SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૧૫૫ ૧૫૬ આપ્તવાણી-૪ છે. વ્યવહારમાં તો અનંત અવતારથી આનું આ જ કર્યું છે ને ભટક, ભટક, ભટક, ભટક ક્યાં કર્યું છે ! આચાર્યો થયા, સાધુઓ થયા, સાધ્વીજી થયાં, આમ ને આમ ભટક ભટક કર્યા કર્યું, માર્ગ મળ્યો નહીં. મોક્ષ : જ્ઞાનથી કે ભક્તિથી ? સ્વરૂપ જાણવા માટે વચ્ચે ગુરુ જોઇએ. નરસિંહ મહેતાએ શું ગાયેલું ? ‘જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નયો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.’ ભક્તિ : સ્થૂળથી સૂક્ષ્મતમ ! પ્રશ્નકર્તા : દરેક ધર્મના શાસ્ત્રોમાં નામનું મહત્વ બહુ બતાવે છે, નામના જાપ કરવાનું, એમાં શું રહસ્ય હશે ? દાદાશ્રી : એ બધું એકાગ્રતા માટે છે. ‘નામ’ એ સ્થળ છે, સ્થૂળ ભક્તિ છે. પછી ‘સ્થાપના’ સૂક્ષ્મભક્તિ છે, પછી ‘દ્રવ્ય' એ સૂક્ષ્મત્તર ભક્તિ છે અને છેલ્લે “ભાવ” એ સૂક્ષ્મતમ છે. આ ચાર પ્રકારની ભક્તિ છે. તે એકલા મહાવીર, મહાવીર બોલતા હોય તોય સ્થૂળભક્તિ થઇ. અને જો સ્થાપના એટલે કે ફોટો મૂકીને ‘મહાવીર, મહાવીર' કરે તે સૂક્ષ્મભક્તિ થઇ કહેવાય. આ મારો ફોટો મુકીને ભક્તિ કરે એના કરતા હું જાતે હાજર હોઉં ને મારી હાજરીમાં ભક્તિ કરે તો એ સૂક્ષ્મતર ભક્તિ કહેવાય. અને પછી મારી આજ્ઞા જ પાળે તો એ સૂક્ષ્મતમ ભક્તિ કહેવાય. મારું કહેવાનું, અમારી આજ્ઞા, એના ભાવમાં આવી જાય તો એ ભાવભક્તિ થઇ ગઇ. એ તરત ફળ આપનારું છે. પેલી ત્રણેય પ્રકારની ભક્તિ ભૌતિક ફળ આપનારી છે. અને ‘આ’ એકલું જ ‘રીયલી કેશ’ છે તેથી તો અમે કહીએ છીએ કે “ધીસ ઈઝ ધી કેશ બેંક ઇન ધી વર્લ્ડ.' આને “કેશ બેંક’ શાથી કહીએ છીએ કે અત્યારે ‘અહીં” છેલ્લી ભાવ ભક્તિ થાય. નામભક્તિય ખોટી નથી. નામનો એવો નિયમ નથી. નામમાં તો ‘રામ’ બોલે તોય ચાલે ને કોઇ ‘લીમડો’ બોલ બોલ કરે તોય ચાલે. ખાલી બોલવું જોઇએ. જે બોલ્યા તેની મહીં ઉપયોગ રહે, એટલે બીજી બાજુ લિસોટા ના માર માર કરે. આત્માને એક ઘડીવાર વીલો મુકાય એવો નથી, માટે કંઈર્ન કંઈક એના માટે ઉપયોગ રાખવો. માટે નામસ્મરણ કરે છે એ કંઈ ખોટું નથી. કોઇ વસ્તુ ખોટી હોતી જ નથી આ જગતમાં. પણ નામ, સ્થાપના ને દ્રવ્ય એ ત્રણેય વ્યવહાર છે અને ભાવ એકલું જ નિશ્ચય પ્રશ્નકર્તા : ભક્તિમાર્ગથી મોક્ષ છે કે જ્ઞાનમાર્ગથી મોક્ષ છે ? દાદાશ્રી : ભક્તિમાર્ગ તમે શું સમજ્યા ? જ્ઞાનમાર્ગ શરૂ થયા પછી ભક્તિ આવે છે. આ સ્ટેશનનો રસ્તો દેખાડે પછી તમે ચાલો ને ? રસ્તાનું જ્ઞાન થયા પછી એ રસ્તે ચાલવું એ ભક્તિ છે. ભક્તિ શબ્દનો ખરો અર્થ શું છે ? એ શબ્દની મહીં આશ્રય સમાઇ જાય છે. આ બધાને જ્ઞાન આપ્યું છે તે બધા ભક્તિમાર્ગમાંયે છે. જેનો આશ્રય લીધો તેની ભક્તિ કરવાની. પ્રશ્નકર્તા : એટલે ભક્તિમાય અક્રમ માર્ગમાં છે ? દાદાશ્રી : ‘આ’ પરાભક્તિ છે. અક્રમમાર્ગમાં આત્મા પ્રાપ્ત કરી લીધા પછી જે ભક્તિ કરે છે તે પોતે પોતાની જ ભક્તિ કરે છે. આ માળા બનાવે છે તેય પોતાની ભક્તિ કરે છે, પછી ભલે એ માળા અમને ચઢાવે ! ‘જ્ઞાની પુરુષ'ની ભક્તિ એ પોતાના આત્માની જ ભક્તિ છે. જયાં સુધી તમારો સંપૂર્ણ આત્મા વ્યક્ત નથી થયો ત્યાં સુધી ‘જ્ઞાનીપુરુષ’ એ જ તમારો આત્મા છે. ‘જ્ઞાની પુરુષ' શલ્યરહિત હોય. પોતે પ્રસન્ન ચિત્તવાળા હોવાથી સામાને એ પ્રસન્નચિત્તનાં દર્શન કરવાથી જ એને આનંદ પ્રગટે. જ્ઞાની’નાં દર્શન માત્રથી અનેક અવતારોનાં પાપો ભસ્મીભૂત થઇ જાય! પરાભક્તિ : અપરાભક્તિ !! આખું જગત ભક્તિ ખોળી રહ્યું છે, એ અપરાભક્તિ છે. જે ભક્તિમાં સહેજેય બુદ્ધિનો પ્રવેશ હોય નહીં એ મોક્ષની ભક્તિ કહેવાય. ભક્તિ મોક્ષની હોવી જોઇએ. બુદ્ધિનો પ્રવેશ થાય તો એ અપરાભક્તિ થાય. બુદ્ધિ બહાર નીકળી ગઇ તો પરાભક્તિ, ‘અહીં’ આખો દહાડો ચાલે
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy