________________
આપ્તવાણી-૨
૩૮૫
૩૮૬
આપ્તવાણી-૨
એક માણસ ભગવાનને કહે કે, ‘ભગવાન, અમે જૈન ધર્મ કરીએ છીએ તો અમારો મોક્ષ થશે ?ભગવાન કહે, ‘તારાં જૈનનાં પરમાણુ હો કે વેદાન્તનાં પરમાણુ હો, જે હો તે, પણ એ બધાં જ પરમાણુ ખલાસ થશે ત્યારે મોક્ષ થશે !” જૈનને જૈનનાં ને વેદાન્તીને વેદાન્તનાં બધાં જ પરમાણુ ખાલી કરવાં પડે ત્યારે મોક્ષ થાય !
જયાં પુણ્ય અને પાપ બન્ને ય હેય છે તેને ભગવાને મોક્ષમાર્ગ કહ્યો અને બીજા બધાં અન્ય માર્ગ છે એમ કહ્યું છે. અન્ય માર્ગ તે વ્યવહાર માર્ગ છે, પાપ-પુણ્ય જેને ઉપાદેય છે તે વ્યવહાર માર્ગમાં સમાય.
પહેલાં એનું જ્ઞાન હોવું જોઇએ ને જો ઘર ના મળે તો મારે કોઇ ભોમિયાને પૂછવું પડે, એવું મોક્ષે જવા કોઇ ભોમિયાને પૂછવું પડે. આ ભીમે તો લોટાને ગુરુ બનાવ્યો ને ‘ૐ નમઃ શિવાય’ ઉપર લખ્યું તો શિવ પ્રગટ થયા. આ તો ભીમ ! તેને તો બધા ઉપર તરત જ અભાવ આવી જાય ! માટે તને જેની પર અભાવ ના થાય એવાને ગુરુ બનાવ ને આગળ ચાલ. આ તો પોતાને માથે ઉપરી રાખીને ચાલવાનું, તેનાથી સ્વછંદ ના થાય.
પ્રશ્નકર્તા : ‘તુંહી તુંહી’ શાઓમાં લખેલું છે, એ શું છે ?
દાદાશ્રી : ક્રમિક માર્ગ ‘તુંહી તુંહી’એ પહોંચવાનું સાધન આત્મા તું જ છે બધે, હું તો ક્યાં ય છું જ નહીં, છતાં ‘તુંહી તુંહીમાં આત્મા માટે ભેદ રહે છે. શ્રદ્ધા ને જ્ઞાનથી એક રહે, પણ ચારિત્ર્યથી ભેદ પડે છે. અમે તો ‘હુંહી, હું હીં' બોલીએ. ‘તું' ને ‘હું'નો ભેદ પાડે તો ક્યારે ઠેકાણું પડે ? આ તો ભગવાન ને ભગત, એમ “તું” ને “હું” બે જુદા એવો ભેદ પડે, તો તો આપણું ઠેકાણું ક્યારે પડે ? છતાં, એમને કોઈ ‘જ્ઞાની પુરુષ' મળી જાય તો ઉકેલ આવી જાય.
અજ્ઞાતથી જ મોક્ષ અટક્યો ! જૈનોમાં કહ્યું કે ‘રાગ, દ્વેષ ને અજ્ઞાન કાઢ’ને વેદોમાં ય કહ્યું કે મળ, વિક્ષેપ ને અજ્ઞાન કાઢ.' એટલે આ બન્નેમાં અજ્ઞાન કોમન છે, મુખ્ય છે. જો ‘જ્ઞાની” પાસેથી ‘જ્ઞાન’ મળે તો બધું જ અજ્ઞાન નીકળી જાય તેમ છે !
જૈનોએ કહ્યું કે ‘ઉપયોગ રાખો.’ અને વેદાન્તોએ કહ્યું કે ‘સાણીભાવ રાખો.' આ સાક્ષી ભાવે રહેવા જાય, પણ લગ્નમાં તો નથી રહેવાતું! આ બધા તો ઉપચારો કહેવાય. જ્ઞાની ના મળે ત્યાં સુધી દવા તો ચોપડવી જોઇએ ને ? ઉપચાર તો કરવા જોઇએ ને ? ને જ્ઞાની મળી ગયા તો તો કામ જ થઇ ગયું !
મહીં બેઠા છે એ ‘શુદ્ધાત્મા’ ભગવાન છે. એમણે મને ‘યોગ’ કરી આપ્યો છે, એમનો ધંધો ‘યોગક્ષેમ’ કરી આપવાનો છે. હવે એમણે તમને યોગ કરી આપ્યો તેથી તમને ‘અમારો’ ભેટો થયો અને મહાપરાણે થાય એવા “જ્ઞાની પુરુષ'નો ભેટો થયો છે, તો ‘જ્ઞાની પુરુષ’ હવે તમને ‘ક્ષેમ’ કરી આપશે. ‘જ્ઞાની’ ચાહે સો કરી શકે ! ‘યોગ’ થઇ ગયો એટલે કામ થઇ ગયું. ‘શુદ્ધાત્મા’ યોગ ભેગો કરી આપે ને ત્યાં પછી ડહાપણ કરે ને તો થઇ જ રહ્યું ને ? આ તો સ્વચ્છંદ રોગ એવો છે કે ક્રોનિક થઇ ગયો છે ! સ્વચ્છંદ એટલે ઓવરવાઇઝ, આ તો મારે દાદર આવવું હોય તો
શક્તિપાત ! પ્રશ્નકર્તા : શક્તિપાત એટલે શું ?
દાદાશ્રી : એક છ ફૂટનો પાણીનો વેંકડો છે, વહેણ છે. હવે તમને બૂટ કાઢવાની મુશ્કેલી પડે, ને તમે ઊભા રહી જાવ. બે-પાંચ જણ તો તમારા દેખતાં એ વહેણ કૂદી જાય ને તમારું મન પાછું પડે, ત્યારે હું કહું કે “અરે, ચંદુભાઇ, શું ઊભા છો? કૂદી જાવ.” ને તમે તરત જ કૂદી જાવ. આ શક્તિપાતનો દાખલો છે. એ શક્તિપાતને અને મોક્ષને કશો જ સંબંધ નથી. આ તો પૌગલિક શક્તિપાત કહેવાય, એ તો વધે અને ઘટે, આપનારની શક્તિ ઘટે અને લેનારની શક્તિ વધે.
પ્રશ્નકર્તા : તાળવા ઉપર જીભ લગાડીને અમૃત ગળવાનું કહે છે એ શું છે ?