SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૫ મન મેસ્ક્યુલાઈન જેન્ડર નથી, ફેમિનાઈન જેન્ડર નથી, એ ન્યુટ્રલ છે. માટે ગભરાવાનું કોઈ કારણ નથી. તમારે જ્ઞાનની જાગૃતિ રાખવાની કે આપણને દાદાએ કહ્યું છે કે આપણે જ્ઞાતા-દ્રષ્ટા છીએ. છો ને બૂમ પાડતા હોય, પાડવી હોય તેટલી પાડે. તે ઘડીએ આપણે જરા સ્થિરતા પકડી લેવી. પાસે. ૩૯ ગો ૐ દાહ્ય ! અને બહુ દુઃખ આવી પડે ત્યારે તમારે કહેવું કે જાઓ ‘દાદા’ પ્રશ્નકર્તા : પણ દાદા, એવું અમારું દુઃખ તમને અપાય ? દાદાશ્રી : હા, હા. દાદાને જ બધું આપી દેવાનું ને કહીએ કે “જા, દાદાની પાસે. અહીં શું છે ? ઇધર કયા હૈ ? સબ દે દિયા દાદાકો. અબ ઇધર ક્યોં આયા ?’ પ્રશ્નકર્તા : સુખય આપી દેવાનું ? દાદાશ્રી : ના, સુખ નહીં. સુખ તમારી પાસે રાખવાનું. મને સુખનો શોખ નથી એટલે તમારી પાસે રાખવાનું. તમારાથી દુઃખ જો સહન ના થાય તો મારી પાસે મોકલી દેવાનું. બે-પાંચ વખત દુઃખનું અપમાન કરો કે ઇધર ક્યોં આયા હૈ ? દાદા કો દે દિયા હૈ એટલે એ ઊભું ના રહે. આ પુદ્ગલનો ગુણ કેવો છે કે અપમાન થાય તો ઊભું ના રહે. જે ‘દાદા ભગવાન’ છે તે અચિંત્ય ચિંતામણિ છે. જેવો ચિંતવે તેવો થાય. મુશ્કેલીમાં તેમને ચિંતવો તો મુશ્કેલીઓ બધી જતી રહે. જેવું ચિંતવો તેવું ફળ આપે. પછી આપણે શા માટે ભડકવાની જરૂર ? સર્તતતો અણગમો ! પ્રશ્નકર્તા : કેટલીક વાર સારું વર્તન કરે તોય આપણને ના ગમે. આપ્તવાણી-૫ દાદાશ્રી : ગમવાનો હિસાબ ચૂકતે થઈ ગયો, પછી ના ગમે. ગમતું હોય તો બધું સારું લાગે ને ના ગમતું હોય તો બધુંય ખોટું લાગે. આપણે ના ગમતા પર દ્વેષ નહીં કરવાનો. ८० પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ નથી થતા, પણ એક વાર અભાવ આવી ગયો પછી ભાવ જ ના થાય કોઈ પણ રીતે ! દાદાશ્રી : તું રંગ આપ આપ કરું કે બહુ સારા માણસ છે, તોય ના ચઢે. હિસાબ ચૂકતે થઈ ગયો. આ ઘર વેચાઈ ગયા પછી એની પર ભાવ રહે છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : અને વેચાતાં પહેલાં ? કંઈ ઊંચુંનીચું થયું હોય તોય મનમાં રહ્યા કરે. હિસાબ ચૂકતે થયો કે ચાલ્યું. સંસારાતુગામી બુદ્ધિ મતમાં ફરેલો હોય તેના સંસ્કાર જાય નહીં એકદમ. એ બધા સંસ્કાર સામા આવે એટલે પહેલેથી તમને ચેતવી દઉં છું. આ અલૌકિક વિજ્ઞાન છે. આની બધી જ વાત અલૌકિક છે. અહીં લૌકિક છે જ નહીં ! લૌકિક એટલે મતાગ્રહી. એ પછી દિગંબરી હોય કે શ્વેતાંબરી હોય, સ્થાનકવાસી હોય કે દેરાવાસી હોય, તેરાપંથીમેરાપંથી જાતજાતના પંથવાળા, વૈષ્ણવ ધર્મ હોય, શિવ ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય. બધા લૌકિક ધર્મો કહેવાય. એ કંઈ ખોટું નથી. સારું કર્યું હોય તો પુણ્યે બંધાય અને તેમાં આગળ પછી ઘોડાગાડી, મોટર, બંગલા બધું મળે અને ‘આ’ અલૌકિક ધર્મથી મોક્ષ મળે. પ્રશ્નકર્તા ઃ તમારી છાયામાં આવ્યા પછી બુદ્ધિ જો છેતરે તો એના જેવો દુર્ભાગી જીવ કોઈ નહીં. દાદાશ્રી : ના, તોય છેતરે. બહુ હોશિયારને પણ છેતરે. માટે તમે ઓળખી રાખો. બુદ્ધિ કંઈ પણ સલાહ આપવા આવે ત્યારે તેને
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy