SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ એ નિર્મળ દૃષ્ટિ શું આપણી પાસે છે ? દૃષ્ટિ નિર્મળ કેમ કરીને થાય ? આજ દિન સુધી ભવોભવથી ભાવનાઓ ભાવેલી હોય કે, ‘વીતરાગ દશાને પમાડનાર જ્ઞાનીપુરુષને જ પ્રાપ્ત કરી છૂટવા છે. એ સિવાય અન્ય કોઈ ચીજનું કામીપણું હવે નથી.” અને ત્યારે જ જ્ઞાનીના અંગુલિનિર્દેશે જ્ઞાનબીજનો ચંદ્રમા એની દૃષ્ટિમાં ખીલે ! જ્ઞાનીપુરુષ સંપાદકીય આપ્તવાણી-શ્રેણી ૬, એ એક આગવી પ્રતિભા ધરાવનારી છે. એક બાજુ વ્યવહારના, પળપળના ‘પ્રોબ્લેમ્સ’ અને બીજી બાજુ સ્વમથામણથી ઝઝૂમી રહેલો એકલોઅટૂલો પોતે. આ બન્નેની રસાકસીમાં દિનરાત ખડા થતા સંઘર્ષનું સોલ્યુશન પોતાને ક્યાંથી થાય ? કોણ કરાવે એ ? એ સંઘર્ષ જ નહીં કોરી ખાતો રહે છે, ને ગાડી યાર્ડમાં ને યાર્ડમાં જ ફર્યા કરે છે ! જે જે પોતાનાં જીવનનાં સંઘર્ષોનું સરવૈયું લઈને દાદાશ્રી પાસે આવે છે, તેને દાદાશ્રી એવી કડી દેખાડી દે છે કે જેનાથી પેલો સંઘર્ષમાંથી સંધીને પામે છે ! જ્યાં પુણ્ય નથી કે પાપ નથી, જ્યાં પવિત્રતા નથી કે અપવિત્રતા નથી, જ્યાં કોઈ કંદ્ર જ નથી, જ્યાં આત્મા સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રકાશ્યો છે. એ જ્ઞાનીને કોઈ વિશેષણ આપતાં પોતાની જાતને જ ગુનેગાર લેખાય છે! નિર્વિશેષપદને પામેલાને વિશેષણથી નવાજવા એટલે સૂર્યના પ્રકાશને મીણબત્તી અલંકત કરે એના જેવું છે ને છતાંય મનમાં અહમ્ પોષીએ કે જ્ઞાનીને મેં કેવા આલેખ્યા !!! આને શું કહેવું ? શું કરવું ? જ્ઞાનીની પ્રત્યેક વાત મૌલિક હોય. તેમની વાણીમાં કયાંય શાસ્ત્રની છાંટ નથી, અન્ય ઉપદેશકોની છાયા માત્ર નથી કે નથી કોઈ અવતારી પુરુષની ભાષા ! એમનાં દ્રષ્ટાંતો-સીમીલીઝ પણ આગવાં છે. અરે, તેમની સહજ સ્કૂર્તિ-રમૂજમાં પણ સચોટ માર્મિકતા ને મૌલિકતા જોવા મળે છે. અહીં તો પ્રત્યેકને પોતાની જ ભાષામાં પોતે પોતાનો ગુંચવાડો કાઢી રહ્યો છે, એવો નિવળ નીવળ અનુભવ થાય છે ! અનુભવ જ્ઞાન તો જ્ઞાનીના હૃદયમાં સમાયેલું છે. તે જ્ઞાન મેળવવા તૃષાતૂરે જ્ઞાનીના હૃદયકૃપમાં પોતાનો સમર્પણતારૂપ ઘડો ડૂબાડે, તો જ એ પરમતૃપ્તિને પામે ! જ્ઞાનીની જ્ઞાનવાણી, એમના અનુભવમાં આવતાં કથન તેમજ પોતાની ભૂલોની સામેથી હૃદયસાત્ થતી ચાવીઓ કે જે કોઈને જડે તેમ નથી. એમની શિશુસહજ નિખાલસતા ને નિર્દોષતા સ્વયં ડોકિયા કરી, તેમને જ્ઞાની તરીકે ખુલ્લા પાડે છે ! જ્ઞાનીનાં એક-એક વેણ અંતરની અગાશીમાં થૈ થૈ કરી મૂકે છે ! જે જે જ્ઞાની પાસે પોતાની અંતરવ્યથા લઈને ગયો, તેને જ્ઞાની તેની વ્યથા જેમ છે તેમ, તે જ ક્ષણે વાંચી એવી સહજ રીતે શમાવી દે છે કે જ્ઞાન એ તો શબ્દથી, સત્સંગથી કે સેવાથી જેમ છે તેમ પમાય તેવું નથી, એ તો જ્ઞાનીના અંતર આશયને સમજવાની દૃષ્ટિની ખીલવણીના સહારે સધાય છે, જે હર કોઈની આગવી અભિવ્યક્તિ અનુભૂતિ છે. આ વીતરાગ પુરુષને જેમ છે તેમ ઓળખવો છે. એ કઈ રીતે વળે તેમ છે ? આજ સુધી એવી કોઈ દૃષ્ટિ, એવું કોઈ માપદંડ જ મળ્યો નહોતો કે જેનાથી એને માપી શકાય. એ દૃષ્ટિ તો પૂર્વભવની કમાણીરૂપ, આત્માના અનંતમાંના એકાદ આવરણને ઠેઠ સુધી ખસેડીને, અંતરસૂઝના નિર્મળ કિરણે કરીને પમાય કે જેનાથી જ્ઞાનીની પારદર્શકતા પામી જવાય !
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy