SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ ૨૫૯ ૨૬) આપ્તવાણી-૮ પાડોશીને ઘેર, ત્યાં આપણે શું ? અને ‘આત્મા'ને કંઈ થાય જ નહિ ને ! પણ આ તો અનાદિની ભ્રાંતિ ‘એને’ આ વાત બધી વિસારે પાડી દે છે ! દાદાશ્રી : એ એનાં અંતરાય કર્મ છે. એ અંતરાય પૂરાં થાય ત્યાર પછી જ્ઞાન લેવાનું મન થાય. તો અંતરાય પૂરા કરવા માટે શું કરવું જોઈએ ? કે કાં તો “પોતે' નક્કી જ કરવું જોઈએ કે આજે અંતરાય તોડી જ નાખવા છે, પછી જે થવાનું હોય તે થાય, પણ અંતરાય તોડી જ નાખવા છે. કાં તો ‘જ્ઞાની'ને કહેવું જોઈએ કે, “સાહેબ, મારા અંતરાય તોડી આપો.' તો ‘જ્ઞાનીપુરુષ’ એ તોડી આપે. બાકી અંતરાય કર્મ તો એને જમવાનું સામે હોય તો ય જમવા ના દે. જમવાનું તૈયાર હોય, જમવાની તૈયારી કરે છે, ત્યારે કોઈ બોલાવવા આવે કે, “ચાલો, જલદી ચાલો.’ તૈયાર થાળી મૂકીને પણ જવું પડે, એનું નામ અંતરાય કર્મ. ત્યારે આત્મવર્તતા વર્તે ! પ્રશ્નકર્તા : આપની પાસે આત્માની અનુભૂતિ કઈ રીતે કરવામાં આવે છે ? જ્ઞાતી પ્રયોગે, આત્મા-અતાત્મા ભિન્ન ! પ્રશ્નકર્તા : આપ કહો છો ‘આત્મા મારાથી એકદમ છૂટો છે', તો એ મને હજુ એકદમ સ્પષ્ટ થતું નથી. દાદાશ્રી : છૂટો પાડ્યા પછી છૂટો થાય, નહિ તો તન્મયાકાર છે. ‘અમે' છૂટો પાડી આપીએ, ‘અમે’ પ્રયોગ કરીએ ત્યારે છૂટો પડે. નહિ તો ત્યાં સુધી ના થાય. એટલે આપણે એમ કહેવાનું કે ખરી રીતે છૂટો તો છે જ ! પણ ભ્રાંતિ છે, ત્યાં સુધી બંધાયેલો જ છે. અમે અહીં જ્ઞાન આપીએ છીએ, તે દહાડે આત્મા અને અનાત્મા બેને જુદા પાડી દઈએ છીએ, પછી ‘તમારે’ ‘ભગવાન'નો સાક્ષાત્કાર જાય નહિ અને ત્યારે તમારા દોષ દેખાવા માંડે. નહિ તો ત્યાં સુધી દોષ દેખાય નહિ. અને દોષ દેખાય પછી દોષ ચાલ્યા જાય. જેમ જેમ દોષો દેખાતા થાય એમ જતાં રહે બધાં. જ્ઞાનપ્રાપ્તિ, ભાવતાનાં પરિણામે ! પ્રશ્નકર્તા : મારા નસીબમાં શું છે ? મને એવું જ્ઞાન ક્યારે આવશે, તમે જે કીધું એવું જ્ઞાન મને ક્યારે આવશે ? એ અવધિ કહો. દાદાશ્રી : એ તો આવશે, ભાવના કરી છે તો આવે ને ! ભાવના પહેલી થાય તો જ આવે ને ! ભાવના જ ના કરી હોય તો શી રીતે આવે ? પ્રશ્નકર્તા : મને તો એવું લાગે છે કે દિલ્હી બહુ દૂર છે. દાદાશ્રી : અરે, આ દુનિયામાં કશું દૂર હોતું જ નથી. આત્મા જ પાસે છે, તો દિલ્હી શું કરવા દૂર હોય ? આત્મા પોતાની નજીક છે. જે અપ્રાપ્ત વસ્તુ આત્મા, એ પોતાની પાસે છે, તો બીજી કઈ વસ્તુ દૂર કહેવાય? ...તો જ્ઞાતાંતરાય તૂટે ! પ્રશ્નકર્તા : અહીં આપની પાસે ઘણાં આવે, એમાં કોઈને જ્ઞાન લેવાનું મન ના થાય એ શું છે ? એનું શું કારણ છે ? દાદાશ્રી : અત્યારે કશી અનુભૂતિ થાય છે કે નથી થતી ? આ ટાઢ લાગે તે અનુભવ નથી થતો ? ગરમી લાગે છે તે અનુભવ નથી થતો ? કોઈ ગાળ ભાંડે છે તો કડવો રસ ઉત્પન્ન થાય છે, એવો અનુભવ નથી થતો ? તમારે કયો અનુભવ જોઈએ છે ? પ્રશ્નકર્તા: આત્માનો અનુભવ. દાદાશ્રી : આત્માનો અનુભવ એટલે શું ? પરમાનંદ સ્થિતિ ! આનંદ જાય નહિ, એનું નામ આત્માનો અનુભવ. પ્રશ્નકર્તા ઃ એ કઈ રીતે મળે ? દાદાશ્રી : કામ શું છે તમારે એનું ? તમારે કાયમના આનંદની જરૂર શું છે ? અને પાછી વાઈફની, પૈસાની જરૂર છે કે નહીં ? પ્રશ્નકર્તા : નથી જરૂર. દાદાશ્રી : ત્યારે આ દેહની જરૂર છે કે નહિ ? પ્રશ્નકર્તા : ભગવાન સિવાય મારે કોઈ ચીજની જરૂર નથી.
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy