________________
૧૯૦
આપ્તવાણી-૧૧ વ્યવસ્થિત. પછી એમની ગેડમાં બેસી ગયેલું !
આ વ્યવસ્થિત સમજાયું ને, એ તો સ્થૂળ હજુ સમજેલું છે. હજુ સૂક્ષ્મ વ્યવસ્થિત આખું સમજવાનું છે, પછી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. અમે તમને સૂક્ષ્મ સમજાવ્યું આ, હજુ આગળ તો સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ છે જ, વ્યવસ્થિત પૂરું સમજાય એટલે કેવળજ્ઞાન થાય.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિતને સૂક્ષ્મ સમજવાની વાત હતીને જે, એ કંઈ બરોબર સમજાઈ નહીં, દાખલામાં જરા સમજાવોને.
દાદાશ્રી : વ્યવસ્થિતનો અર્થ પોતે જાતે કરેને એ જ અર્થ તમે સમજતા હતા. અને એ જ ધોરણ ઉપર ચાલતું હતું. ને બુદ્ધિના વગર ચાલે ? બુદ્ધિ પણ જ્યારે ખલાસ થાય ત્યારે એક બાજુ છે તે પેલું વ્યવસ્થિત-સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ પૂરું થાય અને બે પૂરું થાય ત્યારે આ બાજુ કેવળજ્ઞાન આવે. ત્યાં સુધી કેવળ સમજ હોય. અમને કેવળ સમજ હોય. આ બોલીએ કરીએ તે બધું ૩૬૦ ડિગ્રી અંદર, કેવળ સમજણમાં હોય.