________________
આપ્તવાણી-૪
૧૧૧
૧૧૨
આપ્તવાણી-૪
આવે કે? તે ઘડીએ સમાધાન થવાનું સાધન જોઇએ કે ના જોઇએ ? સમાધાન વગર તો માણસ ‘મેડ’ થઇ જાય કે ‘પ્રેશર વધી જાય ને હાર્ટના દર્દ ઊભા થઇ જાય. સમાધાન થાય તો કંઇક જંપ વળે.
ભગવત ઉપાય જ, સુખ કારણ !
જોઇએ અને એ જાણ્યા પછી આત્મા-પરમાત્માની વાતોમાં જ રહેવું, એનાથી સંપૂર્ણ વીતરાગ દશા ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : સાચું સુખ જડતું નથી ને સમય વહ્યો જાય છે.
દાદાશ્રી : સાચું સુખ જોઈતું હોય તો આપણે સાચા બનવું પડે. અને સંસારી સુખ જોઇતું હોય તો સંસારી બનવું પડે. સંસારી સુખ પૂરણગલન સ્વભાવનું છે, આવે ને પછી ઊડી જાય, એ ઢંઢવાળું છે. ‘હું કોણ છું એ ખ્યાલમાં આવી જાય પછી જ સાચું સુખ કાયમ વર્તે.
પ્રશ્નકર્તા : સંસારમાં સુખે કયારે મળશે ?
દાદાશ્રી : સંસારમાં સુખ હોય જ નહીં. પણ ભગવત્ ઉપાય લો તો કંઇક શાંતિ લાગે ને જ્ઞાન ઉપાયથી કાયમની શાંતિ રહે.
અત્યારે નવ્વાણું ટકા દુઃખ ને એક ટકો સુખ, સાંસારિક સુખ છે. સતયુગમાં સુખ હતાં.
કાળતો તે શો દોષ ?
પ્રશ્નકર્તા : આપે “ટેમ્પરરી’ આનંદ કહ્યો ને બીજો “પરમેનન્ટ' આનંદ કહ્યો, પણ એ બેનો ફેર અમે જયાં સુધી એ સુખ નથી ભોગવ્યું ત્યાં સુધી કેવી રીતે ખબર પડે ? - દાદાશ્રી : એની ખબર જ ના પડે. “પરમેનન્ટ’ સુખ આવ્યું નથી ત્યાં સુધી આને જ તમે સુખ કહો.
એક છાણમાં રહેનારો કીડો હોય એને ફૂલમાં મૂકીએ તો એ મરી જાય. કારણ કે આ સુખથી ટેવાયેલો છે. પરિચિત છે, એની પ્રકૃતિ જ એવી બંધાઇ ગયેલી છે. અને ફૂલના કીડાને છાણમાં ન ગમે.
લોક કહેશે કે પૈસામાં સુખ છે, પણ કેટલાક સાધુ મહારાજ એવા હોય છે કે એમને પૈસા આપે તોય એ ના લે. તમે મને આખા જગતનું સોનું આપવા આવો તોય હું તે ન લઉં. કારણ કે મારે પૈસામાં સુખ છે જ નહીં. એટલે પૈસામાં સુખ નથી. પૈસામાં સુખ હોય તો બધાય ને તેમાંથી તે લાગવું જોઇએ. જયારે આત્માનું સુખ તો બધાને જ લાગે. કારણ કે એ સાચું સુખ છે, સનાતન સુખ છે. એ આનંદ તો કલ્પનામાંય ના આવે એટલો બધો આનંદ છે !
જયાં આત્મા-પરમાત્મા સિવાયની બીજી કોઈ વાત ના હોય ત્યાં સાચો આનંદ છે; ત્યાં સંસારની કિંચિત્માત્ર વાત ના હોય કે સંસારમાં શી રીતે ફાયદો થાય, કેવી રીતે ગુણો ઉત્પન્ન થાય. લોકો સગુણો ઉત્પન્ન કરવા માગે છે. આ ગુણો, સદ્ગુણો, દુર્ગુણો એ બધું અનાત્મ વિભાગ છે અને વિનાશી છે. છતાં લોકોને તેની જરૂર છે. સૌ-સૌની અપેક્ષાએ જુદું જુદું જોઇએ. પણ જેને સંપૂર્ણ વીતરાગ પદ જોઇતું હોય તો આ બધા સદ્ગુણો, દુર્ગુણોથી પર થવું જોઇએ અને ‘પોતે કોણ છે? એ જાણવું
પ્રશ્નકર્તા: સમયને લીધે સુખ-દુઃખ થાય છે?
દાદાશ્રી : આ તો સમસરણ માર્ગ છે. આ જીવો પ્રવાહમાં વહી રહ્યા છે, એટલે કે ગતિ કરી રહ્યા છે. ગતિ કેવી રીતે મપાય ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ ભેગા થાય એટલે કાર્ય દેખાય. કાળ પ્રત્યક્ષ દેખાય એટલે લોકો કાળને ગાય છે. આ કળિયુગમાં, દુષમકાળમાં આપણે આવ્યા તેમાં આપણું કર્તાપણું કેટલું ? એમાં આપણો ભાગ કેટલો ?
જગત આખાને મહીં પાર વગરની બળતરા, નિરંતર અંતરદાહ થયા કરે છે. કો’કે કહ્યું કે, “ચંદુભાઇમાં અક્કલ નથી’ તે મહીં અસર થઈ જાય, અંતરદાહ લાગે. અંતરદાહ એટલે શું ? મહીં પરમાણુ જલે અને એક જલી રહેવા આવે ત્યારે બીજાને સળગાવે, બીજો ત્રીજાને સળગાવે, એવું નિરંતર ચાલ્યા કરે, ‘ઇલેક્ટ્રિસિટી”ની પેઠ જલ્યા કરે, વેદનાની જેમ ભોગવવું પડે. વિશેષ પરમાણુ સળગે ત્યારે લોકો કહે છે કે, “મારો જીવ