SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૧૭૫ ૧૭૬ આપ્તવાણી-૪ સવારમાં ચોખ્ખું દૂધ પીધું હોય, જમતી વખતે ચોખ્ખું ધી હોય, જયારે કંટ્રોલનું અનાજ નહોતું, કંટ્રોલનું ઘી નહોતું, ભેળસેળવાળો માલ નહોતો, તે દહાડે જે જમતા હતા તેને ભગવાને ઉપવાસ કરવાના કહ્યા હતા. આજનાં આ જીવડાં ભૂખે મરેલાં છે, તેને તે શા ઉપવાસ કરવાના? આમનામાં છે જ કયાં તાકાત ? આમના પાંસળાં તો દેખાય છે. બે-ત્રણ ઉપવાસ કરે તો વાંધો નથી. ... એકેય ઉપવાસ નથી થયો ! પ્રશ્નકર્તા : તમે જ્ઞાની થવા માટે કેટલા ઉપવાસ કરેલા ? દાદાશ્રી : મારે સમ ખાવા માટે એક ઉપવાસ કરવો જોઇએ તેય નથી થયો. અમે નિરંતર ઊણોદરી તપ કરીએ છીએ. આ અમારી શોધખોળ છે. નિરંતર ઊણોદરી એ કાયમ ઉપવાસ જેવું છે. આ બારેય પ્રકારનાં તપ કરવા જાય તો કયારે પાર આવે ? પ્રશ્નકર્તા : હા, સમજણ પાડે તો સહેલો છે ! દાદાશ્રી : ભગવાને કહ્યું કે અશુભમાંથી શુભ કરે તો તે ઉપયોગપૂર્વક કર, અને શુદ્ધમાં આવે તો તો શુદ્ધ ઉપયોગ- એટલે પરમાત્મ સ્વરૂપ થઈ ગયો. એટલે ઉપયોગ રાખવાનું કહ્યું છે. આમ તો બધું થાય છે, પણ તેનો અર્થ જ નથી કશો. જો કે તેનું ફળ મળશે, નકામું જવાનું નથી કોઇનું. શુદ્ધ ઉપયોગને “અમે” એક મિનિટ પણ ચૂક્યા નથી કોઇ દિવસ. કેવળ શુદ્ધ ઉપયોગ જ હોય અમને. શુભ ઉપયોગ તો અમારે કામનો રહ્યો નથી. શુદ્ધ ઉપયોગી ને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી, કર્મ કલંકકો દૂર નિવારી, જીવ વરે શિવનારી.” પ્રશ્નકર્તા: આપણાં ‘સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કરેલા મહાત્માઓ ઉપવાસ કરે તો ? દાદાશ્રી : ઘણો ફાયદો થાય. એક ઉપવાસથી આખા વર્ષ દહાડાનું ફળ મળે, પણ બહુ જાગૃતિ રાખવી પડે. ભગવાને કહ્યું કે એક ઉપવાસ શુદ્ધ ઉપયોગપૂર્વક થાય તો આખા વર્ષનો શુદ્ધ ઉપયોગ ભેગો થાય. ઉપવાસ માટે આગલી રાતે તાળું મારી દેવાનું. રાત્રે નિશ્ચય કરીને સૂઇ જાય કે આવતી કાલે શુદ્ધ ઉપયોગપૂર્વક ઉપવાસ કરવો છે. અમારી આજ્ઞા લે, ત્યાર પછી ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું'ના લક્ષમાં આખો દિવસ રહે અને અમારી પાંચ આજ્ઞામાં રહે. આ પ્રમાણે છત્રીસ કલાક મોઢાને તાળું મારીને ઉપવાસ કરે તો આખા વરસ દહાડો શુદ્ધ ઉપયોગ અને પ્રાપ્ત થાય. અને ભગવાને કહ્યું કે જો તને જ્ઞાન ના હોય ને ઉપવાસ કરીશ તો તને લાંઘણનું ફળ મળશે, તને તાવ આવ્યો હશે તો મટી જશે. કેટલાક તો આ રથ ઉપર બેસવા માટે ઉપવાસ કરે છે. અલ્યા, તારા શરીરની પાંસળીઓ તો દેખાય છે. પછી શાને માટે આવું કરે છે ? એ તો કોઇ જાડો હોય તેને કામનું છે. ભગવાને કહેલો ઉપવાસ ખોટો નથી. એ તો બહુ સુંદર છે પણ તે કોને કહ્યું હતું? આ તમને મેં ‘સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે તે તમે ઉપવાસ કરો તો તે ભગવાનના કહ્યા પ્રમાણે થાય. નહીં તો જેણે ચોખ્ખું ઘી ખાધું હોય, ઊણોદરી - જાગૃતિનો હેતુ ! પ્રશ્નકર્તા : જીવનમાં મોક્ષ માર્ગે આગળ જવા માટે ઉપવાસ ના થાય તો યથાશક્તિ શું કરવું જોઇએ ? દાદાશ્રી : ઊણોદરી કરજો. પ્રશ્નકર્તા : ઊણોદરીનો અર્થ શો ? દાદાશ્રી : તમે ચાર રોટલી ખાતા હોય તો પહેલાં ત્રણ રોટલી ખાવ, પછી બે રોટલી ખાવ એ ઊણોદરી કહેવાય. આ કોઠી કંઇ ભરી દેવા માટે હોય ! પ્રશ્નકર્તા : પૂરતો ખોરાક ના ભરે તો ધર્મનો પુરુષાર્થ કેવી રીતે થઇ શકે ? દાદાશ્રી : ઊણોદરી એટલે ભૂખ લાગે તો ખાજો પણ ભૂખ્યા પેટે
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy