SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ કહેવાય. ખરું તો દર્શન જ કામ કરે છે. ૮૩ પ્રશ્નકર્તા : જ્ઞાન અને શુદ્ધાત્માને કંઇ સંબંધ ખરો ? દાદાશ્રી : શુદ્ધાત્મા એ પોતે જ જ્ઞાનસ્વરૂપ છે. પોતે સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપ થાય ત્યારે પરમાત્મસ્વરૂપ કહેવાય છે. પ્રશ્નકર્તા : આત્મા ક્રિયા કરતો નથી તો કર્મ કોણ બાંધે છે ? દાદાશ્રી : અહંકાર જે બોલે છે કે, ‘મેં આ કર્યું’ તે જ કર્મ બાંધે છે. પ્રશ્નકર્તા : શાયક અને જિજ્ઞાસુ, એ બેમાં શું ફેર ? દાદાશ્રી : બહુ ફેર. એ બેનો સાંધોય ના ગણાય. શાયક તો પોતે પરમાત્મા થયો અને જિજ્ઞાસુને તો ગુરુ કરવા પડશે, ખોળ ખોળ કરવું પડશે. જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે એટલે પુરુષાર્થી થયો કહેવાય, પણ આ જ્ઞાયક તે તો પોતે જ ભગવાન કહેવાય. પ્રશ્નકર્તા : મુમુક્ષુ અને જિજ્ઞાસુમાં શો ફેર ? દાદાશ્રી : મુમુક્ષુ એટલે કેવળ મોક્ષની ઇચ્છાવાળો અને જિજ્ઞાસુ એટલે જેને સુખની વાંછના હજી છે અને તે જયાંથી મળે ત્યાંથી લેવા જાય. પ્રશ્નકર્તા : બ્રહ્માંડની અંદર અને બ્રહ્માંડની બહારથી જોવું એટલે શું ? દાદાશ્રી : જ્ઞેયોમાં તન્મયાકાર હોય ત્યારે બ્રહ્માંડમાં કહેવાય અને શેયોને શેય રૂપે દેખે ત્યારે બ્રહ્માંડની બહાર કહેવાય. પ્રશ્નકર્તા : ‘એબ્સોલ્યુટ’ વિજ્ઞાન એટલે શું ? દાદાશ્રી : અજ્ઞાનથી બિલકુલ નિર્લેપ વિજ્ઞાન એ ‘એબ્સોલ્યુટ’ વિજ્ઞાન છે. પ્રશ્નકર્તા : આત્મા શબ્દ અનાદિ કાળથી છે ? દાદાશ્રી : હા, અનાદિ કાળથી છે. અનાદિ કાળથી જ્ઞાન અને ૮૪ જ્ઞાનની રીત એક જ છે. તિમિત્તની મહત્તા ! પ્રશ્નકર્તા : આત્માને ઓળખવા નિમિત્તની જરૂર ખરી ? દાદાશ્રી : નિમિત્ત વગર તો કશું બને નહીં. કો'કને જ એ અપવાદરૂપે બને તેને સ્વયંબુદ્ધ કહેવાય. સ્વયંબુદ્ધને પણ ગયા અવતારમાં જ્ઞાની મળેલા હોય ત્યારે થાય. નિમિત્ત વગર તો કશું જ બને નહીં. ઉપાદાન પણ જાગૃત જોઇએ અને નિમિત્ત પણ જોઇએ. આપ્તવાણી-૪ ‘ઉપાદાનનું નામ લઇ એ જે તજે નિમિત્ત; પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત.’ -શ્રીમદ્ રાજચંદ્ર. એટલે નિમિત્ત પહેલું જોઇએ. ઉપાદાન અજાગૃત હોય તોય તેને જ્ઞાન ઊંચું કરી આપે, પણ નિમિત્ત વગર કશું ના થાય. પ્રશ્નકર્તા : એવું સો ટકા નક્કી રાખીએ કે નિમિત્તથી આત્માનુભવ થતો નથી તો ? થાય ? દાદાશ્રી : તો આત્માનુભવ કયારેય પણ ના થાય. લાખો મણ ઉપાદાન જાગૃત રાખીએ પણ નિમિત્ત ના મળે તો તે ક્યારેય ના થાય. નિમિત્તની જ કિંમત છે બધી. પ્રશ્નકર્તા : એટલે એમ નક્કી રાખવું કે નિમિત્તથી જ આત્માનુભવ દાદાશ્રી : એવું છેને, ઉપાદાન જાગૃતિ તો બધાએ રાખવી જ જોઇએ, એ તો ‘ઘણાં’ પાસે છે. પણ નિમિત્ત વગર શું કરે ? બીજો કોઇ ઉપાય નથી. પ્રશ્નકર્તા : નિમિત્ત પુણ્યથી મળે કે પુરુષાર્થથી ? દાદાશ્રી : પુણ્યથી. બાકી, પુરુષાર્થ કરે ને આ ઉપાશ્રયેથી તે ઉપાશ્રયે દોડે એમ અનંત અવતાર ભટક ભટક કરે તોય નિમિત્ત પ્રાપ્ત
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy