SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ ૨૩૩ ૨૩૪ આપ્તવાણી-૮ અને એક આ દિશાથી આવે અને બેઉ ફૂલ સ્પીડવાળા હોય તો શી દશા થાય ? પ્રશ્નકર્તા : જોશથી ‘એક્સિડન્ટ’ થાય ? દાદાશ્રી : એવાં અથડાય એ કે એન્જિનો ય આમ ઊભા થઈ જાય ! તેમ આપણા લોકો આત્માનું ધ્યાન અને આ બધું જ કર્યા કરે છે ને, શૂન્યની અવસ્થા, તે એના જેવું છે. અને આ તો શૂન્ય શું છે તે સમજ્યા સિવાય લોકો શુન્ય કરવા મંડી પડ્યા છે. એકડા વગર શુન્ય બધાં નકામાં છે. એકડા વગરનાં મીંડાં બધાં નકામાં છે. એકડો હોય તો શૂન્ય કામનું. તમે શૂન્ય અવસ્થા શી રીતે કરો છો પછી ? પ્રશ્નકર્તા : આપણે શાંતિથી બેસીએ, પછી સંકલ્પ-વિકલ્પ આવતો હોય એને બંધ કરવાનો પ્રયત્ન કરીએ. દાદાશ્રી : ને તો ય સંકલ્પ-વિકલ્પ થયા કરે છે ને ? હા, પણ આપણી ઇચ્છા નથી છતાં કોણ કરે છે એવું ? મહીં કોઈ ગોટાળીયું પેસી ગયું છે ને ? પ્રશ્નકર્તા : એ તો પ્રકૃતિ છે. દાદાશ્રી : તમે પ્રકૃતિમાં છો કે પુરુષમાં છો એ કહો. પ્રશ્નકર્તા : પુરુષમાં. દાદાશ્રી : કોણે ‘પુરુષ'માં બનાવ્યા તમને ? પ્રશ્નકર્તા : એ આપણને જ્ઞાન નથી. દાદાશ્રી : તમને કોઈ કહે કે “આ ચંદુભાઈએ બગાડ્યું', તો અસર થાય ખરી ? પ્રશ્નકર્તા: જો આપણે બગાડ્યું હોય તો પછી આપણે કબૂલ કરવું બગાડ્યું તો તમને અસર થાય ? પ્રશ્નકર્તા : એવું તો બોલ્યા કરે. દાદાશ્રી : એમ કે ? ચંદુભાઈના નામ પર અસર થતી નથી તમને ? પ્રશ્નકર્તા: ના. દાદાશ્રી : ને પાંચ હજાર રૂપિયાનું ગજવું કપાય તો ય અસર નથી થતી ? પ્રશ્નકર્તા : થાય, એ તો આપણી આજીવિકા છે. દાદાશ્રી : હવે ત્યાં આગળ શૂન્ય ક્યાં જતું રહ્યું ? છતાં આ રીતે શાંતિ રાખો છો એ સારું છે, ખોટું નથી. પણ એ બધો શૂન્યનો રસ્તો ન હોય. શુન્ય તો, આત્માને પ્રાપ્ત કરવો જોઈએ, આત્મા જાણવો જોઈએ. આત્મા જાણ્યા પછી શુન્ય સ્થિતિ આવે. ‘આત્મા' તો, નિરીક્ષકની ય પેલે પાર ! પ્રશ્નકર્તા તો પછી આત્મસાક્ષાત્કાર માટે કયું સાધન સર્વશ્રેષ્ઠ છે ? દાદાશ્રી : એના માટે બીજું કશું સાધન છે તમારી પાસે ? આપ સાધ્ય થવા માંગો છો, પણ બીજું સાધન શું લાગે છે આપને ? પ્રશ્નકર્તા : અડધો કલાક આત્મનિરીક્ષણ કરવાનું. દાદાશ્રી : આત્મા ઓળખીને નિરીક્ષણ કરો છો કે ઓળખ્યા વગર કરો છો ? પ્રશ્નકર્તા : આત્માને ઓળખીએ તો પછી શું બાકી રહે ? દાદાશ્રી : તો પછી આત્મનિરીક્ષણ કોનું કરો છો ? પ્રશ્નકર્તા : જે વિચાર આવે એનું. દાદાશ્રી : ઓહોહો, વિચારનું ! વિચાર એ તો મનમાંથી આવે છે, દાદાશ્રી : પણ ના બગાડ્યું હોય ને તમને કોઈ કહે કે ચંદુભાઈએ
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy