SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા સિવાય કંઈ જ ના સાંભરે તે વીતરાગ. ‘જ્ઞાની’ નિરંતર આત્મસ્થ હોવા કારણે તેમને જગત વિસ્મૃત હોય, પણ દર્શનમાં તેમને બધું જ દેખાય. યાદગીરી એ પૌગલિક શક્તિ છે. દર્શન એ આત્માની શક્તિ ધર્મ કોને કહેવાય ? : કષાયનું ઘટવું તે. મોક્ષનો સરળ ઉપાય ? : કષાયરહિત ‘જ્ઞાની’ની સેવા. ક્યા સાધનથી મોક્ષ ? : આત્મજ્ઞાનથી. મોક્ષમાર્ગમાં વ્યવહારનું નડતર ખરું ? : ના, નડતર છે અજ્ઞાનનું. મોક્ષમાર્ગમાં શાસન દેવ-દેવીઓની : હા, માર્ગમાં કોઇ અડચણ ના ભજનાની જરૂર ખરી ? આવે તે માટે. જૈનોની ચોથ સાચી કે પાંચમ ? : જે અનુકૂળ આવે તે સાચી. જેનાથી ધર્મ થાય તે સાચી, ને અધર્મ થાય તે ખોટી. જૈન કોને કહેવાય ? : જિનની કે જિનેશ્વરની વાણી સાંભળી હોય છે. સાંભળીને, શ્રદ્ધાને એ સંપૂર્ણ પાળી તે સાધુ અને અંશે પાળી તે શ્રાવક ! ૨૫. આઈ એડ માય Separate I & My with Gyani's Separator. I is immortal. My is mortal. - દાદા ભગવાન. જયાં જયાં ‘My'ની વળગણ છે તે બાજુ પર ખસેડાય તો અંતે Absolute 'I' જડે. “I' એ ભગવાન ને ‘My' એ માયા.” - દાદા ભગવાન. જ્ઞાની ‘' & 'My'ની વચ્ચે બાણહદ નાખી આપે. ૨૬. યાદગીરી - રાગદ્વેષાધીત યાદગીરી રાગદ્વેષને આધીન છે, જેમાં જેમાં રાગ અગર દ્વેષ, તેની યાદગીરી સતાવે. યાદ આવે તે પરિગ્રહ, છતાં જ્ઞાની યાદ આવે તે રાગને પ્રશસ્ત રાગ કહ્યો. જે રાગ સંસારની મમતા ઉડાડીને જ્ઞાનીમાં બેસાડે, તો તે રાગ જ મોક્ષનું કારણ છે. ફૂલ ચઢાવે તેના પર રાગ નહીં, ને ગાળો દે તેના પર દ્વેષ નહીં એનું નામ સમતા. સમતાભાવ ગોથું ખવડાવે, જ્ઞાતાદ્રષ્ટા ભાવમાં જાગૃતિ સતત હોય. સંસારમાં સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. સંતોષથી તો નવાં બીજ નંખાય ! ૨૭. તિખાલસ ! આત્મજ્ઞાન ત્યાં ખરી નિખાલસતા. શાસ્ત્રો વાંચવાની જરૂર નથી, નિખાલસ થવાનું છે. નિખાલસ એટલે પ્યૉર ! અસામાન્ય મનુષ્ય એટલે જે જીવમાત્રને મદદરૂપ થઈ પડે ! પોતે પ્રકૃતિથી પર બને. સચ્ચી આઝાદી મેળવે તે ! ૨૮. મુક્ત હાસ્ય ! મુક્ત હાસ્ય સંપૂર્ણ મુક્ત પુરુષના મુખારવિંદની સદાની શોભા છે ! મહીંલી જાતજાતની ખેંચો, દોષો, એટીકેટનાં ભૂતાં હાસ્યને ખેંચેલું રાખે. સરળતા, નિર્દોષતા, તેટલું હાસ્ય મુક્ત ! વીતરાગતા ત્યાં સંપૂર્ણ મુક્ત હાસ્ય ! ૨૯. ચિંતા : સમતા ચિંતા તો ચાર પગની ગતિ ચીતરે ! ખુદાને અડીને બેસે ‘જ્ઞાની’ને એ ‘જ્ઞાની”ની નજીકમાં બેસે તે ખુદાની નજદીક કેટલો ગયો !!! ત્યાં નીરવ શાંતિની અનુભૂતિ સિવાય અન્ય શું હોઈ શકે ? 31
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy