SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૧૭૧ ૧૭૨ આપ્તવાણી-૪ દાદાશ્રી : પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય ને અગિયારમું મન એમને નિરાહારી રાખવાં. આંખ, કાન, મોં, સ્પર્શ એ જ્ઞાનેન્દ્રિય ને હાથપગ, સંડાસ એ બધી કર્મેન્દ્રિય ને અગિયારમું મન; એમને એક દહાડો ખોરાક આપવાનો નહીં, કાને સંભળાય તો ખરું પણ આપણે સાંભળવા જવાનું નહીં, આંખે દેખાય પણ આપણે ઊઠીને જોવા જવાનું નહીં. આખો દહાડો કશું જ કરવાનું નહીં, મનને બિલકુલ ખોરાક આપવાનો નહીં. પ્રશ્નકર્તા : હલન-ચલન કરાય ? દાદાશ્રી : ના. કશું જ ના કરાય. પ્રશ્નકર્તા: સૂઈ જવાય ? દાદાશ્રી : હા, આજ્ઞા લઇને કરો તો વાંધો નહીં. તમે બોલાવો તો હાજર થાઉં એવો છું, પણ તમને બોલાવતાં આવડતું નથી ને ? પ્રશ્નકર્તા : પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિયનું તો સમજયા પણ મનનું શું દાદા ? એ તો ભ્રમણ કરે જ છે ને ? દાદાશ્રી : છોને ભ્રમણ કરતું. આપણે એને આહાર ન આપવો, એને નિરાહારી રાખવું. પછી એ કૂદાકૂદ કરે કે બેસી રહે, પણ આપણે તેને આહાર આપવો નહીં. હાથને આહાર આપવો નહીં. આંખને આહાર આપવો નહીં, તે દહાડે બેસવું, પછી પગને આહાર આપવો નહીં, ચોપડી લઇ ને બેસવું નહીં અને ‘દાદા, દાદા’ બોલ્ય રાખવું. તે મોઢેથી બોલવાનુંય નહીં, મનમાં ‘દાદા'નું સ્મરણ ચાલ્યા જ કરે. આવી જ એક અગિયારસ કરે તો સામટું ફળ મળે. આ તો અગિયારસ કરે તેય મોરિયા ને લાડવા, પાછી પૂરીઓ ઘીની, સ્ક્રી-શાક જુદી જુદી જાતનાં, તે ઊલટું તે દહાડે વધારે ઠોકવાનું. પ્રશ્નકર્તા: તપ કરે, ઉપવાસ કરે, આયંબિલ કરે એનાથી શું થાય? દાદાશ્રી : એનાથી શરીર શુદ્ધ થાય અને મનની શુદ્ધિ થાય. જરા વાણી પણ સારી થાય અને વખતે વાણી બગડી જાય. સારું જમાડયા પછી બોલવાનું કહીએ તો બોલે નહીં. અને ભૂખ્યા પેટે તો બળતરા કાઢે ! આયંબિલ : એક સાયન્ટિફિક પ્રયોગ : દાદાશ્રી : આડા પડાય. પ્રશ્નકર્તા : ઊંઘ આવે તો ? દાદાશ્રી : તો પાછા બેઠા થઇ જવું. ચોવીસ કલાક નિરંતર જાગૃતિમાં કાઢવા. આમ, એક જ અગિયારસ કરો તો આત્મા જુદો જ પડી જાય. પ્રશ્નકર્તા : આ પાળવું અઘરું છે. દાદાશ્રી : તમે નિશ્ચય કરશો એટલે એ પળાશે જ. તમારો નિશ્ચય અને અમારું વચનબળ હોય એટલે એ પળાય જ ! પ્રશ્નકર્તા : ઉપવાસ કરવો હોય તો આપની આજ્ઞા લઈને કરવાનો પ્રશ્નકર્તા : આ આયંબિલ જે કરવામાં આવે છે તે ભગવાન મહાવીરના વખતથી છે કે જ્યારથી છે ? દાદાશ્રી : અમે કોઈને આજ્ઞા આવી કરીએ નહીં કે તું ઉપવાસ કર. પણ તમારે ઉપવાસ કરવો હોય તો તેનો નિશ્ચય કરી અમારી પાસેથી આજ્ઞા લઇ જવી. આજ્ઞાથી, વચનબળથી તમારું કામ પૂરું થાય. પ્રશ્નકર્તા : કયારેક ‘દાદા’ અહીં મુંબઇમાં હાજર ના હોય ને ઉપવાસ કરવાની ઉચ્છા થાય તો આપના ચિત્રપટ પાસેથી આજ્ઞા લઈ લેવાય ? દાદાશ્રી : આયંબિલ તો ‘સાયન્સ' છે. એ ઋષભદેવના વખતથી છે. એ આત્મધર્મના હેતુ માટે નથી, શરીરધર્મના હેતુ માટે છે. તે શરીરને સારું રાખવા માટે છે. જેના શરીરમાં ઝેરી દ્રવ્યો હોય, અગર તો શરીર સારું ના હોય તે આયંબિલ કરે. એ પદ્ધતિસરનું હોવું જોઇએ. એક જ વસ્તુ, એક જ ધાન્ય ખાવાનું, બીજું ધાન્ય ખાવાનું નહીં. આયંબિલ બહુ જ સાચું કહ્યું છે. તીર્થકર ભગવાનના મહેલમાં આખી ‘આ’ ઓરડી સાચી રહી
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy