________________
સહજ પ્રાકૃત શક્તિ દેવીઓ
૫
જાણીએ કે સામાવાળાનું કેવું પુણ્ય છે. ‘અમારી’ વાણી એય રેકોર્ડ છે. એમાં અમારે શી લેવા દેવા ? છતાં ‘અમારી’ રેકોર્ડ કેવી હોય? સંપૂર્ણ સ્યાદ્વાદ ! કોઇ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ ના થાય, દરેકનું પ્રમાણ કબૂલ કરે એવી ‘આ' સ્યાદ્વાદ વાણી છે.
સરસ્વતીની આરાધના એટલે શું ? વાણીનો કોઇ પણ જાતનો અપવ્યય ના થાય અને વાણીને એના વિભાવિક સ્વરૂપે ના લઇ જાય તે, જૂઠ્ઠું બોલ્યો એટલે કેટલો મોટો વિભાવ !
ક્ષત્રિયોનું વચન નીકળ્યું એટલે વચન જ. તેઓ બેવચની ના હોય. અત્યારે મુંબઇ શહેરમાં છે જ નહીં ને કોઇ ! અરે! વચનનું તો ક્યાં ગયું પણ આ દસ્તાવેજ લખેલો, સહીં કરેલો હોય તોય કહે કે, ‘સહી મારી ન હોય' અને સાચો ક્ષત્રિય તો વચન બોલ્યો એટલે બોલ્યો.
આ ચારણો ફોટામાંની સરસ્વતીની ભજના કરે છે તોય એમની કેટલી બધી મીઠી વાણી હોય છે !
લક્ષ્મીજી
પ્રશ્નકર્તા : લક્ષ્મીજીના કાયદા શા છે ?
દાદાશ્રી : લક્ષ્મીજી ખોટી રીતે લેવાય નહીં એ કાયદો. એ કાયદો જો તોડે એટલે પછી લક્ષ્મીજી ક્યાંથી રાજી રહે ? પછી તું લાખ લક્ષ્મીજી ધો ને ! બધાંય ધૂએ છે. ત્યાં વિલાયતમાં લોકો લક્ષ્મીજીને ધૂએ છે?
પ્રશ્નકર્તા : ના, દાદા, ત્યાં તો કોઇ લક્ષ્મીજીને ધોતું નથી.
દાદાશ્રી : તોય એ ફોરેનર્સને લક્ષ્મીજી આવે છે કે નહીં ! એમ લક્ષ્મીજી ધોવાથી આવતી હશે ? દહીમાંય ધૂએ છે અહીં હિંદુસ્તાનમાં. લક્ષ્મીજીને બધાય ધો ધો કરે છે ને કોઇ કાચા નથી. મનેય લોકો કહેવા આવે છે કે, ‘તમે લક્ષ્મીજી ધોઇ કે નહીં ?' મેં કહ્યું, ‘શાના માટે ?” આ લક્ષ્મીજી જ્યારે ભેગાં થાય છે ત્યારે અમે કહી દઇએ છીએ કે વડોદરે, મામાની પોળ, ને છઠ્ઠું ઘર, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો; અને
૮ ૬
આપ્તવાણી-૨
જ્યારે જવું હોય ત્યારે જજો. તમારું જ ઘર છે. પધારજો, એટલું અમે કહીએ. અમે વિનય ના ચૂકીએ. અમે એવું ત્યાં આગળ ના કહીએ કે, ‘અમારે એની જરૂર નથી.’
લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક સાધુઓ, મહારાજો, બાવાઓ વગેરે લક્ષ્મીજીને દેખીને ‘નહીં, નહીં’ કરે છે. તેનાથી એમના કેટલાય અવતાર લક્ષ્મી વગર રખડી મરશે ! તે મૂઆ, લક્ષ્મીજી ઉપર આવી તરછોડ ના કરીશ; નહીં તો અડવાય નહીં મળે. તરછોડ ના મરાય. કોઇ વસ્તુને તરછોડ મરાય એવું નથી. નહીં તો આવતા ભવે લક્ષ્મીજીનાં દર્શનેય કરવા નહીં મળે. આ લક્ષ્મીજીને તરછોડ મારે છે તો વ્યવહારને ધક્કો મારવા જેવું છે. આ તો વ્યવહાર છે. તેથી અમે તો લક્ષ્મીને
આવતાંય ‘જય સચ્ચિદાનંદ’ ને જતાંય ‘જય સચ્ચિદાનંદ’ કરીએ છીએ. આ ઘર તમારું છે, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો, એમ વિનંતી કરવાની હોય. લક્ષ્મીજી કહે છે, ‘આ શેઠિયા અમારી પાછળ પડ્યા છે તે એમના પગ છોલાઇ ગયા છે. તે પાછળ પડે છે ત્યારે બે-ચાર વખત પડી જાય છે, ત્યારે પાછા મનમાં એમ ભાવ કરે છે કે બળ્યું આમાં તો ઢીંચણ છોલાય છે પણ ત્યારે તો અમે ફરી ઇશારો કરીએ છીએ ને ફરી પેલો શેઠિયો ઊભો થઇને દોડે છે. એટલે એમને અમારે માર માર કરવાના છે. એમને બધે છોલીને લોહી-લુહાણ કરી નાખવા છે. એમને સોજા ચઢ્યા છે છતાં સમજણ નથી ખૂલતી !' બહુ પાકાં છે લક્ષ્મીજી તો!
કળીકાળતી લક્ષ્મી
આજની લક્ષ્મી ‘પાપાનુબંધ પુણ્ય'ની છે. એટલે તે ક્લેશ કરાવે એવી છે. એનાં કરતાં ઓછી આવે તે સારું ઘરમાં ક્લેશ તો ના પેસે!
આજે જ્યાં જ્યાં લક્ષ્મી પેસે છે ત્યાં ક્લેશનું વાતાવરણ થઇ જાય છે. એક ભાખરી ને શાક સારું, પણ બત્રીસ જાતની રસોઇ કામની નહીં. કારણ કે એ રસોઇ ખાધા પછી ક્લેશ થાય તો શા કામનું ! આ કાળની તો લક્ષ્મી આવે ને ક્લેશ લાવે. પાપાનુબંધી પુણ્યેની લક્ષ્મી દુઃખ આપીને જાય, નહીં તો એક જ રૂપિયો, ઓ હો હો ! કેટલું સુખ આપીને જાય!