________________
આપ્તવાણી શ્રેણી - ૫
આત્મા, આત્મધર્મમાં...
દાદાશ્રી : આત્મા શું કાર્ય કરે છે ?
પ્રશ્નકર્તા : આત્મા તો જ્ઞાતા-દ્રષ્ટા છે.
દાદાશ્રી : પણ તમે તો કહો છો ને કે ‘હું સાંભળું છું.' તમે આત્મા છો કે સાંભળનારા છો ?
પ્રશ્નકર્તા : ‘હું આત્મા છું.’
દાદાશ્રી : પણ આત્મા તો સાંભળે નહીં, કાન જ સાંભળે ને ? પ્રશ્નકર્તા : પુદ્ગલનો ને આત્માનો સંયોગ થયો ને ? દાદાશ્રી : પણ આત્મા સાંભળતો હશે કે કાન ? પ્રશ્નકર્તા : સાંભળે છે આત્મા, કાન તો જડ છે. દાદાશ્રી : તો પછી બહેરાને બોલાવીને પૂછી જુઓ ને ? બહેરામાં આત્મા નથી ? તો કોણ સાંભળે છે ?
પ્રશ્નકર્તા : આત્મા ના હોય તો પુદ્ગલની કોઈ ઈન્દ્રિય કામ કરે નહીં.
દાદાશ્રી : હાજરીને લઈને તો આ જીવન કહેવાય છે, પણ સાંભળે છે કાન કે આત્મા ? જો આત્મા સાંભળતો હોય તો બહેરો માણસ સાંભળી શકે. તો કહો હવે કે ‘કોણ સાંભળે છે ?”
ર
તો !
આપ્તવાણી-૫
પ્રશ્નકર્તા : કાન દ્વારા સંભળાય છે, પણ જો ચેતન તત્ત્વ હોય
દાદાશ્રી : હવે ચેતન તત્ત્વ તો કોઈ દહાડોય કશું સાંભળતું જ નથી. એ તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી છે ! અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશક્તિ, અનંતચારિત્ર એમાં છે ! તો શું સાંભળવાનો ગુણ આત્મામાં છે એવું તમારા માન્યામાં આવે છે ?
આત્મા સાંભળતો જ નથી. આત્મામાં સાંભળવાનો ગુણ જ નથી. જેમ આ સોનાને કાટ ચઢવાનો ગુણ નથી, તેમ આત્મામાં સાંભળવાનો ગુણ નથી. બોલવાનોય ગુણ નથી.
પ્રશ્નકર્તા : પણ ચૈતન્યતત્ત્વ હોય તો કાન સાંભળે ને ?
દાદાશ્રી : ચૈતન્યતત્ત્વની હાજરીથી જ આ બધું જગત ચાલે છે. જો ચૈતન્યતત્ત્વ આ શરીરમાં ના હોય, આત્મા ના હોય તો આ શરીર ખલાસ થઈ જાય, પણ એ ચૈતન્યતત્ત્વ આ સાંભળતું નથી.
પ્રશ્નકર્તા : તો કોણ સાંભળે છે, એ આપ સમજાવો.
દાદાશ્રી : વાત તો સમજવી જ પડશે ને ? આત્મા જો સાંભળે છે એવું કહે તો આત્મા બોલે છે, મારા આત્માનો અવાજ બોલે છે એવું કહેવાય. લૌકિક ભાષામાં ગમે તેમ ચાલવા દેવાય, પણ ભગવાનની અલૌકિક ભાષામાં એ ‘એક્સેપ્ટ’ થશે નહીં.
આ તમારી જોડે બોલે છે, તે કોણ બોલે છે ?
પ્રશ્નકર્તા : આપ બોલો છો.
દાદાશ્રી : ‘દાદા ભગવાન' બોલે, તો આ ટેપરેકોર્ડર' પણ બોલે આ બે હજારમાં મળે એટલે ‘દાદા ભગવાન’ની કિંમત બે હજારની
!!!
છે તે
થઈ
પ્રશ્નકર્તા : આ બાબત આપ સમજાવો.
દાદાશ્રી : આ ‘દાદા ભગવાન’ નથી બોલતા, આ તો ‘ઓરીજનલ