________________
આપ્તવાણી-૪
કહેવાય. ખરું તો દર્શન જ કામ કરે છે.
૮૩
પ્રશ્નકર્તા : જ્ઞાન અને શુદ્ધાત્માને કંઇ સંબંધ ખરો ?
દાદાશ્રી : શુદ્ધાત્મા એ પોતે જ જ્ઞાનસ્વરૂપ છે. પોતે સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપ થાય ત્યારે પરમાત્મસ્વરૂપ કહેવાય છે.
પ્રશ્નકર્તા : આત્મા ક્રિયા કરતો નથી તો કર્મ કોણ બાંધે છે ?
દાદાશ્રી : અહંકાર જે બોલે છે કે, ‘મેં આ કર્યું’ તે જ કર્મ બાંધે
છે.
પ્રશ્નકર્તા : શાયક અને જિજ્ઞાસુ, એ બેમાં શું ફેર ?
દાદાશ્રી : બહુ ફેર. એ બેનો સાંધોય ના ગણાય. શાયક તો પોતે પરમાત્મા થયો અને જિજ્ઞાસુને તો ગુરુ કરવા પડશે, ખોળ ખોળ કરવું પડશે. જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે એટલે પુરુષાર્થી થયો કહેવાય, પણ આ
જ્ઞાયક તે તો પોતે જ ભગવાન કહેવાય.
પ્રશ્નકર્તા : મુમુક્ષુ અને જિજ્ઞાસુમાં શો ફેર ?
દાદાશ્રી : મુમુક્ષુ એટલે કેવળ મોક્ષની ઇચ્છાવાળો અને જિજ્ઞાસુ એટલે જેને સુખની વાંછના હજી છે અને તે જયાંથી મળે ત્યાંથી લેવા જાય. પ્રશ્નકર્તા : બ્રહ્માંડની અંદર અને બ્રહ્માંડની બહારથી જોવું એટલે શું ? દાદાશ્રી : જ્ઞેયોમાં તન્મયાકાર હોય ત્યારે બ્રહ્માંડમાં કહેવાય અને શેયોને શેય રૂપે દેખે ત્યારે બ્રહ્માંડની બહાર કહેવાય.
પ્રશ્નકર્તા : ‘એબ્સોલ્યુટ’ વિજ્ઞાન એટલે શું ?
દાદાશ્રી : અજ્ઞાનથી બિલકુલ નિર્લેપ વિજ્ઞાન એ ‘એબ્સોલ્યુટ’ વિજ્ઞાન છે.
પ્રશ્નકર્તા : આત્મા શબ્દ અનાદિ કાળથી છે ?
દાદાશ્રી : હા, અનાદિ કાળથી છે. અનાદિ કાળથી જ્ઞાન અને
૮૪
જ્ઞાનની રીત એક જ છે.
તિમિત્તની મહત્તા !
પ્રશ્નકર્તા : આત્માને ઓળખવા નિમિત્તની જરૂર ખરી ?
દાદાશ્રી : નિમિત્ત વગર તો કશું બને નહીં. કો'કને જ એ અપવાદરૂપે બને તેને સ્વયંબુદ્ધ કહેવાય. સ્વયંબુદ્ધને પણ ગયા અવતારમાં જ્ઞાની મળેલા હોય ત્યારે થાય. નિમિત્ત વગર તો કશું જ બને નહીં. ઉપાદાન પણ જાગૃત જોઇએ અને નિમિત્ત પણ જોઇએ.
આપ્તવાણી-૪
‘ઉપાદાનનું નામ લઇ એ જે તજે નિમિત્ત; પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત.’
-શ્રીમદ્ રાજચંદ્ર. એટલે નિમિત્ત પહેલું જોઇએ. ઉપાદાન અજાગૃત હોય તોય તેને જ્ઞાન ઊંચું કરી આપે, પણ નિમિત્ત વગર કશું ના થાય.
પ્રશ્નકર્તા : એવું સો ટકા નક્કી રાખીએ કે નિમિત્તથી આત્માનુભવ થતો નથી તો ?
થાય ?
દાદાશ્રી : તો આત્માનુભવ કયારેય પણ ના થાય. લાખો મણ ઉપાદાન જાગૃત રાખીએ પણ નિમિત્ત ના મળે તો તે ક્યારેય ના થાય. નિમિત્તની જ કિંમત છે બધી.
પ્રશ્નકર્તા : એટલે એમ નક્કી રાખવું કે નિમિત્તથી જ આત્માનુભવ
દાદાશ્રી : એવું છેને, ઉપાદાન જાગૃતિ તો બધાએ રાખવી જ જોઇએ, એ તો ‘ઘણાં’ પાસે છે. પણ નિમિત્ત વગર શું કરે ? બીજો કોઇ
ઉપાય નથી.
પ્રશ્નકર્તા : નિમિત્ત પુણ્યથી મળે કે પુરુષાર્થથી ?
દાદાશ્રી : પુણ્યથી. બાકી, પુરુષાર્થ કરે ને આ ઉપાશ્રયેથી તે
ઉપાશ્રયે દોડે એમ અનંત અવતાર ભટક ભટક કરે તોય નિમિત્ત પ્રાપ્ત