________________
૧૭ર
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
૧૭૩
પ્રશ્નકર્તા : ડૉકટરે કહ્યું કે “તમને બ્લડ પ્રેસર છે.' તો એણે અમુક ના ખાવું જોઈએ. છતાં એ ના માને અને ખાય, તો મારે ડૉકટરની પાસે દોડવું જ પડે ને ?
દાદાશ્રી : મારું કહેવાનું કે ડૉકટરને જ ‘બ્લડ પ્રેસર’ થયેલું હોય છે ને ?
બધાને ફફડાવીને હેરાન કરી નાખો છો તે તમને શોભે નહીં.
પ્રશ્નકર્તા : તો પછી શું કરવું ?
દાદાશ્રી : પોતાનો ફેરફાર કરવાનો છે. પોતે એવો બને કે ક્યારેય કોઈ કપટ એની પાસે કરે જ નહીં. મારી પાસે કોઈ કપટ કરતું જ નથી. આપણા મનમાં કપટ હોય તો જ સામો માણસ કપટ કરે અને આપણા મનમાં કપટ ના હોય તો કોઈ કપટ કરે જ નહીં ! આપણો જ ફોટો છે આ બધો
પ્રશ્નકર્તા ઃ આપણી લેણદેણ હશે, તેથી સામો કપટ કરે છે ?
દાદાશ્રી : હિસાબને તો આપણે ‘લેટ ગો કરીએ છીએ. હિસાબ નિવારી શકાય એમ નથી. હિસાબ તો મને મળ્યો, તેય નિવારી ના શકાય.
કશો તમારાથી ફેરફાર થાય એમ નથી. આ બુમો પાડવાનો અર્થ જ શો છે તે ? પહેલાંનું એલાનું કપટ તો તેવું ને તેવું જ રહે છે. ઊલટો એ વધારતો જાય. તમે બૂમાબૂમ કરો એટલે પેલો મનમાં કહેશે કે આમનામાં કશી બરકત નથી અને ખોટી બૂમાબૂમ કરે છે ! એટલે પેલો પોતાની ભૂલ વધારતો જ જાય અને તમને પી જાય !
પ્રશ્નકર્તા : એનો રસ્તો શો ?
દાદાશ્રી : એના ઉપર આપણો એવો પ્રભાવ પડે કે એ કપટ જ ના કરે. આપણે આ બીજા બધા રસ્તા કરવાની જરૂર નથી. ગુસ્સો કરો છો, એના કરતાં મૌન રહો ને. ગુસ્સો એ હથિયાર નથી.
પ્રશ્નકર્તા: કપટથી કોઈ માણસ માલ ચોર્યા કરતો હોય તે આપણે જોયા કરવું ?
દાદાશ્રી : એના માટે ગુસ્સો એ હથિયાર નથી. બીજાં કોઈ હથિયાર વાપરો ને ? એને બેસાડીને એમને સમજાવીએ, વિચારણા કરવા કહીએ, તો બધું ઠેકાણે આવી જાય.
‘આ શા આધારે ખાય છે તે તમે જાણતા નથી. આપણે તો એક ફેરો કહીં જોવાનું કે ડૉકટરે તમને મરચાં ખાવાની ના પાડી છે. પછી જો આપણો પ્રભાવ પડ્યો તો સાચો ને ના પડ્યો તોય સાચો. તમારો પ્રભાવ પડતો નથી ને ડૉક્ટરનોય પ્રભાવ પડતો નથી.
પ્રશ્નકર્તા : અમે મરચું ખાતા રહીએ ને બીજાને મરચું બંધ કરાવીએ તો તેનો પ્રભાવ પડતો નથી ને ?
દાદાશ્રી : એવું હું કરાવતો જ નથી. મને જેટલો ત્યાગ વર્તે છે. એટલો જ ત્યાગ તમને હું કરાવડાવું છું અને તે તમારી ઇચ્છા હોય તો, નહીં તો હું કહું કે પૈણ બા. લે પૈણ !
આપણે કચકચ કરીએ કે અથાણું ના ખાશો, મરચું ના ખાશો. એટલે પેલા મનમાં ચિડાયા કરે કે આ સામો ક્યાં આવ્યો ?
તમારા મનમાં કદી એમ થાય કે હું ના હોઉં તો શું થાય ? ત્યારે ‘આપણે નથી જ' એવું માનો ! વગર કામના ઇગોઇઝમ કરવા કરતાં!
‘મરચાં ના ખાશો’ એ ડૉકટરનું જ્ઞાન આપણે હાજર કરવું. પણ એનો સ્વીકાર કરવો કે ના કરવો, એ તો એની મરજીની વાત છે.
મેં કોઈને કહ્યું હોય કે, આમ કરજે. ત્યારે એ જુદું જ કરે. એટલે હું એને કહ્યું કે, “આવું કરવાથી તો શો ફાયદો થશે ?” એટલે એ કહે કે હવેથી નહીં કરું. - તેના બદલે જો હું એમ કહ્યું આવું, ‘તું કેમ કરે છે? તું આવો છે ને તું તેવો છે.” ત્યારે એ ઢાંકશે, ‘ઓપન નહીં કરે.