________________
શક્તિથી તમારું ચાલે છે. કર્મ તો મહીં પડેલું જ છે પણ તેને રૂપકમાં લાવનાર ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે, કર્મ તો ‘વ્યવસ્થિત'નો એક અંશ છે !
આત્માની ચૈતન્ય શક્તિ એવી છે કે રોંગ બીલિફથી વિકલ્પ થાય છે કે આ હું છું, તરત સક્રિય સ્વભાવી પરમાણુઓ ત્યાં જ ‘ચાર્જ થઈ જઈને આત્માને વીંટળાઇ વળે છે, જેને કર્મ કહે છે.
પાછી પાની કર્યા વિના, મન, વચન, કાયાના તદ્દન એકાકારથી જે કરવામાં આવે તેનાથી ભયંકર ચીકણાં કર્મો બંધાય, જેનાથી છૂટવાનું બહુ ભારે પડે, અસંખ્ય વાર થયેલાં આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનથી જ છૂટાય.
‘હું ચંદુલાલ છું કરી જે જે કરવામાં આવે, પછી નિષ્કામ કરવા જાય તોય કર્મ, શુભકર્મ તો બંધાય જ છે. નિષ્કામ કર્મ પોતે અકર્તા ના થાય, ‘પોતે કોણ છે' એ નક્કી ના થાય, ત્યાં સુધી કેમ કરીને થઇ શકે ? ક્રોધ, માન, માયા, લોભની હયાતી અને નિષ્કામ કર્મ બે કેમ બની શકે ? ‘હું નિષ્કામ કર્મ કરું છું' એ માન્યતા જાય શી રીતે ? નિષ્કામ એટલે પરિણામની ધારણા વિના કર્યું જવું તે, આટલું કોણ કરી શકે ?
ભાવકો એ નથી વેદનીય કે નથી વિકલ્પ, એ નથી અંતઃકરણનો કોઇ ભાગ. અંતઃકરણેય ભાવકોનું દોર્યું દોરવાય. ભાવકો ભાવ કરાવડાવે ત્યારે આત્મા મૂછિત થઇ જાય. ક્ષણે ક્ષણે પલટાય તે આત્મા ના જ હોય, એ ભાવકો છે.
પ્રમેય પ્રમાણે પ્રમાતા થાય. સમૃદ્ધિ ને સંસારભાવ વધે તેમ તેનું પ્રમેય વધે. તેમ પ્રમાતાય વધે. ખરેખર પ્રમાતા તેનું નામ કે આત્મા આખા બ્રહ્માંડમાં પ્રકાશમાન થાય. પ્રમેય આખું બ્રહ્માંડ છે, જયાં લોક છે ત્યાં.
૩૭. ક્રિયાશક્તિ : ભાવશક્તિ ભાવશક્તિ જ પોતાના હાથમાં છે, ક્રિયાશક્તિ નહીં. તેમાંય મોક્ષ જવાના ભાવ સિવાય અન્ય કોઇ ભાવ કરવા જેવા નથી. જે ભાવ થાય છે તે નેચરમાં જમે થાય છે નેચર પછી તેને બીજા બધા જ સંયોગો ભેળા કરી આપી કાર્યને રૂપકમાં લાવવા સહાય કરે.
ભાવ એવી સૂક્ષ્મ વસ્તુ છે કે જેને કોઇ જોઇ જ ના શકે, જ્ઞાની સિવાય ! ભાવથી યોજના ઘડાઇ બીજા અવતારમાં ફલિત થાય. ઇચ્છા એ પરિણામ છે. ભાવ એ કારણ છે. ‘આ જગતની કોઇ પણ ચીજ મને ખપતી નથી.’ નિશ્ચય થતાં ભાવને સીલ વાગે. સ્વરૂપજ્ઞાન થયા પછી ઇચ્છાઓ ઇફેક્સરૂપે જ હોય છે.
વિચાર અને ભાવમાં ઘણો ફેર, ભાવ એકલું જ જ્ઞાન સિવાય પકડાય જ નહીં. વિચાર એ ઇફેક્ટ છે, ભાવ એ ‘કોઝ' છે. ભાવ દ્રવ્યમાં પરિણમતા ઘણો ઘણો ટાઇમ જાય. ભાવ કોમ્યુટરમાં જાય, તેને પરિપક્વ થવા બીજા બધા જ સંયોગો ભેગા થવા જોઇએ.
પ્રતિપક્ષી ભાવ જગતને થયા વિના રહે જ નહીં, ‘આણે મને આમ કેમ કહ્યું ?” એ પ્રતિપક્ષી ભાવ પરાક્રમ ભાવમાં આવેલાને તો આ મારાં જ કર્મનો ઉદય છે એમ દેખાય !
મન એકલું જ નહીં પણ આખુ અંતઃકરણ બગડે ત્યારે પ્રતિપક્ષી ભાવ થાય. મન બગડે ત્યાં પ્રતિક્રમણ કરે એટલે તે સુધરી જાય.
જ્ઞાનીની આંખોમાં કોઇપણ પ્રકારનો ભાવ ના દેખાય. પ્રતિપક્ષી
અનુમોદના બે પ્રકારે એકમાં અનુમોદનાના આધારે જ ક્રિયા થાય તે વધુ જવાબદાર છે, જયારે બીજામાં ખાલી હાજી, હા જ હોય. એ ના હોય તોય થતી ક્રિયામાં કોઇ ફરક પડવાનો ના હોય. તેની જવાબદારી એટલી હોતી નથી. ધર્મમાં અવળી અનુમોદના ભયંકર દોષ બાંધે છે !
35. ભાવ, ભાવ્ય તે ભાવક મહીં ભાવકો છે તે ભાવ કરાવડાવે છે, આત્મા નહીં. મહીં ભાવક, ક્રોધક, લોભક, નિંદક અને ચેતકેય છે. ભાવકો ભાવ કરાવડાવે ત્યારે આત્મા ભાવ્ય થઈ જાય છે, નિજ સ્વરૂપનું ભાન ભૂલ્યો છે તેથી જ સ્તો ને ! ભાગ્ય ભાવકમાં ભળે ત્યાં યોનિમાં બીજ પડે. ભાવ્ય ભાવકમાં ભળ્યા વિના છુટ્ટો રહીને ‘જોયા’ કરે તો બંધન નથી. આટલું જ આત્મવિજ્ઞાન સમજવાની જરૂર છે.
35