________________
આપ્તવાણી-૪
૩૧૩
૩૧૪
આપ્તવાણી-૪
પણ મૌનમાં ના હોય. મૌનમાં બધી ચંચળતા બંધ કરી દે. લખીને કહેવાનું, ઇશારો કરવાનું બધું જ ના હોય, ત્યારે એ સાચું મૌન કહેવાય.
પ્રશ્નકર્તા: આપણને અંદર ક્રોધ આવતો હોય ને બહાર મૌન હોય તો શું કરવું ?
દાદાશ્રી : તેથી જ અમે કહીએ છીએ કે વાણીથી ગમે તેવું બોલે, વર્તન ગાંડું ઘેલું કરે, પણ છેવટે “તું” ભગવાન-પક્ષમાં રહેજે. શેતાન-પક્ષમાં આ બધું થઇ ગયું હોય, પણ મન છે તે ભગવાનપક્ષમાં રાખજે. શેતાનપક્ષમાં મત આપી દીધો તો ખલાસ થઇ ગયું.
પ્રશ્નકર્તા: આ બધી બાબતમાં મન જ વધારે કામ કરે છે ને ?
દાદાશ્રી : મનને લઇને આ સંસાર ઊભો થયો છે. એક મનથી સંસાર આથમ્યા કરે છે ને એક મનથી ઊભો થાય છે.
પ્રશ્નકર્તા: સામાનો વ્ય-પોઇન્ટ સમજાય નહીં તો શું કરવું?
દાદાશ્રી : મૌન રહેવું. મૌન રહેવાથી અક્કલ હીણા માણસો શાણા ગણાયા. વખતે કહે કે, ‘તારામાં છત નથી.’ તો મૌન રહેવું. અને તે વખતે જો આપણે સામા થઇએ તો તે પેલાને યાદ રહેશે અને કહેશે કે, “આ તો છત વગરનો જ છે.”
થયાં છે. તે મોટા મોટા માણસોને ભય લાગ્યા જ કરે કે કોઇ કંઇ ઉતારી લેશે તો ? હવે આમાં તો શબ્દો ટેપ થાય એટલું જ છે. પણ આ મનુષ્યનું બોડી, મન બધું જ ટેપ થાય એવું છે. એનો લોકો જરાય ભય રાખતા નથી. જો સામો ઊંઘમાં હોય ને તમે કહો કે, “આ નાલાયક છે.' તો તે પેલાને મહીં ટેપ થઇ ગયું ! એ પછી પેલાને ફળ આપે. એટલે ઊંઘતાનુંય ના બોલાય. અક્ષરેય ના બોલાય. કારણ કે બધું ટેપ થઈ જાય, એવી આ મશીનરી છે ! બોલવું હોય તો સારું બોલજો કે, ‘સાહેબ, તમે બહુ સારા માણસ છો, સારો ભાવ રાખજો, તો એનું ફળ તમને સુખ મળશે. પણ ઊંધું સહેજ પણ બોલ્યા, અંધારામાં પણ બોલ્યા કે એકલા બોલ્યા, તો એનું ફળ કડવું ઝેર જેવું આવશે. આ બધું ટેપ જ થઈ જવાનું. માટે આ ટેપ સારું કરાવો.
પ્રશ્નકર્તા : કડવું તો જોઇતું જ નથી.
દાદાશ્રી : કડવું તો તમને ખપતું હોય તો બોલજો, ખપતું ના હોય તો બોલશો નહીં. કોઇ મારે, તોય એને કડવું ના કહેશો. એને કહીએ કે, “તારો ઉપકાર માનું છું.'
ભગવાને તો કહ્યું છે કે આ કાળમાં કોઇ ગાળ ભાંડી ગયો હોય તેને જાતે જમવા બોલાવજો. એટલી બધી વાઇલ્ડનેસ હશે કે એને ક્ષમા જ આપજો. જો કંઇ “રીવેન્જ' લેવા ગયાને, તો પછી સંસારમાં પાછા ખેંચાયા. ‘રીવેન્જ' લેવાનો ના હોય આ કાળમાં. આ દુષમ કાળમાં નરી વાઇલ્ડનેસ હોય. શું વિચાર ના આવે એ કહેવાય જ નહીં. દુનિયા પારના વિચારો હઉ આવે ! આ કાળના જીવો તો બહુ અથડાવાના. આવા માણસો જોડે આપણે વેર બાંધીએ તો આપણે હઉ અથડાવું પડે. એટલે આપણે કહીએ છીએ, ‘સલામ સાહેબ.’ આ કાળમાં તરત માફી આપી દેવી, નહીં તો તમારે ખેંચાવું પડશે. અને આ જગત તો વેરથી ઊભું રહ્યું છે.
આ કાળમાં કોઇને સમજાવવા જવાય એવું નથી. જો સમજાવતાં આવડે તો સારા શબ્દોમાં સમજાવો કે એ ટેપ થાય તોય જવાબદારી ના આવે. માટે “પોઝિટિવ' રહેજો. જગતમાં ‘પોઝિટિવ' જ સુખ આપશે અને ‘નિગેટિવ' બધું દુઃખ આપશે. માટે કેટલી બધી જોખમદારી છે ? ન્યાય
આ દુષમકાળમાં વાણીથી જ બંધન છે. સુષમકાળમાં મનથી બંધન હતું. આ શબ્દો ના હોત ને તો મોક્ષ તો સહજાસહજ છે. માટે કોઇના માટે અક્ષરેય બોલાય નહીં. કોઈને ખોટું કહેવું તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે. આ શબ્દ બોલવો એટલે તો જોખમદારી છે બધી. અવળું બોલે તો તેની પણ મહીં પોતાની ઉપર ધૂળ પડે, અવળું વિચારે તો તેની મહીં પોતાની ઉપર ધૂળ પડે એટલે એ અવળાનું તમારે પ્રતિક્રમણ કરવાનું, તો એનાથી છૂટી જવાય.
જીવંત ટેપરેકર્ડ કેવી જવાબદારી !
આ ટેપરેકર્ડ ને ટ્રાન્સમીટર એવાં એવાં તો કેટલાંય સાધનો અત્યારે