SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ગુનો કહેવાય. માટે ઉતાવળથી ધીમા ચાલો. રાગ કરે એ સીંગલ ગુનો છે ને નિરાગી થાય તે ડબલ ગુનો છે. સંસાર વ્યવહારમાં “હું આત્મા છું, મને શી લેવાદેવા ?” એમ કરી છોકરાની ફી ના આપીએ, તો તે ભયંકર ગુનો છે. ત્યાં નિઃસ્પૃહ થવાનું નથી. ઉપલકપણે રહી નિકાલ કરવાનો છે. સામાને રાજી કરવાનું છે, તેના રાગી થવાનું નથી. પોલીસવાળાને રાજી કરતાં તેના રાગી થવાય છે ? ઘરમાં, ધંધામાં ગમે ત્યાં ઓછામાં ઓછી અથડામણ ઊભી કરે, એ રીતે વ્યવહાર કરે તે ખરો બુદ્ધિશાળી ! આપણાથી કોઈ પણ ફફડે તેમાં આપણી શી મોટાઈ ? આપણા ફફડાવવાથી સામામાં ફેરફાર થાય, તો આપણું નુકસાન વહોરીનેય ફફડાવેલું કામનું ! આપણામાં જ્યારે કપટ નહીં રહે, ત્યારે આપણી સાથે સામો કોઈ કપટ કરતો નહીં આવે. જગત આપણું જ પ્રતિબિંબ છે. આપણો જ ફોટો છે આ બધો ! આપણા નિષ્કપટભાવનો પ્રભાવ જ સામાને કપટરહિત કરી શકે !! ‘સામાનું સમાધાન કરવું. એ આપણી જ જવાબદારી છે” એવું જ્યારે મહીં ફીટ થશે, ત્યારે બાહ્ય કોઈ ગોઠવણી કે ફાંફાં સિવાય સ્વયંસૂઝથી આજે નહીં તો કાલે, પણ સામાને સમાધાન થશે જ. પોતે ફરવાનું છે, નહીં કે સામો ફરે તેની રાહ જોતાં ‘ક્યુ'માં બેસી રહેવાનું. પોતે આજે ચોખ્ખો થયો, અહંકાર વગરનો થયો. પણ પાછલા અત્યાર સુધીના અહંકારના પડઘા લોકો કેવી રીતે એકદમ ભૂલે ? એ પડઘા તો રહેવાના જ. એ પડઘા સ્વયે ન શકે, ત્યાં સુધી રાહ જોયા વગર છૂટકો નથી. થતું. તેનાથી લોકોને આપણા તરફ એટ્રેક્શન થતું નથી. એટ્રેક્શન થાય પછી તો એનો શબ્દેશબ્દ બ્રહ્મવાક્ય થઈ પડે.. અરે, આ અટકણને લીધે તો આપણી સાચી વાત પણ લોકોને સારી નથી લાગતી. તેના લીધે મુક્ત હાસ્ય પણ નથી નીકળતું ને વાણીય ખેંચાયા કરે !! અનંત અવતારની ભટકામણ શાથી થઈ ? અટકણથી ! આત્મસુખ ચાખ્યું નહીં, તેથી વિષયસુખ માટે અટકણ પડી ગઈ ! ‘જ્ઞાની પુરુષ'ની કૃપા અને પોતાનો જબરજસ્ત પરાક્રમભાવ, એનાથી અટકણ તૂટે. અટકણ તૂટે તો અનંત સમાધિ. સુખો પ્રગટે ને અટકણને નહીં ઉખાડીએ તો, એ તો જ્ઞાનનેય અને જ્ઞાનીથી પણ આપણને ઉખેડી નાખશે. આપણા પર જેની છાયા પડે, તેનો રોગ આપણામાં પેઠા વગર રહે જ નહીં. સામાનાં ગમે તેવા સુંદર ગુણો દેખાય, પણ છેવટે તો તે પ્રાકૃત ગુણો જ છે ને ? પ્રાકૃત ગુણ વિકૃત થયા વગર ના રહે ? રૂપાળીબંબ જેવી હાફુસની કેરી હોય, પણ તે કહોવાઈને ગંધાઈ જ ઊઠે ને ? વિષયસંબંધી જ્યાં જ્યાં આકર્ષણ ઊભું થાય, તેનું તરત જ પ્રતિક્રમણ હોવું ઘટે. ને તેની શુદ્ધાત્મા પાસે માંગણી કરવી કે મને આ અબ્રહ્મચર્યના વિષયથી મુક્ત કરો. સ્ત્રી-પુરુષના વિષયથી વેર ઊભું થાય છે. તે વેર જ કેટલાય અવતાર બગાડી નાખે. પ્રતિક્રમણથી પ્રથમ તો પોતાનું અતિક્રમણ અટકે છે ને અવળા ભાવ તૂટે છે. સામાને તો તે પછી પહોંચે છે ને ના પહોંચે તોય તે જોવાનું નથી. આ તો આપણાં પોતા માટે જ છે બધું !!! વાઘ જોડે પ્રતિક્રમણ થાય તો તે વાઘેય આપણા કહ્યા મુજબ કરે. વાઘમાં ને મનુષ્યમાં ફેર કશો નથી. આપણાં સ્પંદનોના ફેરને કારણે વાઘને એની અસરો થાય છે, વાઘ હિંસક છે એવું જ્યાં સુધી આપણા ધ્યાનમાં છે, બીલિફમાં છે ત્યાં સુધી એ હિંસક જ રહે અને વાઘ ‘શુદ્ધાત્મા’ છે એવું ધ્યાન રહે તો તે “શુદ્ધાત્મા’ જ છે !! પોતાની સળીઓ બંધ થઈ, પોતાનાં સ્પંદનો અટક્યાં, તો સામે કોઈ અરીસો જે કોઈ મોટું ધરે તેનું પ્રતિબિંબ દેખાડે. આમ અરીસા જેવું ‘ક્લીયર’ થઈ જવાનું છે. અટકણને લીધે અરીસા જેવું ક્લીયરન્સ નથી
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy