________________
આપ્તવાણી-૪
અજ્ઞશ્રદ્ધા છે. આખું જગત અશશ્રદ્ધામાં છે. નાના છોકરા ઢીંગલા-ઢીંગલી રમાડે છે તે અશશ્રદ્ધા છે, તેમ ધર્મમાંય અન્નશ્રદ્ધા હોય છે. ‘જ્ઞાનીપુરુષ’ એકલા જ પોતે અંધશ્રદ્ધા વગરના હોય, છતાં દેહ અંધશ્રદ્ધામાં હોય. હમણાં અમે પણ ઘેર જઈને તપાસ કર્યા વગર પાણી પીશું, પણ અમારે દેહનો માલિકીભાવ ના હોય.
આત્મશ્રદ્ધા - પ્રભુશ્રદ્ધા !
(૪)
શ્રદ્ધા
પ્રશ્નકર્તા : આત્મશ્રદ્ધા અને પ્રભુશ્રદ્ધા એ બેમાં ફેર શું ?
દાદાશ્રી : પ્રભુશ્રદ્ધામાં પ્રભુ જુદા ને હું જુદો એમ જુદાઇ માનવામાં આવે છે અને આત્મશ્રદ્ધા તો પોતે સ્વયં આત્મા થઇ ને આત્માની ભકિત કરવી તે. આ પ્રત્યક્ષ ભકિત ને પેલી પરોક્ષ ભકિત કહેવાય. જેને આત્માનુભવ થયો નથી, તે જેને પ્રભુ કહે છે તે જ તેનો આત્મા છે પણ તેને તેની ખબર નથી. તેથી પ્રભુના નામથી ભજે છે, પણ પરોક્ષપણે તેના જ આત્માને પહોંચે છે.
અંધશ્રદ્ધા - અજ્ઞશ્રદ્ધા !
શ્રદ્ધા - જ્ઞાત !
એક મોટા ફાર્મ સુપ્રિન્ટેન્ડન્ટ હતા. તે મને કહે છે કે, અમે અંધશ્રદ્ધા ના રાખીએ. એમની એ વાત અમે નોંધી રાખી. પછી અમે સાથે ફાર્મમાં ફરતા હતા. વચ્ચે પચાસ ફૂટનું ખેતર આવ્યું, એમાં બહુ ઊંચું ઘાસ હતું, તે પાર કરતી વખતે પેલા ભાઈ ચાર-ચાર ફૂટના લાંબા કુદકા મારીને પાર નીકળી ગયા. મેં તેમને પૂછયું, ‘આ ઘાસમાં સાપ છે કે વીંછી છે એવું તમે જાણનતા નહોતા તો ક્યા આધારે તમે પગ મૂકતા હતા ?’ કેવી જબરજસ્ત અંધશ્રદ્ધા છે !
અંધશ્રદ્ધા વગર તો ખાવાનુંય ખાઇ શકાય નહીં, સ્ટીમરમાં બેસી શકાય નહીં, ને ટેક્ષીમાં બેસી ના શકાય. કઇ શ્રદ્ધાથી ટેક્ષીમાં બેસો છો ? એકિસડન્ટ નહીં થાય એની તમને શ્રદ્ધા તો નથી ! અરે, ઘેર પાણી પીઓ છો તો તેમાં ગીલોડી પડી કે જીવવું પડયું કે કોઇ પાડોશીએ માંકણ મારવાની દવા નાખી કે નહીં તેની તપાસ કરો છો ? એટલે આંધળા વિશ્વાસ વગર તો ઘડીવાર ચાલે તેમ નથી.
તમે જેને અંધશ્રદ્ધા કહો છો કે સમજો છો તે અંધશ્રદ્ધા નથી,
પ્રશ્નકર્તા : શ્રદ્ધા વિના જ્ઞાન થાય કે નહીં ?
દાદાશ્રી : આ અજ્ઞાન પણ શ્રદ્ધા વગર થાય નહીં. શ્રદ્ધા એ ‘કોઝિઝ’ છે ને જ્ઞાન એ ‘પરિણામ’ છે.
આ સ્વરૂપજ્ઞાન થયા પછી કેવા થઇ જવું જોઇએ ? શ્રદ્ધાની પ્રતિમા થઇ જવું જોઇએ ! જોતાંની સાથે જ શ્રદ્ધા આવે. શ્રદ્ધાની પ્રતિમા કો’ક ફેરો પાકે છે !