________________
આપ્તવાણી-૯
‘વાઈફ’ની વાત કહી દઉં તો કોઈ પોતાની ‘વાઈફ’ પાસે જાય નહીં. હું બધાનું જાણું, પણ કશું ય કહું કરું નહીં. જો કે પુરુષે ય દગાખોરીમાં કંઈ ઓછો નથી. પણ સ્ત્રી તો નર્યું કપટનું જ કારખાનું ! કપટનું સંગ્રહસ્થાન બીજે ક્યાંય ના હોય, એક સ્ત્રીમાં જ હોય.
આવા દગામાં મોહ શા ?
૩૯
આ સંડાસ હોય છે, તેમાં સહુ કોઈ લોકો જાય ને ? કે એક જ
માણસ જાય ?
પ્રશ્નકર્તા : બધાં જ જાય.
દાદાશ્રી : તો બધાં જેમાં જાય એ સંડાસ કહેવાય છે. એટલે જ્યાં
આગળ બહુ લોક જાય ને, એનું નામ સંડાસ ! જ્યાં સુધી એકપત્નીવ્રત અને એક પતિવ્રત હોય ત્યાં સુધી એ ઊંચામાં ઊંચી વસ્તુ કહેવાય. ત્યાં સુધી ચારિત્ર કહેવાય, નહીં તો પછી સંડાસ કહેવાય. તમારે ત્યાં સંડાસમાં કેટલાં માણસ જતાં હશે ?
પ્રશ્નકર્તા : ઘરનાં બધાં જ જાય.
દાદાશ્રી : એક જ જણ ના જાય ને ? એટલે પછી બે જાય કે બધાં જ જાય, પણ એ સંડાસ કહેવાય.
આ તો હોટલ આવી ત્યાં જમે. અરે, ખાય-પીવે હઉં ! માટે શંકા કાઢી નાખજો. શંકાથી તો હાથમાં આવેલો મોક્ષ પણ જતો રહે. એટલે આપણે એમ જ સમજી લેવાનું કે એને હું પૈણેલો છું અને એ મારી ભાડૂતી છે ! બસ, આટલું મનમાં સમજી રાખવાનું. પછી તે બીજાં ગમે
તેની જોડે ફરતી હોય તો ય આપણે શંકા ના કરવી. આપણે કામ સાથે કામ છે ને ? આપણને સંડાસની જરૂર હોય તો સંડાસ જઈ આવવું ! ગયા વગર ચાલે નહીં, એનું નામ સંડાસ. તેથી તો જ્ઞાનીઓ ચોખ્ખું કહે છે ને, કે સંસાર એ દગો છે.
પ્રશ્નકર્તા : દગો નથી લાગતો એ શા કારણે ?
દાદાશ્રી : મોહને લઈને ! અને કોઈ કહેનાર પણ મળ્યો નથી ને !
આપ્તવાણી-૯
પણ લાલ વાવટો ધરે તો ગાડી ઊભી રહે, નહીં તો ગાડી જઈને નીચે પડે. શંકાતી પરાકાષ્ઠાએ સમાધાત !
८०
એટલે શંકાથી જ જગત ઊભું રહ્યું છે. જે ઝાડને સૂકવવાનું છે, તેને જ શંકા કરીને પાણી છાંટે છે ને તેનાથી વધારે ઊભું થાય છે. એટલે કોઈ જાતની શંકા કરવા જેવું આ જગત નથી.
હવે તમને બીજી કોઈ સંસારની શંકા પડે છે ? તમારી ‘વાઈફ’ બીજા કોઈની જોડે બાંકડે બેઠી હોય અને તે છેટેથી તમને જોવામાં આવે, તો તમને શું થાય ?
પ્રશ્નકર્તા : હવે કશું ના થાય. થોડી આમ ‘ઇફેક્ટ’ થાય, પછી કશું ના થાય. પછી તો ‘વ્યવસ્થિત' છે અને એ ઋણાનુબંધ છે, એમ ખ્યાલ આવી જાય.
દાદાશ્રી : કેવા પાકાં છે ! ગુણાકાર કેટલો બધો છે ! અને શંકા તો ના થાય ને ?
પ્રશ્નકર્તા : ના થાય, દાદા.
દાદાશ્રી : અને આ લોક તો ‘વાઈફ’ સહેજ મોડી આવે તો ય શંકા કર્યા કરે. શંકા કરવા જેવી નથી. ઋણાનુબંધની બહાર કશું જ થવાનું નથી. એ ઘેર આવે એટલે એને સમજ પાડવી, પણ શંકા કરવી નહીં. શંકા તો ઊલટું પાણી વધારે છાંટે. હા, ચેતવવું ખરું. પણ શંકા કશી રાખવી નહીં. શંકા રાખનાર મોક્ષ ખોઈ બેસે છે.
એટલે આપણે જો છૂટવું હોય, મોક્ષે જવું હોય તો આપણે શંકા કરવી નહીં. કોઈ બીજો માણસ તમારી ‘વાઈફ'ના ગળે હાથ નાખીને ફરતો હોય ને એ તમારા જોવામાં આવ્યું, તો શું આપણે ઝેર ખાવું ! પ્રશ્નકર્તા : ના, એવું શું કરવા કરું !
દાદાશ્રી : તો પછી શું કરવું ?
પ્રશ્નકર્તા : થોડું નાટક કરવું પડે, પછી સમજાવવું. પછી તો જે કરે