SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૨૪ આપ્તવાણી-૪ તમે મુંબઈ જવાનું નક્કી કર્યું ને મુંબઇની ટિકિટ લીધી એટલે ગાડીમાં મુંબઇનું ધ્યાન તમને સહેજે રહે જ. - ધ્યાનમાં ધ્યાતા નક્કી થવો જોઇએ ને ધ્યેય નક્કી થવું જોઇએ. તમે પોતે ધ્યાતા ને નક્કી કરેલું ધ્યેય, આ બંનેનું અનુસંધાને રહે એ ધ્યાન કહેવાય. ધ્યેય અને ધ્યાતા તન્મયાકાર થાય એ ધ્યાન કહેવાય. ધ્યાતા તો તમે છો જ, ધ્યેયની જગ્યાએ તમે શું મુકેલું છે ? પ્રશ્નકર્તા: ‘કોન્સન્ટેશન’ કરવાનું છે તે. ‘સ્વ' ઉપર જ કરવાનું દાદાશ્રી : કોઇએ કહ્યું કે, ‘તમે આ બધું ઊંધું કરી નાંખ્યું.’ તે વખતે જે તમને અહીં અસર થાય છે, ગુસ્સો આવે છે એ રૌદ્રધ્યાન છે. કોઇ ફેરો મનમાં એમ થાય કે, ‘હવે મારું શું થશે ?” એ આર્તધ્યાન. ‘ખાંડનો કંટ્રોલ આવ્યો, ખાંડ લાવ્યા નથી, હવે શું થશે ?” એ બધું આર્તધ્યાન. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન રોજ થયા જ કરે છે. અને ધર્મધ્યાન તો સમજ્યો જ નથી. અને ચોથું શુક્લધ્યાન, એ તો પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. પ્રશ્નકર્તા : મનની શાંતિ માટે ધ્યાન કરે છે તે શું છે ? દાદાશ્રી : ક્યા ધ્યાન કરે છે ? પ્રશ્નકર્તા : “મેડિટેશન’ કરે છે ને ! દાદાશ્રી : એ તો બધી માદકતા છે, એમાં બહુ ફાયદો નથી. પ્રશ્નકર્તા : તો ફાયદો શેમાં છે ? દાદાશ્રી : ફાયદો તો પોતાનું સ્વરૂપ જાણીએ કે, ‘હું કોણ છું?” એટલે પછી કાયમની શાંતિ, પછી ગજવું કાપી લે કે ગમે તે કરે તોય કશું થતું નથી. પ્રશ્નકર્તા : એક જગ્યાએ સ્થિર બેઠા વગર ધ્યાન થઇ શકે ? દાદાશ્રી : હા, “સ્વ” ઉપર જ કરવાનું છે. પણ ‘સ્વ'ને સમજયા વગર શી રીતે થાય ? સ્વ‘શું છે તે સમજવું પડશે ને ? “સ્વ” પુસ્તકમાં નથી રહેલું, કોઇ શાસ્ત્રમાં નથી લખેલું. શબ્દરૂપે લખેલું હશે, પણ જે ખરેખર છે એ તો શબ્દરૂપે નથી. એટલે તમે એને શી રીતે નક્કી કરો ? પ્રશ્નકર્તા : “સપોઝ” કરીને ના નક્કી થાય ? દાદાશ્રી : અમદાવાદ જવું છે ને “સપોઝ' કરીને ઉત્તરને બદલે દક્ષિણમાં ચાલીએ તો એ “સપોઝ કેમ ચાલે ? ‘રેગ્યુલર સ્ટેજ'માં ‘સપોઝીશન’ હોવું જોઇએ. ‘સપોઝ' એની ‘બાઉન્ડ્રી'માં હોવું જોઇએ, આઉટ ઓફ બાઉન્ડ્રી” ના હોવું જોઇએ. ધ્યાન તો ત્યારે થાય કે ધ્યેય સ્વરૂપે ઓળખવું જોઇએ ને પોતે ધ્યાતા સ્વરૂપ થવું જોઇએ. ‘હું ચંદુલાલ છું” એ રીતે તમે ધ્યાતા થાવ છો ને ? ચંદુલાલ તો તમારું નામ છે. તમે ધ્યાતા શી રીતે થાવ છો ? પ્રશ્નકર્તા: ‘હું શુદ્ધાત્મા છું' એ રીતે. દાદાશ્રી : શુદ્ધાત્મા તે કોણ પણ ? એનું ભાન થયેલું છે તમને ? પ્રશ્નકર્તા : ના, નથી થયેલું. દાદાશ્રી : તો આત્માનું ભાન થયા વગરનું કહો, તો તે બધાં ગપ્પાં કહેવાય. આત્માનું ભાન થવું જોઇએ. ભાન ના થયું હોય તો પણ પ્રતીતિ તો બેસવી જ જોઇએ, અને તે પ્રતીતિય તૂટે નહીં એવી હોવી જોઇએ દાદાશ્રી : ધ્યાન તો હાલતાં, ચાલતાં, સાંસારિક ક્રિયાઓ કરતાં થયા જ કરે. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન રાત-દહાડો લોકો કરે છે. દેવગતિમાં જવાનું ધ્યાનેય હાલતાં-ચાલતાં થઇ શકે અને મોક્ષે જવાનું ધ્યાનેય હાલતાં-ચાલતાં થઈ શકે. ધ્યાત : ધ્યેય, ધ્યાતાનું અનુસંધાન ! પ્રશ્નકર્તા : ધ્યાનનું ઉદ્ભવસ્થાન શું છે ? દાદાશ્રી : ધ્યાનનો અર્થ શું કે કોઈ પણ ધ્યેય નક્કી કરવો ને તેની જોડે સાંધો લગાડે તે ધ્યાન, જેટલી વાર સાંધો રહે તેટલી વાર ધ્યાન રહે.
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy