________________
આપ્તવાણી-૫
૧૨૯
૧૩૦
આપ્તવાણી-૫
સાંભળીને ડૉક્ટરો બધા સજ્જડ થઈ ગયા ! તે છોકરો બચી ગયો. એ મરી જ જાત જો આ જ્ઞાન ના મળ્યું હોત તો. અડધું તો ‘સાયકોલોજિકલ ઇફેક્ટથી માણસ મરી જાય છે. મને શું થઈ ગયું ? શી રીતે થયું ? આ તો મટશે નહીં. જ્યારે રાજુ તો કહે કે ‘હું જુદો ને રાજુ જુદો.” હું જ્યારે દવાખાનામાં એને મળવા ગયો ત્યારે એ ખૂબ આનંદમાં હતો અને કહેવા લાગ્યો, “મારી જોડે રાજુ સૂઈ ગયો છે !”
બધા ડૉક્ટરો અહોહો થઈ ગયા ! આવો કેસ બનેલો જોયો જ નથી. આ શું છે બધું ? ત્યારે કહે કે, ‘દાદા છે આની પાછળ.” “આ જ્ઞાન’નો પ્રતાપ છે. એ પાછો ક્ષત્રિયકુળનો. દાદાએ કહ્યું કે, ‘તું જુદો જ છે, રાજુથી.’ એટલે એ જુદો જ માને અને તમારા વણિકકુળને તો અડ્યા વગર રહે છે?
પ્રશ્નકર્તા : અડે, દાદા. આ દાઝવાનું કયા કારણનું પરિણામ છે?
દાદાશ્રી : એ તો અમારાં ક્ષત્રિયોનાં કામ જ એવાં હોય. અશાતા વેદનીય કોઈને આપી હોય તો એટલી અશાતા વેદનીય આપણે ભોગવવી પડે, પછી કોઈ પણ દેહધારી હોય, મનુષ્ય હોય કે જાનવર હોય ! આ કંઈ પૈસા કમાવા જતાં નથી કરેલું. અશાતા વેદનીયનું આ ફળ છે. કોઈને સહેજ પણ દુઃખ થાય એવો ત્રાસ કરીએ ત્યારે આ ફળ આવે. ક્ષત્રિય લોકો અશાતા કરીયે જાણે ને ભોગવીએ જાણે. જ્યારે તમે અશાતા કરોય નહીં ને ભોગવાય નહીં.
પ્રશ્નકર્તા : આ પૂર્વભવનું હશે ને ? દાદાશ્રી : આ પૂર્વભવનાં ‘કૉઝિઝ'ની ‘ઇફેટ્સ’ છે.
માતાના પેટમાંથી બચ્ચું બહાર આવે છે, તેમાં તે તો ઊંધે માથે હોય છે. તેનાથી તો ફરાય નહિ. છતાં એ બહાર આવે છે તે મા ધકેલે છે કે ડૉક્ટર ખેંચે છે કે બચ્ચે આવે છે ? કોણ કરે છે આ? આ બધી ‘ઇફેર્સ” છે, પરિણામ છે. પૂર્વે જે કૉઝિઝ હતાં, તેનાં પરિણામ સ્વાભાવિક રીતે થાય.
મિત્ર શત્રુ કે શત્રુ મિત્ર ? “નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને, સૌ મિત્ર રાખે.”
માણસથી જો નીપજતું હોય તો આ બધાં શત્રુઓને મારી નાખીને મિત્રો જ રાખે. તોય શત્રુ વગરની ભૂમિકા ના થાય. એ મિત્રોમાંથી જ પાછા શત્રુ ઊભા થાય. એના કરતાં જો પેલા શત્રુ રહેવા દીધા હોત ને તો પેલા મિત્રો શત્રુ થાય ત્યારે પેલા શત્રુઓ મિત્રો થયા હોત ! ત્યારે એ કામ લાગે ! મારવા જેવું આ જગત નથી. કાયમી કશી વસ્તુ હોતી નથી. તમારે નક્કી ના કરવું કે આ કાયમનો મારો દુશ્મન છે.
પ્રશ્નકર્તા : ‘નમો અરિહંતાણં'માં જે બોલીએ છીએ ને આપે જે શત્રુ ને મિત્રની વાત કરી, તે શું ?
દાદાશ્રી : અરિહંતવાળી વાત તો, આંતરશત્રુઓ માટે છે. આંતરશત્રુઓ એટલે ક્રોધ-માન-માયા-લોભ જેણે હણી નાંખ્યા છે એવા અરિહંત ભગવાનને હું નમસ્કાર કરું છું.
સ્વાભાવિક થવામાં નૈમિત્તિક કારણો હોય છે. આંતરશત્રુઓને ઓળખો કે આ અમારા વિરોધી છે, તે શત્રુ છે. મારવામાં કોઈને નથી. શત્રુ પર દ્વેષ કરવાનો નથી. તો હવે આ શત્રુઓને મેં બોલાવ્યા છે કે શત્રુઓનો બોલાવેલો હું આવ્યો છું, એની તપાસ કરો. પછી શત્રુઓ કેવી રીતે જાય, એનાથી મુક્ત કેવી રીતે થવાય, તેની તપાસ કરો.
- સાધતા, સાધ્યભાવે-સાધતભાવે પ્રશ્નકર્તા : શત્રઓ હણવા માટે જે સાધના કરવાની ટેવ પડી ગયેલી છે તેનાથી એ હણાઈ જાય ખરા ?
દાદાશ્રી : એવું છે ને, સાધના બે પ્રકારની છે : (૧) સાધના, સાધ્યભાવ માટે જ કરવી તે (૨) સાધના, સાધના માટે કરવી તે.