________________
આપ્તવાણી-૮
૨૯૧
૨૯૨
આપ્તવાણી-૮
અચ્છેર પીધો તો મલિન શી રીતે થયા ? એના એ જ શેઠ પછી ગમે એવું બોલે. ‘હું સયાજીરાવ મહારાજ છું” એવું તેવું બોલે. ત્યાંથી ના સમજી જઈએ કે શેઠને ચઢી છે ?!
પ્રશ્નકર્તા: પણ પહેલાં તો શુદ્ધ હતો ને ? તો એનામાં એટલી શક્તિ નહોતી, તે ફરી અશુદ્ધ કેમ થઈ ગયો ?
દાદાશ્રી : શુદ્ધ જ છે, અત્યારે ય શુદ્ધ છે, કશું થયું જ નથી. આ તો અમલ છે. અમલ ઉતરી જાય તો કશું થયું જ નથી. તો આગલે દહાડે ચંદુભાઈ હતા અને બીજે દહાડે અમલ ઉતરી ગયો એટલે શુદ્ધ જ થઈ ગયા. બીજે દહાડે એક જ કલાકમાં શુદ્ધ થઈ ગયા, આત્મા જો અશુદ્ધ થતો હોય તો એક કલાકમાં શુદ્ધ શી રીતે થાય ? આ તો જેમ પેલા દારૂ પીને બોલે છે ને એવું આ કેફ ચઢ્યો છે, અમલ છે. તેથી ‘એને’ ‘હું ચંદુભાઈ’, હું ચંદુભાઈ એવો કેફ ચઢી ગયો છે, ‘રોંગ બિલીફ' બેસી ગઈ
વચન-કાયા ‘ઇફેક્ટિવ' છે, અને તે ‘ઇફેક્ટિવ'ની ‘આત્મા’ને અસર થાય છે. કારણ કે ‘પોતાની’ ‘બિલીફ રોંગ’ બેઠેલી છે. ‘જ્ઞાની પુરુષ' એ ‘રોંગ બિલીફ ફેરવી આપે, પછી ‘એને’ આ બધી અસર થતી નથી.
સંસારકાળમાં, અમલ અજ્ઞાતતાતો જ ! પ્રશ્નકર્તા તો ચૈતન્ય જો શુદ્ધ થઈ જાય, તો ફરી એને આવવું પડે ?
દાદાશ્રી : આવવું જ ના પડે ને ! એક ફેરો શુદ્ધતામાં આવી ગયો એટલે અહંકાર ગયો, એટલે પછી આવવું જ ના પડે. અહંકાર હોય ત્યાં સુધી બીજ નાખે કે ‘મેં કર્યું ને એમાંથી ફરી પાછો અહંકાર ઊભો થાય. ‘મેં કર્યું એવું માને છે ત્યાં સુધી અહંકાર ફરી ઊભો થશે.
પ્રશ્નકર્તા : તો આત્મા પહેલેથી અશુદ્ધ જ હોવો જોઈએ ? દાદાશ્રી : ના. આત્મા શુદ્ધ જ છે. પ્રશ્નકર્તા : તો પછી આત્મા અશુદ્ધ થયો જ કેવી રીતે ?
દાદાશ્રી : એ તો લોકોએ ‘શાંતિ, શાંતિ' કહ્યું ને ! આ લોકો અજ્ઞાનનું પ્રદાન કરે છે ને, તેનાથી દર્શન બદલાઈ જાય છે ! આખું દર્શન ફરે છે, તેનો અમલ છે.
આ અત્યારે એક શેઠ હોય તે સરસ વાતો આખો દહાડો કરે, કેવી ન્યાય-નીતિની બધી વાતો કરે ! આમ વિનયવાળા, પણ અચ્છેર દારૂ પી જાય તો શું થાય ?
પ્રશ્નકર્તા : પછી ગાંડપણ આવે.
દાદાશ્રી : તો શું શેઠ બગડી ગયા ? ના, આ તો દારૂનો અમલ છે. એવું આ અજ્ઞાનનો અમલ ચઢ્યો છે.
પ્રશ્નકર્તા : આપણે જો શુદ્ધ હતા એક વખત, તો મલિન થયા કેવી રીતે ?
દાદાશ્રી : આ પેલા શેઠ હમણે સારી રીતે બેઠા હતા, તે પછી
પ્રશ્નકર્તા : આત્મા, તમે કહ્યું, શુદ્ધ જ હતો. તો એનાં કરતાં બીજી કોઈ અશુદ્ધ શક્તિનું વધારે જોર છે, તો જ આત્મા અશુદ્ધ થાય ને ?
દાદાશ્રી : આત્મા અનંત શક્તિવાળો છે, એવું પુદ્ગલ પણ અનંત શક્તિવાળું છે ! એ પુદ્ગલ શક્તિ જે છે એણે તો આખા આત્માને બાંધી જ દીધો છે, છૂટવા જ નથી દેતું હવે. એટલે જડની પણ અનંત શક્તિ છે. આ અણુબોમ્બ ફોડેલા એ જોયેલું નહિ ? એટલે જડની પણ અનંત શક્તિ છે.
પ્રશ્નકર્તા : જડની શક્તિ આત્માની શક્તિ કરતાં જો વિશેષ ગણવામાં આવે તો ફરી આત્માને એ લઈ જશે !
દાદાશ્રી : ફરી એટલે ? પ્રશ્નકર્તા : કેમ ? શુદ્ધ થઈ ગયા પછી ફરી અશુદ્ધિમાં લઈ જાય
તો ?
દાદાશ્રી : ના. શુદ્ધ થયા પછી કશું એને અડતું જ નથી.