________________
આપ્તવાણી-૪
આપ્તવાણી-૪
દાન કરવું છે.’ પણ તેનું બીજ ના પડે. કારણ કે નિર્અહંકારી હોય તેથી.
પોતાનો સ્વભાવ શું છે તે નહીં જાણતો હોવાથી ભાવનિદ્રા કહી છે. પોતાનો સ્વભાવ જાણવો તે નિરાલંબ દર્શન છે, નિરાલંબ જ્ઞાન છે.
જાગૃતિની શરૂઆત....
પહેલી પુદ્ગલમાં જાગૃતિ આવવી જોઇએ. આત્મભાન થયા પછી પુદ્ગલમાં ઉંધે, પછી આત્મજાગૃતિ ઉત્પન્ન થાય. આ નાનાં છોકરાં દૂધ ઢોળાઇ જાય તો કચકચ કરે છે ? ના. શાથી ? તો કહે, ‘અજ્ઞાનને લઇ ને જ.' પછી જેમ જેમ મોટા થાય તેમ તેમ પુદ્ગલની જાગૃતિ આવે ત્યારે કચકચ કરવી શરૂ કરે. ત્યાર પછી આત્મજાગૃતિની વાત આવે છે. આ બાળકોને વ્યવહાર જાગૃતિ નથી. કોઇને વ્યવહાર જાગૃતિ નથી. વ્યવહાર જાગૃતિ હોય તો ઘરમાં કે બહાર મતભેદ ના પડે. કોઇનીય અથડામણમાં ના આવે. સંસારમાં જાગૃતિ કોને કહેવાય કે પોતાના ઘરમાં કલેશ થવાનો પ્રસંગ ના આવવા દે, વ્યવહારની જાગૃતિમાં લોભ, કપટ, મોહ જબરાં હોય ને નિશ્ચયની જાગૃતિમાં તો ક્રોધ, માન, માયા, લોભ ખલાસ થઇ ગયાં હોય. ‘ઊંઘવું શું ? ને જાગવું શું ? તે તો સમજવું પડશે ને? લોક તો એમ જ સમજે કે આ ‘પી. એચ. ડી.’ થયા છે. જાગૃત માણસ તો ગજબનો હોય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણના ચારેય ભાગનાં દરેક કાર્ય વખતે હાજર રહે તેનું નામ જાગૃતિ !
જાગૃતિ કોને કહેવાય ? પોતે પોતાથી ક્યારેય પણ કોઇ પણ સંયોગોમાં કલેશિત ના થાય ત્યારથી જાગૃતિની શરૂઆત થાય. પછી બીજા ‘સ્ટેપિંગ’માં બીજાથી પણ પોતે કલેશિત ના થાય, ત્યારથી ઠેઠ સહજ સમાધિ સુધીની જાગૃતિ હોય. જો જાગ્યા તો જાગ્યાનું ફળ હોવું ઘટે. કલેશ થાય તો જાગ્યા શી રીતે કહેવાય ? કોઇને સહેજ પણ દુ:ખ દે તો તે જાગૃત કેવી રીતે કહેવાય ? કલેશરહિત ભૂમિકા કરવી એને ઘણો મોટો પુરુષાર્થ કર્યો કહેવાય.
‘યોગ-ક્યિાકાંડ' જાગૃતિ ન આપે !!
માટે હેલ્પ કરે ખરું ?
દાદાશ્રી : એ તો જે હેતુ માટે કરે તે હેતુનું ફળ મળે. કો'ક માણસને ‘શાદી’ કરવી હોય ને વહુ ના મળે, તો પૂજા, તપ કરે તો એને એ મળે. જે હેતુ માટે કરે તે મળે.
પ્રશ્નકર્તા : એનાથી આધ્યાત્મિકમાં પ્રગતિ ના મળે ?
દાદાશ્રી : અધ્યાત્મના હેતુ માટે કરે તો આધ્યાત્મિક ફળ મળે. બાકી આધ્યાત્મિક હેતુ માટે કોઇ કરે એવું છે જ નહીં. બધાંને લહાય બળે છે, તે લહાયની જ દવા જોઇએ છે. આ સંસારનાં દુ:ખોની લહાય લાગી છે લોકોને. એ જાગૃતિ માટે કાંઇ કરતો જ નથી. કોઇ માનનો ભૂખ્યો, કોઇ કીર્તિનો ભૂખ્યો, કોઇ શિષ્યોનો ભૂખ્યો, આ બધી ભીખના ભૂખ્યા છે. અધ્યાત્મમાં માન નથી, કીર્તિ નથી, કોઇ ચીજની ત્યાં અપેક્ષા નથી. અને આ અશુભમાં જ પડ્યા છે; કોઇ માનમાં, કોઇ કીર્તિમાં, સાંસારિક ચીજોમાં ભોગવિલાસમાં, કેટલા માણસો આવા અધ્યાત્મના માર્ગમાં હોય ? કો'ક જ માણસ હોય. વધારે તો માનના ભૂખ્યા છે બધા.
એક જ ક્ષણ જો ઊંધ બંધ થઇ જાય તો બધે પ્રકાશ જ થઇ જાય. રોજના ક્રમમાં રહેતો હોય અને તેમાં જ તન્મયાકાર રહેતો હોય તેને ઊંઘમાં કહેવાય. છેલ્લા જ્ઞાનની અપેક્ષાએ આ વાત કરું છું કે આ જપતપ કરે છે તે તેમાં જ તન્મયાકાર રહે છે, તેમાંથી એક મિનિટ પણ જાગૃત થાય તો બહુ થઇ ગયું. પોતાના દોષો દેખાય અને નિષ્પક્ષપાતી જજમેન્ટ આપી શકે તે જાગૃત કહેવાય. જાગૃત થાય તેના હાથમાં સત્તા આવે. સંપૂર્ણ જાગૃત માણસ જ આપણને જાગૃત કરી શકે.
પ્રશ્નકર્તા : કુંડલિની જાગૃત કરે છે તે શું છે ?
દાદાશ્રી : એ મિકેનિકલ જાગૃતિ છે, એને અને દરઅસલ જાગૃતિને કશું લાગતું વળગતું નથી, કુંડલિની જાગૃત થઇ એટલે આત્મા ઓછો જાગૃત થયો કહેવાય ? એ માદકતા છે એક જાતની. એનાથી એકાગ્રતા રહે ને ઠંડક લાગે. દરઅસલ જ્ઞાનજાગૃતિ જોઇશે.
પ્રશ્નકર્તા : આ જે “મેડિટેશન કરે છે તે બધા કહે છે ને કે
પ્રશ્નકર્તા : આ પૂજા, જપ, તપ, કરે છે તે કંઇ પોતાની જાગૃતિ