________________
આપ્તવાણી-૪
૧૭૯
૧૮૦
આપ્તવાણી-૪
કહે છે કે એમાં મારા પર શો ઉપકાર કર્યો ? એટલે આપણને એમ લાગે કે આ તપ કરવું છે તો કરવું.
ઉપવાસથી મુક્તિ ?!
છે. જપ કર્યો, તપ કર્યો, પણ તે પાછું આજ્ઞાપૂર્વક ના કર્યું. પોતાના મતથી, સ્વચ્છંદથી કર્યું. માથે સમકિતી ગુરુ હોય તો તેમની આજ્ઞાપૂર્વક કરવું. ગુરુ સમકિતી જોઇએ, મિથ્યાત્વી ગુરુ ચાલે નહીં. મિથ્યાત્વી ગુરુ આપણું મિથ્યાત્વ કાઢે નહિ છતાં મિથ્યાત્વી ગુરુ હોય તો તેમની આપણે સેવા કરવી. પણ ગુરુ તો સમકિતી જોઇએ. જેને આત્માનું ભાન હોય એવા ગુરુ કરીએ તો આપણું કામ થાય. બાકી મિથ્યાત્વી જોડે સંગ માંડીએ તો આપણો સંઘ કંઇ કાશીએ જાય નહીં ને રસ્તામાં જ રઝળી મરે !
પ્રશ્નકર્તા : જાગૃતિપૂર્વકના ઉપવાસ કોને કહેવાય ?
દાદાશ્રી : કોઇ જાગૃત માણસ હોય તેના નિમિત્તે ઉપવાસ કરો તો તે જાગૃતિપૂર્વકનો કર્યો કહેવાય. હું અત્યારે જાગૃત પુરુષ છું, તે મારા શબ્દથી ઉપવાસ કરે તો તે જાગૃતિપૂર્વકના ઉપવાસ કહેવાય.
પ્રશ્નકર્તા: જાગૃતિ પ્રાપ્ત કરતાં પહેલાં ક્રાઇસ્ટ, બુદ્ધ પણ ઉપવાસ કરેલા ને ?
દાદાશ્રી : એકલા ઉપવાસ જ નહિ, પણ બીજી બધી બહુ ચીજો તેમણે કરેલી.
ખોરાક પોતે માદક વસ્તુ છે. કોઇ પણ ખોરાક હોય પણ તે માદક વસ્તુ છે, એટલે એની માદકતામાં બધા મજા કર્યા કરે છે. ઉપવાસથી એની માદકતા બધી ઊતરી જાય. પણ એ જાગૃતિને પછી પાછળ પોષણ ના હોય તો નકામું છે. એ શરીરને સારું કરે, જરાક મન સારું કરે એટલું જ. પણ પછી જાગૃત ના રહે, ફરી પાછું એ ઊંધી જાય. કારણ કે જયારે ત્યારે ખાધા વગર છૂટકો જ નહીં ને ? અને એક ફેરો સંપૂર્ણ જાગૃત થયા પછી ખાય પીવે તો કશો વાંધો નથી. એક ફેરો આંખ ઉઘડી પછી ભલેને ખાય, પીવે, એને કશું નડતું નથી. એ તો જેને જે માફક આવે એ ખોરાક તો લેવો જ પડે. તને જો માફક આવે તો તપનો ખોરાક લેજે ને ના માફક આવે તો તે ના લઇશ. તપ એય ખોરાક છે. છતાં તને અજીર્ણ થાય તો ઉપવાસ કરજે. ભગવાનને ને ખોરાકને કંઇ લેવાદેવા નથી. આત્માને ઉપવાસની શી જરૂર ? આ તો ઉપવાસ કરે ને કહે કે આત્મા માટે કરું છું. આત્મા
આ શરીરને રોજ ખવડાવ ખવડાવ કરીએ, તે એક દહાડો અણાહારી રાખીએ તો શરીર ચોખ્ખું રહે, મન સારું રહે, બધું સારું રહેનુકસાનકારક નથી. જેને મોક્ષે જવું હોય તેને આ બધાની આવી જરૂર નથી. જરૂર ખરી, પણ ઉપવાસનો અભિનિવેશ ના જોઇએ. મોક્ષે જવું હોય તો એટલું જાણવું જોઇએ કે ‘હું બંધાયેલો છું કે નહીં ?” પછી એ જાણવું જોઇએ કે, ‘આ બંધન કેમ કરીને તૂટે ? બંધન શેના આધારે થયું છે ? આ બંધન શેનાથી તૂટે ?” એના ઉપાય જાણવા જોઇએ.
બંધન તોડવાનો ઉપાય તો જે મુક્ત થયેલા હોય તેમને આપણે પૂછવું કે, “સાહેબ, આપ મુક્ત થયા હો તો હું તમારી જોડે બેસું, નહીં તો મારે ટાઇમ બગાડીને શું કામ છે ? નહીં તો તમે બંધાયેલા ને હું બંધાયેલો, તે આપણો કયારે મેળ ખાય ?’ તને કોઇ કહેનારા મળ્યા નહીં કે હું મુક્ત થયો છું ?
પ્રશ્નકર્તા : આ તમારો સત્સંગ મળ્યોને ?
દાદાશ્રી : બસ ત્યારે ‘અમે’ મુક્ત થયા છીએ એવું અમે કહીએ છીએ ! અને તારે મુક્તિ જોઇતી હોય તો આવજે. આની ફી-બી ના હોય અને ભગવાનના મુક્તિમાર્ગમાં ફી જેવું કશું હોય જ નહીં. કારણ કે જ્ઞાની પુરુષ' કોને કહેવાય કે જેને લક્ષ્મીની ભીખ ના હોય, કીર્તિની ભીખ ના હોય, શિષ્યોની, વિષયોની ભીખ ના હોય, કોઇ ચીજની ભીખ ના હોય ત્યારે ‘જ્ઞાની”નું પદ પ્રાપ્ત થાય.
‘રો' . પણ ફળ “શ્રદ્ધા'થી જ !
પ્રશ્નકર્તા : પણ જોષી એમ કહે છે કે રાહુ અને કેતુ નડે છે એટલે બુધવાર કરો.