________________
આપ્તવાણી-૫
૧૦૯
૧૧૦
આપ્તવાણી-૫
નાલાયક છે' એમ કહેતાંની સાથે જ સાક્ષીભાવ રહે નહિ. ગજવું કપાય તોય સાક્ષીભાવ રહે નહિ, કારણ કે અહંકારથી સાક્ષીભાવ રહે છે. સાક્ષીભાવનો અર્થ શો છે ? ખરી રીતે સાક્ષીભાવ એ એક વીતરાગ થવાનું સ્ટેપ છે, સાચું સ્ટેપ છે. સાક્ષીભાવ અને દ્રષ્ટાભાવમાં ઘણો ફેર
દાદાશ્રી : યોગસાધનાથી શું ના થાય ? પણ શેનો યોગ ? પ્રશ્નકર્તા : આ સહજ રાજયોગ કહે છે તે યોગ. દાદાશ્રી : હા, પણ શેને રાજયોગ કહો છો ? પ્રશ્નકર્તા : મનની એકાગ્રતા થાય.
દાદાશ્રી : તેમાં આત્માને શો ફાયદો ? તમારે મોક્ષ જોઈએ છે કે મનને મજબૂત કરવું છે ?
પ્રશ્નકર્તા : ખાલી પરમાત્માનાં દર્શનની વાત કરું છું.
દાદાશ્રી : તો પછી મનને બિચારાને શું કામ વગર કામના હેરાન કરો છો ? એકાગ્રતા કરવાનો વાંધો નથી, પણ તમારે પરમાત્માનાં દર્શન કરવાં હોય તો મનને હેરાન કરવાની જરૂર નથી.
પ્રશ્નકર્તા : એકાગ્રતાથી શૂન્યતા આવે ખરી ?
દાદાશ્રી : આવે ખરી, પણ તે શૂન્યતા ‘રિલેટિવ' છે. ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે.
પ્રશ્નકર્તા : તે વખતે આ મન અને બુદ્ધિ શું કરે ?
દાદાશ્રી : થોડી વાર સ્થિર થાય પછી તેનું તે જ. એમાં “આપણું કશું નહીં. આપણું ધ્યેય પૂરું થાય નહીં અને યોગ “ઍબવ નોર્મલ થઈ ગયો તો એ મહાન રોગિષ્ઠ છે. મારી પાસે યોગવાળા ઘણા આવે છે. તે અહીં દર્શન કરવા અંગૂઠે અડે તે પહેલાં તો એનું આખું શરીર ધ્રુજે, કારણ કે ‘ઇગોઇઝમ” ઊભરાય. જ્યાં જયાં કરો તેનો કર્તાપણાનો અહંકાર વધશે તેમ પરમાત્મા છેટા જશે.
જ્યાં આત્માના ગુણ નથી, ત્યાં આત્મા નથી. આ સોનું છે તે તેના ગુણમાં હોય ત્યાં સુધી ત્યાં પોતે હોય. બીજાના ગુણમાં પોતે ના હોય. આ સંસારમાં જે દેખાય છે તે બીજાના ગુણ છે બધા. ત્યાં પોતે હોય નહીં. પોતે જ્ઞાતા-દ્રષ્ટા હોય, પણ ભળેલો ના હોય. આત્મા ભેળસેળિયો નથી. નિર્ભેળ છે.
ક્રમિક માર્ગમાં બધા જાગૃતિ લાવવાના રસ્તાઓ છે. એમાં જાગૃતિ વધતી જાય. જેટલાથી વીતરાગ થયો એટલી જાગૃતિ એને રહે ને જેટલામાં રાગ-દ્વેષ છે ત્યાં જાગૃતિ ના હોય એને. વ્યાખ્યાનમાં રાગ-દ્વેષ છે. લોકોની વાતચીતોમાં રાગ-દ્વેષ છે. ભલું કરવામાં રાગ-દ્વેષ છે. શુભ કરવામાં રાગદ્વષ છે. એમાં એમને જાગૃતિ ના હોય. રાગ-દ્વેષને લીધે જાગૃતિ અટકે છે. જેને તપ ઉપર રાગ પડી ગયો હોય, પછી એને બીજું કશું સૂઝે નહીં.
સેકે જીવ સ્વછંદ તો .. સ્વછંદ છોડે તો મોક્ષ પામે. ગુરુ પણ સ્વચ્છંદી ના જોઈએ. ગુરુ સ્વચ્છંદી તો પછી શિષ્યય સ્વચ્છંદી.
પ્રશ્નકર્તા : ગુરુ સ્વચ્છંદી કેવી રીતે ના હોય ?
દાદાશ્રી : સ્વચ્છંદી જ હોય ને. ગુરુના ગુરુ સ્વચ્છંદી એટલે સ્વચ્છંદીનું જ તોફાન. ગૃહસ્થીઓય સ્વચ્છંદી ને ત્યાગીઓ પણ સ્વચ્છંદી. સ્વચ્છંદી માણસને કેફ ચઢે. ‘સ્વચ્છેદ કોને કહેવાય” એટલું સમજે તોય બહુ થઈ ગયું.
અમારી આજ્ઞામાં રહે તે સ્વચ્છંદની બહાર નીકળી ગયો. પછી
સાક્ષીભાવ પ્રશ્નકર્તા : સાક્ષીભાવ એટલે અંત આવી ગયો ને ? દાદાશ્રી : બધી બાબતમાં સાક્ષીભાવ રહેવો જોઈએ. “ચંદુભાઈ