SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ પર આપ્તવાણી-૪ પુરુષાર્થ શરૂ થયો ! એ ભાન છે તેથી. નહીં તો પ્રારબ્ધ ભોગવતાં બીજ ના પડે અને મોક્ષ જાય. પણ કર્તા ભાવ છે. માટે પ્રારબ્ધ પર, ક્રિયાઓ પર બહુ જોર આપતા. કારણ કે એની પાછળ પુરુષાર્થ એની મેળે થયા જ કરે છે. આજે તો એ ક્રમિકમાર્ગ ફ્રેકચર થઈ ગયો છે. જાપ કરવા બેઠો હોયને તો જાપ કરતો જાય અને મનમાં ભાવ કરતો જાય કે, “મારા ફાધર નાલાયક છે, મારા ફાધર નાલાયક છે... મને હેરાન કરે છે. મારું તેલ કાઢી નાખે છે.” એટલે મનમાં જુદું, વાણીમાં જુદું ને વર્તનમાં જુદી જ જાતનું હોય. નહિ તો અત્યાર સુધી ક્રમિકમાર્ગ કેવો હતો કે પ્રારબ્ધ ભોગવતાં પુરુષાર્થ કરો. અને “અક્રમમાર્ગ” એટલે શું ? સીધો ‘ડિરેકટ’ પુરુષાર્થ. ‘જ્ઞાની પુરુષ'ની કૃપાથી પુરુષ થઇ પુરુષાર્થ ઉત્પન્ન થઇ જાય, સંપૂર્ણ જાગૃતિમાં આવી જાય, એકદમ અજવાળું થઇ જાય ! પછી એક સેકન્ડ પણ તમારું ‘સ્વરૂપ'ના ભૂલો તમે ! પ્રારબ્ધ, કઇ રીતે ઉદયમાં આવે ? આત્મા અને પ્રકૃતિ બે જ છે. પ્રકૃતિ બધી પ્રારબ્ધાધીન છે. આ ક્રિયાઓ થવાથી ભાવ એની મેળે કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. આ ભાવ તે આવતા ભવનો પુરુષાર્થ છે. પણ તેની લોકોને ખબર નથી કે આને બ્રાંત પુરુષાર્થ કહેવાય ! આવતા ભવનું જે ચાર્જ કરે છે તે ભ્રાંત પુરુષાર્થ ને બીજું બધું પ્રારબ્ધ છે. ભાવ તો થાય જ ને ? લગ્ન કરવું છે એ ભાવ કરવો પડેને ? પૂર્વભવના ભાવથી અત્યારે આપણને ઇચ્છાઓ થાય છે, એટલે ભાવ ચાર્જ કર્યો હતો એટલે આ આવ્યું. એટલે ભાવને પુરુષાર્થ કહ્યો ને દ્રવ્યને પ્રારબ્ધ કહેવાય. પણ લોકો તો એમની ભાષામાં દ્રવ્યને જ પુરુષાર્થ કહે છે; અને પેલો ભાવ પુરુષાર્થ તો સમજાતો જ નથી. અહીં અક્રમમાર્ગમાં દ્રવ્ય ને ભાવ બેઉને ડિસ્ચાર્જ સ્વરૂપે મૂકી દીધાં છે. ક્રમિકમાર્ગ ભાવને આધીન છે. આપણે અક્રમમાર્ગમાં તો સ્વભાવમાં આવ્યા, એટલે પેલા પરભાવ છે. આપણે ભાવને બાજુએ મૂકી દીધા અને દ્રવ્યનો સમભાવે નિકાલ કરવાનો કહ્યો. પ્રશ્નકર્તા : જ્યાં સુધી પોતાને જાણે નહીં ત્યાં સુધી પુરુષાર્થ કર્યો જ ના કહેવાય ? દાદાશ્રી : ખરો પુરુષાર્થ થયો ના કહેવાય. પણ ભ્રાંતિનો પુરુષાર્થ તો થાય. જો મન, વચન, કાયાની એકાત્મવૃત્તિ હોય તો ભ્રાંતિના પુરુષાર્થમાંથી બીજ પડે છે. એ વ્યવહાર પુરુષાર્થ કહેવાય. મનમાં જેવું હોય તેવું વાણીમાં બોલે ને તેવું જ વર્તનમાં રાખે. ને શુભમાં પડે તો વ્યવહાર પુરુષાર્થમાં ફાયદો થાય. અને એમ કરતાં કરતાં ‘રીયલ’ માટેનો જોગ થઇ જાય. માટે શુભને વખાણ્યું છે. આ બ્રાંત પુરુષાર્થ એક પ્રકારનો પુરુષાર્થ જ કહેવાય. આને બ્રાંત પુરુષાર્થ શાથી કહેવામાં આવે છે તે તમને સમજાવું. ક્રમિકમાર્ગ એવો છે કે જો એને કહીએ કે તું જાપ કરવા બેસી જા એટલે એ જાપ કરવા બેસે. તે જાપ પ્રારબ્ધથી થાય છે. પણ તે વખતે મહીં જે ભાવ કરે છે તેથી પાછું આવતા ભવનું બીજ પડે છે, એ પુરુષાર્થ કહેવાય છે. એટલે પ્રારબ્ધ ભોગવતાં મહીં પુરુષાર્થ ઉત્પન્ન થાય છે. પ્રારબ્ધ ભોગવતાં પુરુષાર્થનું મહીં બીજ પડે છે. કારણ કે કર્તા છું” પ્રશ્નકર્તા : પણ પુરુષાર્થ કરે તો જ પ્રારબ્ધ આવે ને ? દાદાશ્રી : એ પુરુષાર્થ નથી. એ નૈમિત્તિક પ્રયત્નો છે. નૈમિત્તિક પ્રયત્નો તમે કર્યો જાવ. પ્રશ્નકર્તા : એ પ્રારબ્ધનું જ નૈમિત્તિક કર્મ છે ? દાદાશ્રી : એ પ્રારબ્ધના આધારે જ થવાનું, પ્રારબ્ધની જ પ્રેરણાથી થવાનું. પ્રશ્નકર્તા : પ્રારબ્ધ એટલે શું ? દાદાશ્રી : પ્રારબ્ધ એટલે ગયા અવતારમાં ભાવકર્મ બાંધેલું હોય. હવે એ ભાવકર્મ જાય “કોપ્યટર પાસે, એટલે કે સમષ્ટિમાં જાય અને સમષ્ટિમાં પછી કુદરત એને ભેગી થાય, કુદરતી કારણો પણ બીજાં બધાં ભેગાં થાઈ અને અહીં આગળ આપણને રૂપક રૂપે પ્રાપ્ત થાય. વ્યવસ્થિત’ શક્તિ આપણને રૂપક રૂપે આપે છે. પછી એ ઊઠાડે તો
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy