________________
આપ્તવાણી-૬
૧૫૫
૧પ૬
આપ્તવાણી-૬
મશ્કરીથી વચનબળ તૂટે !
પ્રશ્નકર્તા : વચનબળ કેવી રીતે ઉત્પન્ન થાય ?
દશાય એવી થશે ! આવો નિયમ જ છે ! માટે આ દશાઓ સાચવો.
પ્રશ્નકર્તા : મારાથી તો મોટાની મશ્કરી થઈ જાય છે.
દાદાશ્રી : એવું છે કે તમે તો અત્યારે આ વાત જાણી કે મશ્કરી કરવી એ ગુનો છે, હું તો નાની ઉંમરમાં જાણતો હતો, તોય આઠ-દસ વર્ષ સુધી મશ્કરી થયા કરી. તમને તો બહુ ઝપાટાબંધ જતી રહેશે.
છતાંય એવી મશ્કરી કરવામાં વાંધો નથી કે જેનાથી કોઈને દુઃખ ના થાય અને બધાને આનંદ થાય. એને નિર્દોષ ગમ્મત કહી છે. એ તો અમે અત્યારેય કરીએ છીએ, કારણ મૂળ જાય નહીં ને ? પણ એમાં નિર્દોષતા જ હોય !
şticilal Flexibility
દાદાશ્રી : એક પણ શબ્દ મશ્કરી માટે વાપર્યો ના હોય, એક પણ શબ્દ ખોટા સ્વાર્થ કે પડાવી લેવા માટે ના વાપર્યો હોય, શબ્દનો દુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય, ત્યારે વચનબળ ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા : પોતાના માનને માટે અને સ્વાર્થ માટે બરોબર છે, પણ મશ્કરી કરી તેમાં શો વાંધો છે ?
દાદાશ્રી : મશ્કરી કરી તે તો બહુ ખોટું. એના કરતાં માન કરો તે સારું ! મશ્કરી તો ભગવાનની થઈ કહેવાય ! તમને એમ લાગે છે કે આ ગધેડા જેવો માણસ છે, પણ એ તો ભગવાન છે !
‘આફટર ઓલ” એ શું છે, એ તપાસ કરી લો ! ‘આફટર ઓલ’ તો ભગવાન જ છે ને ?
મને મશ્કરીની બહુ ટેવ હતી. મશ્કરી એટલે કેવી કે બહુ નુકસાનકારક નહીં, પણ સામાને મનમાં અસર તો થાય ને ? આપણી બુદ્ધિ વધારે વધેલી હોય, તેનો દુરુપયોગ શેમાં થાય ? ઓછી બુદ્ધિવાળાની મશ્કરી કરે એમાં ! આ જોખમ જ્યારથી મને સમજાયું, ત્યારથી મશ્કરી કરવાની બંધ થઈ ગઈ. મશ્કરી એ કંઈ થતી હશે ? મશ્કરી એ તો ભયંકર જોખમ છે, ગુનો છે ! મશ્કરી તો કોઈનીય ના થાય.
પ્રશ્નકર્તા પણ વધારે બુદ્ધિવાળાની મશ્કરી કરીએ, તો શો વાંધો ?
દાદાશ્રી : ના, પણ ઓછી બુદ્ધિવાળો મશ્કરી સ્વાભાવિક રીતે કરે જ નહીં ને ?
પ્રશ્નકર્તા : રમકડાં જેવાં નાનાં નાગોડિયાં છોકરાં જોડે તમને ફાવે છે કેમનું?
દાદાશ્રી : અમે “કાઉન્ટર પુલી'ના સેટ રાખીએ છીએ. એટલા બધા સેટ રાખીએ છીએ કે કોઈ માણસ અહીં આવ્યો કે તેવી જ અમારે કાઉન્ટર પુલી’ ગોઠવી દેવાની. એટલે આવું બાળક આવે ને મને “જે. જે કરે, તો મારે એની જોડે વાતચીત કરવી પડે. અમારાથી બાળક ક્યારેય પણ ભય ના પામે.
પ્રશ્નકર્તા : આપની સમકક્ષાનું આવે તો શું કરો ?
દાદાશ્રી : આની સમકક્ષા હોતી જ નથી. આ અજોડ પદ ગણાય છે. શાસ્ત્રકારોએ જ આને અજોડ કહ્યું છે.
અમને ટ્રેનમાં કોઈ મળે ને અમે ‘જ્ઞાની’ છીએ એમ એ જાણતો ના હોય, તોય અમે પુલી ગોઠવી દઈએ, અમે પેસેન્જર છીએ એવી.
અમારી સમકક્ષાનો આવે તો તો હું એનો શિષ્ય થઈ જાઉં. અમે તો પહેલેથી નક્કી કરેલું છે કે દરેકના શિષ્ય થઈ જવું. એટલે એને અડચણ ના પડે. જે શિષ્ય થાય તે જ પોતાનો ગુરુ થશે, માટે ચેતીને
કોઈ ભગવાન આમ આમ ચાલતા હોય એને આપણાં લોકો હસે. અલ્યા, શું મશ્કરી કરે છે ? મહીં ભગવાન સમજી ગયા બધું ! ભગવાનની આવી દશા થઈ, તેની પર તું મશ્કરી કરું છું એમ ? તારી