા જુઓ ને ! એમને સમજણ પાડી કે વ્યવસ્થિત છે, એટલે ડખલે ય નથી. તમે વ્યવસ્થિત સમજ્યા અને અનુભવમાં આવી ગયું કે ખરેખર વ્યવસ્થિત જ છે. એટલે દુ:ખ રહ્યું કશું ય ?
વ્યવસ્થિત શક્તિને લીધે તમને બધાને શાંતિ, એને લીધે તો બધે શાંતિ છે. વ્યવસ્થિત ના હોય તો તો ઊંધે ય ના આવેને ?
પ્રશ્નકર્તા : કાયમ ટેન્શન ને ટેન્શન જ હોય પછી તો.
દાદાશ્રી : હા, ટેન્શન, ટેન્શન ! એ જ હું ખોળતો'તો પહેલાં. કંઈક એવું જ્ઞાન હોવું જોઈએ કે જે લોકોને બધાને શાંતિ રહે. ક્રમિકમાર્ગમાં કોઈ દા'ડો ઊંઘ જ ના આવે. ટેન્શન ને ટેન્શન.
શરીર જશે એવું થયું હોય તો અગ્રશોચ શું શું થાય ? આમાંથી