________________
આપ્તવાણી-૨
૨૪
આપ્તવાણી-૨
જગત ! આખો સંસાર દગો છે ! જો થોડો ય સગો હોત તો આ ‘દાદા’ તમને ના કહેત કે આટલી સગાઇ સાચી છે ? પણ આ તો સંપૂર્ણ દગો જ છે. કયારે ય સગો નથી. જીવતો ભમરડો જંપવા દે નહીં. અરે, અહીં સત્સંગમાં આવવું હોય, ખાલી દર્શન કરવા આવવું હોય તો ય ના આવવા દે. આ આવવા દે છે એ તો બહુ સારું કહેવાય.
શુદ્ધાત્મા જ સાચો સગો ! દાદાશ્રી : આ રાત્રે બે વાગ્યે તમે ઊઠો છો ત્યારે સૌથી પહેલું શું લક્ષમાં આવે છે ?
પ્રશ્નકર્તા: ‘હું શુદ્ધાત્મા છું' એ અને પછી ‘દાદા’ દેખાય છે.
દાદાશ્રી : આ ‘અમે' સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી તમને ‘‘શુદ્ધાત્મા''નું લક્ષ કેટલો વખત રહે છે. દિવસમાં ?
પ્રશ્નકર્તા : નિરંતર રહે છે, દાદા.
દાદાશ્રી : આ ‘શુદ્ધાત્મા'નું લક્ષ રહે છે એ જ આપણું ! એ જ આપણી ખબર લે. બીજું કોઇ રાત્રે આપણી ખબર ના લે. આપણે પાણી પીવાનું માગીએ તો ય કોઇ ના ઉઠે. જાતે લેવા જવું પડે. આપણે પાણી માગીએ ને પેલો ઊંઘતો હોય તો તો ઊઠે, પણ જાગતો ના ઊઠે. આ બધા હિસાબ અમને એટ એ ટાઇમ દેખાયા જ કરે ! તદ્દન દગો છે આ સંસાર. કોઇ દા'ડો સગો ના થાય !
દાદાશ્રી : બહેન, કેટલાં છોકરાં છે તમને ? પ્રશ્નકર્તા : ચાર છે. દાદાશ્રી : તો ગયા અવતારનાં છોકરાં અત્યારે ક્યાં છે ? પ્રશ્નકર્તા : એ તો શી ખબર, દાદા !
દાદાશ્રી : એક એક અવતારમાં ભયંકર માર ખાધો છે, પણ પાછલો માર ખાધેલો ભૂલતો જાય છે અને નવો માર ખાતો જાય છે. ગયા
અવતારનાં છોકરાં મૂકતો આવે છે ને નવાં આ અવતારમાં વળગાડતો જાય છે !
‘પોતાની’ વસ્તુ હોય તો લૂંટાય નહીં અને જે લૂંટાયું તે “પોતાનું નહીં. આ એકનો એક છોકરો હોય તો ય ના રહે.
આ જગતમાં કયો માણસ મોહ કરવા જેવો છે ? આ ‘ગંધાય” તેના પર શો મોહ કરવાનો ? ગંધાતી કેરી પર તે કંઇ મોહ કરાય ? સુગંધીદાર માણસો તો સત્યુગમાં હતા. પણ સત્યુગનું ચળામણ દ્વાપરમાં રહ્યું, દ્વાપરનું ચળામણ ત્રેતામાં રહ્યું ને ત્રેતાનું ચળામણ આ કળિયુગમાં રહ્યું ! તે નર્યા ચોળિયા જેવા જ લોક રહ્યા છે આ કાળમાં ! એમનો ખોરાક એવો, બુદ્ધિ એવી અને વિચારે ય એવા ! આમાં શું સુખ મળવાનું છે ? એના કરતાં ‘પોતાના આત્માની ગુફામાં પેસી જા. અને બહાર સુપરફલ્યુઅસ રહે ને ! આમાં શાં સુખ કાઢવાનાં, બધું જ ગંધાય છે. ત્યાં? “સ્વરૂપનું જ્ઞાન’ ના હોય તો બધે બફારો જ છે અને ‘સ્વરૂપનું જ્ઞાન’ મળ્યું તો ‘પોતાની ગુફામાં' બેસીને રહેવાનું ને બીજે બધે ઉપલક રહેવાનું ! બહુ સારા હોય તો આપણને લપસાવી પાડે. ચા-નાસ્તો કરાવે, ફરવા લઇ જાય. નહીં કશી લેવા ને દેવા, છતાં લપસાવી દે !
આ બધા ચોપડાના હિસાબથી ભેગા થયા છે. એક ઝાડ પર પંખી બેઠાં હોય ને ઊડી જાય તેવું છે ! આને તો પૂળો જ મૂકવાનો ને જયારે ત્યારે ! ચક્રવર્તી રાજાઓ તેરસો રાણીઓ, રાજપાટ ને વૈભવ છોડીને ‘જ્ઞાની’ ની પાછળ દોડેલા ! ને આજે એક જ રાણી છોડતો નથી ! ને આવા કળિયુગના કાળમાં રાણી તો કેવી હોય કે સવારના પહોરમાં આવડી મોટી ચોપડે કે ‘સવારમાં શાને ચા ઢીંચો છો? '
આ તો બધી ભરહાડ કહેવાય. શક્કરિયાં બાફવાની જગ્યા તે આ
સંસાર.
આમાં સુખ હોત તો છાપામાં રોજ આવત કે ફલાણા ફલાણા શેઠ સુખી છે ! પણ કોઇ સુખી નથી. શક્કરિયાં ભરહાડમાં બફાય તેમ બધા બફાય છે ! આ શેઠાણીનો વીમો ય નહીં ને બંગલા ને બંગલા ભેલાઇ ગયા ! શામાં સુખ છે ? લક્ષ્મીમાં સુખ હોય તો તો આ શેઠિયા રાત્રે