SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૯ ત્યાં શું કરવું ? દાદાશ્રી : પણ મારા જેવાં કહે ને, કે ‘ક્યાં ચાલ્યો ? આપણે જવાનું કયે ગામ ?” ઘણાં એવા છે કે જો એને ચોખ્ખું કહીએ તો એ આડો ચાલે. એટલે મારે ફેરવીને બોલવું પડે છે. હજુ કાચું ને, બધું. પટાવી પટાવીને કામ લેવાનું. બાબાઓને તો સમજાય સમજાય કરીએ. પ્રશ્નકર્તા : બધા બાબા જેવા દેખાય ને પટાવી પટાવીને તમારે મોક્ષે લઈ જવાના. તે વખતે આપને કેટલી બધી કરુણા રહેતી હશે ?! આપ્તવાણી-૯ ૨૧ અને જે પ્રયોગ જોઈતા હોય એ બધા પ્રયોગ સાથે પાછો ફરી જાય, ‘એડજસ્ટમેન્ટ’ પ્રયોગ હોય તેનાથી. આપણું “જ્ઞાન” લીધેલું હોય તો આડાઈને જાણે. નહીં તો જાણે જ નહીં ને ! અને આ તો પોતે પોતાના દોષ દેખે. પ્રશ્નકર્તા : આડાઈને જાણે ત્યારે પાછો ફરી જાય. હવે એને જાણે કઈ રીતે ? આડાઈને ઓળખે કઈ રીતે ? દાદાશ્રી : તરત ઓળખે. આપણું “જ્ઞાન” લીધેલું હોય એટલે તરત ઓળખે કે આ આડાઈ કરવા માંડી. વ્યવહારિકતા છે કે નહીં તે બધું તરત ખબર પડી જાય અને વ્યવહારિકતાની બહાર કરવા માંડયું તે ય ખબર પડી જાય. પ્રશ્નકર્તા : પણ પોતાની આડાઈ પોતાને કઈ રીતે ખબર પડે ? દાદાશ્રી : આપણું જ્ઞાન હોય તો ખબર પડે. નહીં તો ખબર ના પડે. અને એ ખબર પડી હોય ને, તેની પર પછી ઢાંકી દે અને આડાઈમાં જ રહે. આપણાં ‘જ્ઞાનના પ્રતાપે ખબર પડે. પ્રશ્નકર્તા : ઢાંકી દે એ શું છે ? દાદાશ્રી : એની પર ઢાંકી દે, એ “ડબલ’ આડાઈ. પ્રશ્નકર્તા : તો પછી પેલી આડાઈ નીકળવાનો ‘સ્કોપ' જ ના રહ્યો ને ? દાદાશ્રી : વધે ઊલટી. પ્રશ્નકર્તા: પણ આપણે તો મૂળથી આડાઈ ખલાસ કરવાનું લક્ષ હોય ને ? તો ત્યાં શું કરવું જોઈએ ? દાદાશ્રી : તું તારી જાતે કરી લેવા જઈશ તો તને નહીં ફાવે. મને પૂછવું કે આ કેમનું છે, તે હું કહી દઈશ કે ભાઈ, આ કાઢ આડાઈ ! પ્રશ્નકર્તા: એક તો આડાઈ વસ્તુ ઊભી થઈ હોય, પાછું એને પોતે ઢાંકે એ “ડબલ’ આડાઈ. તો પછી એ પૂછવા જ ના દે ને, આડાઈ. તો દાદાશ્રી : આ બધા બાબા જેવા દેખાય. બાબો રિસાય છે, એવું. પણ પટાવી પટાવીને આગળ લઈ જવાના. પ્રશ્નકર્તા : અને માફી માગીને ય પટાવતા તમને જોયા છે. દાદાશ્રી : પણ આમને મોક્ષે લઈ જવાના છે, તે માટે ચેતીને ચાલવું પડે ને ?! એનું શું જાય ? એ તો એક ભાઈ હતો, તે કહે છે, ‘દાદાજી, લો તમારાં પુસ્તક અને આ તમારું જ્ઞાન તમને પાછું આપ્યું.' મેં કહ્યું, ‘હા, બહુ સારું થયું. તારો ઉપકાર માનું છું.’ નહીં તો રસ્તામાં પુસ્તક ફેંકી દીધાં હોત. એના કરતાં આ તો ઘરે આવીને પાછાં આપી ગયો. એને ગુણ ના માનવો પડે ? ‘આ તમારું જ્ઞાન પાછું આપું છું' કહે છે. એ તો હું જ લઉને નિરાંતે ! પ્રશ્નકર્તા : નિરાંતે, એટલે પાછું ઉપકારી દ્રષ્ટિથી લો. દાદાશ્રી : હા, આ કંઈ રસ્તામાં ફેંકી ના દીધાં, એટલે ડાહ્યો માણસ ! સારું કર્યું. પ્રશ્નકર્તા: આ તો આપ “જ્ઞાની પુરુષ” છો, તો સામાની આડાઈ નીકળી શકે. દાદાશ્રી : વહેલી નીકળી જાય. નહીં તો માર ખાઈને, ખત્તા ખાઈખાઈને નીકળે છે. ખત્તા ખાય ને ખત્તાના અનુભવ થતા જાય ને, તેમ તેમ આડાઈ નીકળતી જાય. નહીં તો કેટલાંય અવતારે નીકળે.
SR No.008831
Book TitleAptavani 09
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size99 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy