SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-પ ૩૮ આપ્તવાણી-પ પ્રશ્નકર્તા : વાણીમાં જે ઊતરે, તો એ એટલા અંશે બૌદ્ધિક ના થઈ ગયું કહેવાય ? દાદાશ્રી : ના, એવો કંઈ નિયમ નથી. વાણીમાં તો ‘ડાયરેક્ટ’ પ્રકાશ બધોય ઊતરે અને ‘ઈનડાયરેક્ટ’ પણ બધોય ઊતરે. વાણીને એવી કશી લેવાદેવા નથી. પ્રશ્નકર્તા : ‘ડાયરેક્ટ’ પ્રકાશ પહોંચાડવા માધ્યમની મર્યાદા વાણીને નડે કે નહીં ? પ્રશ્નકર્તા : આપણને કંઈ વિચાર ઊઠતા હોય તે. દાદાશ્રી : હા, પણ તે અંતર ભેદાયું હોય તેને માટે એ કામનું છે. અંતર ભેદાયું ના હોય, વિચારો ઊઠતા હોય, તેમાં તન્મયાકાર થઈ જાય પછી શું દેખાય ? અંતર ભેદાયું હોય તે તો વિચારમાં તન્મયાકાર ના થાય ને તેને જુએ કે શું મને વિચાર આવ્યો ? પણ અંતરભેદ થવો બહુ સહેલો નથી. એ ‘જ્ઞાની પુરુષ' વગર અંતરભેદ ના થાય. ભેદ તો પડવો જોઈએ ને આપણને ? અહંકાર ભેદ ના પડવા દે. જેની દૃષ્ટિ બહાર જ છે, લૌકિકમાં રાચેલો છે. એને અંદર શું જોવાનું ? એની રમણતા ક્યાં છે તે ઉપર દૃષ્ટિનો આધાર છે. જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અંદર કશું દેખવા જેવું જ નથી. ફક્ત શુભ ઉપયોગ રાખે પણ એ કંઈ મોક્ષમાર્ગ નથી, ધર્મમાર્ગ છે એટલે એને ને મોક્ષને કંઈ લેવાદેવા નથી. તમે અંદર ગમે તેટલો ઉપયોગ રાખશો પણ તે શુદ્ધ ઉપયોગ તો નહીં ગણાય. શુદ્ધ ઉપયોગ તો ‘જ્ઞાની પુરુષ’ ‘જ્ઞાન’ આપે પછી રહે. “જ્ઞાન” કર્યું? આત્મજ્ઞાન. ‘હું કોણ છું’ એ નક્કી થાય. અને તે પાછું ભાન સહિત હોવું જોઈએ. શુદ્ધ ઉપયોગ એ મોક્ષમાર્ગ છે. અને તમે કહો છો એ બધા શુભ ઉપયોગ છે. અશુભમાંથી શુભમાં આવવાનો એ માર્ગ દાદાશ્રી : ‘ડાયરેક્ટ' પ્રકાશવાળી વાણી સ્યાદ્વાદ હોય. કોઈને કિંચિતમાત્ર દુઃખ ના થાય એવી એ વાણી હોય. બુદ્ધિવાળી વાણી કોઈને દુઃખદાયી થઈ જાય. કારણ કે બુદ્ધિવાળી વાણીમાં અહંકાર રૂપી ‘પોઈઝન’ હોય છે. પ્રશ્નકર્તા : વીતરાગ વાણી હોય પણ ઝીલનારી સામી બુદ્ધિ હોય તો એ વીતરાગતા સમજી શકે ખરી ? દાદાશ્રી : બુદ્ધિ સમજી શકે ખરી, પણ તે પોતાની મેળે ના સમજે. એ તો ‘જ્ઞાની પુરુષ' પાસે સમ્યક્ થાય ત્યારે ઝીલી શકે. પ્રશ્નકર્તા : ઝીલનારો જે હોય એ તો એની બૌદ્ધિક શક્તિથી ઝીલે ને ? કે એની મર્યાદા હોય પાછી... દાદાશ્રી : હા, એ બૌદ્ધિક શક્તિથી ઝીલે છે પણ એ “જ્ઞાની પુરુષ'ની હાજરીમાં જ એ બુદ્ધિ પકડી શકે છે, બીજી જગાએ બુદ્ધિ પકડી શકે નહીં. કારણ કે ‘જ્ઞાની પુરુષ'ની હાજરીમાં નીકળેલી વાણી આવરણો ભેદી ‘ડાયરેક્ટ’ આત્માને પહોંચે છે અને આત્માને પહોંચે છે એટલે તરત તમારાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર પકડી લે છે. અમારી વાણી આત્મામાંથી પાસ થઈને નીકળેલી હોય છે. જગતની વાણી મનમાંથી પાસ થઈને નીકળેલી હોય છે. એટલે એને મન ‘એક્સેપ્ટ' કરે ને અહીં આત્મા ‘એક્સેપ્ટ’ કરે. પણ પછી પાછું મન, બુદ્ધિ એને પકડી અધ્યાત્મ અને બૌદ્ધિક્તા પ્રશ્નકર્તા : અધ્યાત્મના અનુભવ વિશે દાદા પાસે કે કોઈ પણ વીતરાગ પુરુષ પાસે આપણે ઉત્તરો મેળવીએ, તો એ બૌદ્ધિક અર્થઘટન ગણાય કે ? દાદાશ્રી : તમારી પાસે આવ્યું એટલે બૌદ્ધિક થઈ ગયું. તમારે બુદ્ધિથી સમજવા માટે બૌદ્ધિક થઈ ગયું. બાકી આમ તો જ્ઞાન પ્રકાશ છે ! બુદ્ધિ તો અમારામાં હોય જ નહીં ! એટલે અમે જ્ઞાનના ‘ડાયરેક્ટ' પ્રકાશથી જ વાત કરીએ. અમારી પાસે પુસ્તકનીય વાત ના હોય.
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy