________________
આપ્તવાણી-૬
સિદ્ધક્ષેત્રમાં તો દેહ ના હોય. આ દેહનોય ભાર છે. તેનાથી દુઃખ છે. જ્ઞાનીઓને દેહનું મોટું વજન લાગ્યા કરે.
પ્રશ્નકર્તા : આ દેહ છે, એ કર્મનું પરિણામ જ છે ને ? દાદાશ્રી : હા, તે કર્મનું જ પરિણામ ને.
પ્રશ્નકર્તા ઃ કર્મની સંપૂર્ણ નિર્જરા થવી જોઈએ ને ? દાદાશ્રી : કર્મની સંપૂર્ણ નિર્જરા થાય એટલે એ જાય. શુદ્ધ ચિત્ત થાય એટલે કર્મની નિર્જરા થઈ ગઈ કહેવાય.
૮૩
પ્રશ્નકર્તા : અવ્યવહાર રાશિમાં જ્ઞાતાપણું ને સંયોગ ખરા ?
દાદાશ્રી : એમાં તો કોથળામાં ઘાલેલા જેવું હોય ! ત્યાં તો પાર વગરનું દુઃખ હોય.
પ્રશ્નકર્તા : એમાં અસ્તિત્વનું ભાન હોય ખરું ?
દાદાશ્રી : અસ્તિત્વનું ભાન છે, તેથી દુઃખ અનુભવે છે. પ્રશ્નકર્તા : નર્કગતિમાં શું હોય છે ?
દાદાશ્રી : નર્કગતિમાંય પાંચ ઇન્દ્રિયોનાં દુ:ખો હોય છે. સાતમી નર્કનાં દુઃખો સાંભળે તો માણસ મરી જાય ! ત્યાં તો ભયંકર દુ:ખો હોય !! અવ્યવહાર રાશિના જીવોને આટલાં ભયંકર દુઃખો ના હોય. એમને ગૂંગળામણ થાય.
બુદ્ધિ, શણગારે જ્ઞાતી
આપણા લોકો બુદ્ધિને ‘જ્ઞાન’ કહે છે, પણ બુદ્ધિ એ ‘ઇનડાયરેક્ટ’ પ્રકાશ છે, જ્યારે ‘જ્ઞાન’ એ આત્માનો ‘ડાયરેક્ટ’ પ્રકાશ છે.
પ્રશ્નકર્તા : બુદ્ધિ પૂરી ક્યાં થાય અને પ્રજ્ઞા શરૂ ક્યાં થાય છે ?
દાદાશ્રી : બુદ્ધિ પૂરી થતાં પહેલાં પ્રજ્ઞાની શરૂઆત થઈ જાય છે. ‘જ્ઞાનીપુરુષ’ મળે ને એ આત્મા પ્રાપ્ત કરાવડાવે એટલે પ્રજ્ઞાની શરૂઆત
આપ્તવાણી-૬
થઈ જાય. એ પ્રજ્ઞા જ મોક્ષે લઈ જાય. પ્રજ્ઞા મહીં નિરંતર ચેતવ ચેતવ કર્યા કરે અને બુદ્ધિ મહીં ડખોડખલ કર્યા કરે.
પ્રશ્નકર્તા : પણ બુદ્ધિનું કંઈ ‘પોઝિટિવ ફંકશન’ હશે ને ?
ex
દાદાશ્રી : બુદ્ધિનું ‘પોઝિટિવ ફંકશન’ એ કે ‘જ્ઞાનીપુરુષ'ની પાસે જો કદી બુદ્ધિ સમ્યક કરાવી હોય તો તે ચાલે. પોતાની સમજણે ચાલે તે વિપરીત બુદ્ધિ. એ વ્યભિચારિણી બુદ્ધિ કહેવાય. કૃષ્ણ ભગવાને અવ્યભિચારિણી બુદ્ધિ તેને કહી કે જે ‘જ્ઞાનીપુરુષ’ પાસે બુદ્ધિને ‘ગિલેટિંગ’ કરાવી લીધેલી હોય તે. અમારી પાસે બેસો એટલો વખત તમારી બુદ્ધિ સમ્યક
થવા માંડે.
પ્રશ્નકર્તા : પણ પછી અમે જતા રહીએ, ત્યારે પછી શું થાય ? દાદાશ્રી : અમારી પાસે બેસો ને જેટલી બુદ્ધિ ‘ગિલેટ’ થઈ ગઈ, એ પછી સમ્યક થઈ જાય. એ બુદ્ધિ પછી તમને પજવે નહીં, ને તમારી જેટલી વિપરીત બુદ્ધિ હોય તે તમને પજવે.
પ્રશ્નકર્તા : અમારી બધી જ બુદ્ધિ સમ્યક બુદ્ધિ રહે, વિપરીત બુદ્ધિ ના રહે. તે માટે અમારે શો પુરુષાર્થ કરવો ?
દાદાશ્રી : અહીં આવીને તમારે સમ્યક કરી જવાની. તમારાથી એ નહીં થાય.
જાય ?
પ્રશ્નકર્તા : અહીં આવીને ખાલી બેસવાથી જ બુદ્ધિ સમ્યક થઈ
દાદાશ્રી : અહીં પ્રશ્નો પૂછીને, વાતચીત કરીને, સમાધાન મેળવીને બુદ્ધિ સમ્યક થતી જાય. પછી તમારે બુદ્ધિ જ નહીં રહે. બુદ્ધિનો અભાવ થવા માટે ઘણો બધો ટાઈમ લાગશે, પણ પહેલાં બુદ્ધિ સમ્યક તો થતી જાય.
પ્રશ્નકર્તા : અમારી પાસે સમ્યક બુદ્ધિ છે, વિપરીત બુદ્ધિ છે ને પ્રજ્ઞા પણ છે, તો આ ત્રણેનું કાર્ય સાથે જ ચાલે છે ?
દાદાશ્રી : હા, બધું સાથે જ ચાલે છે. પ્રજ્ઞા મોક્ષે લઈ જવાને માટે