SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૫ ૧૨૫ ૧૨૬ આપ્તવાણી-પ પ્રશ્નકર્તા : નિયતિવાદ એટલે પ્રારબ્ધવાદ એમ કહ્યું છે. દાદાશ્રી : પ્રારબ્ધ, નસીબ એ નિયતિ નથી. નિયતિ જુદી વસ્તુ છે. નિયતિ એટલે આ સંસારના જીવોનો જે પ્રવાહ ચાલી રહ્યો છે તે કોઈ નિયતિના કાયદાને અનુસરીને ચાલી રહ્યો છે; પણ બીજાં કારણો ઘણાં બધાં આવે છે, જેમ કે કાળ છે, ક્ષેત્ર છે. શુદ્ધ ચિટૂપ પ્રશ્નકર્તા : ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય ? દાદાશ્રી : આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા છો ને ? ચિત્તનો અર્થ લોકો પોતપોતાની ભાષામાં સમજે છે, ચિત્ત નામની વસ્તુ કોઈ જુદી છે એમ જાણે. ચિત્ત એટલે જ્ઞાન-દર્શન ભેગાં કરવાથી જે ભાવ ઉત્પન્ન થાય છે. ચિત્તની શુદ્ધિ કરવી એટલે જ્ઞાન-દર્શનની શુદ્ધિ કરવી. શુદ્ધાત્માને શું કહેવાય ? શુદ્ધ ‘ચિતૂપ’. જેનું જ્ઞાન-દર્શન શુદ્ધ થયું છે એવું જે સ્વરૂપ પોતાનું તે જ શુદ્ધ ચિતૂપ. પ્રશ્નકર્તા : સચ્ચિદાનંદ આપણે જે કહીએ છીએ તે ? દાદાશ્રી : સચ્ચિદાનંદ તો અનુભવદશા છે અને આ શુદ્ધાત્મા એ પ્રતીતિ ને લક્ષ દશા છે. એની એ જ વસ્તુ, શુદ્ધ ચિતૂપને શુદ્ધાત્મા, એક જ વસ્તુ છે. અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ ત્યારે તમારું ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે. હવે આ બુદ્ધિ એકલી જ હેરાન કરે, ત્યાં સાચવવાનું. બુદ્ધિને માનભેર વળાવી દેવી. જ્યાં પોતાનું સ્વરૂપ છે ત્યાં અહંકાર નથી. કલ્પિત જગ્યાએ ‘હું છું” બોલવું એ અહંકાર ને મૂળ જગ્યાએ ‘હું એને અહંકાર ના કહેવાય. એ નિર્વિકલ્પ જગ્યા છે. મનુષ્ય ને ‘હું તુંનો ભેદ ઉત્પન્ન થયો તેથી કર્મ બાંધે છે. કોઈ જાનવર બોલે કે ‘હું ચંદુલાલ છું ?” એમને ભાંજગડ જ નહીં ને ? એટલે આ આરોપિત ભાવ છે. એનાથી કર્મ બંધાય છે. તિ-અહંકારે નિરાકૂળતા જ્યાં અહંકાર શુન્યતા પર છે ત્યાં નિરાકૂળતા પ્રાપ્ત થાય. જ્યાં સુધી અહંકાર શૂન્યતા પર ના આવે ત્યાં સુધી નિરાકૂળતા એક ક્ષણવાર પ્રાપ્ત થાય નહીં. નિરાંત પ્રાપ્ત થાય. નિરાંત અને નિરાકૂળતામાં બહુ ફેર. પ્રશ્નકર્તા : એ ફેર સમજાવો. દાદાશ્રી : અહંકારી ગયા પછી નિરાકૂળતા ઉત્પન્ન થાય અને બધા સંયોગો ના હોય ત્યારે નિરાંત હોય. લોકો નિરાંત ખોળે. નિરાકૂળતા તો સિદ્ધનો ૧|૮ ગુણ છે. પ્રશ્નકર્તા : મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, તેમાં વધારેમાં વધારે શક્તિ તો ચિત્તની છે ને ? દાદાશ્રી : એવું છે ને, ચિત્ત એ મિશ્રચેતન છે અને પેલાં તો સ્વભાવે પુદ્ગલ છે. ચિત્ત એ જ્ઞાન-દર્શન છે. એ શુદ્ધ થઈ જાય તો શુદ્ધાત્મા થઈ જાય અને જ્યાં સુધી આ સંસારની જેને વાત ગમતી હોય, સંસારમાં જ ચિત્ત ભટક ભટક કરતું હોય તો શુદ્ધાત્મા ના હોય. આ જ્ઞાનના પ્રભાવથી ચિત્ત શુદ્ધ થાય એટલે ‘સ્ટેડીનેસ' (સ્થાયી) થાય. આધાર-આધારી સંબંધ પોતાનો બનાવેલો મહેલ હોય તો તો પાડી નાખીએ. પણ આ તો મહેલ પ્રકૃતિનો બનાવેલો છે. માટે પદ્ધતિસર સમજી સમજીને કરવા જેવું છે. ‘જ્ઞાની પુરુષ' જાણે કે આ મહેલ શી રીતે ચણાયેલો છે ને આનું કાંગરું ક્યાં મૂકેલું છે, શું કરવાથી પહેલો માળ તૂટી જાય, પછી બીજો માળ ઊંડે એ બધુંય ‘જ્ઞાની’ જાણે. પોતે આધાર આપતા હતા તેનાથી જગત ઊભું હતું. ‘હું ચંદુભાઈ છું ત્યાં સુધી આધાર આપતા હતા તમે, હવે ‘હું શુદ્ધાત્મા છું' તે આધાર આપવાનું બંધ થયું એટલે નિરાધાર થયું, એટલે બધી વસ્તુ પડી જાય. આ હાથના આધારે વસ્તુ રહી છે, હાથ ખસેડ્યો તો વસ્તુ પડી જાય. બાકી છોડ્યું છૂટે નહીં.
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy