________________
મૂર્તિધર્મ : અમૂર્ત ધર્મ
અમૂર્ત એવા ભગવાનનું દર્શન, શુદ્ધાત્માનું દર્શન થાય નહીં.
૪૩
પ્રશ્નકર્તા : આ મૂર્તિ એ તો પથ્થર છે, એનાં દર્શનથી શું મળે ?
દાદાશ્રી : એ પણ બીજા લોકોને કામના છે ને ? એકાંતિક દૃષ્ટિ
નહીં કરવાનું ભગવાને કહેલું. સામુદાયિક દૃષ્ટિ રાખો. અનેકાંત એટલે નાનું બાળક નાણું ફરે તો તેને કોઇ વઢે નહીં, તેને કોઇ ઠપકો ના આપે અને પચાસ વર્ષનો નાગો ફરતો હોય તો ઠપકો આપે. ત્યારે પચાસ વર્ષનો કહે કે, મને કેમ ઠપકો આપો છો ને આ નાના છોકરાને કેમ ઠપકો આપતા નથી ?” ત્યારે આપણે તેને કહીએ કે, ‘અરે ભાઇ, તારી ઉંમર વધારે થયેલી છે. આ નાના છોકરાંની ઉંમરના પ્રમાણમાં એનો ધર્મ બરોબર છે અને તારી ઉંમરના પ્રમાણમાં તારો ધર્મ ખોટો છે.’ એવી રીતે બધાંને સામુદાયિક રીતે જોવું જરૂરી છે.
કબીરસાહેબ મુસ્લિમ લત્તામાં મસ્જિદની પાસે જ રહેતા હતા. તે પેલા લોકો બાંગ પોકારે, તે લોકો કાનમાં આંગળા ઘાલીને પોકારે છે કે નહીં ? એને શું કહેવાય ? બાંગ. હવે એ બાંગને માટે કબીરસાહેબ, એ તો બહુ જાગ્રત માણસ, તે કહે, “અલ્લા કુછ બહેરા થોડા હૈ, તો ઇતના જોર જોર સે બોલ બોલ કરતા હૈ ? વહ સબ સૂનતા હૈ. વહ તો યહ કીડી કે પાંવ મેં ઝાંઝર લગા દો તો વહ ભી સૂન લેતા હૈ તો ફીર તુમ ક્યું ઇતના બૂમ લગાતા હૈ ? હમારે કાન મેં બહુત ખરાબ લગતા હૈ.’’ તે ‘અમારા ભગવાનની, અમારા ધર્મની ટીકા કરે છે ?’ એમ કહીને મુસ્લિમ લોકોએ કબીરસાહેબને ખૂબ માર્યાં.
હવે કબીરસાહેબે મને પૂછ્યું હોત કે, ‘આ તો ખોટું કરે છે ને મને માર્યો.’ તો હું કહું કે, ‘એ કરે છે તે બરોબર છે. ભૂલ તમારી છે. સામાના યુ પોઇન્ટને જાણીને બોલો. સામાનું વ્યુ પોઇન્ટ જાણ્યા સિવાય બોલવું અને બધાંને પોતાની સરખી દૃષ્ટિએ માપવું એ ભયંકર ગુનો છે. પોતાની સરખી દૃષ્ટિએ એટલે મને જેવી દૃષ્ટિ છે એવી જ આમને હશે એવું માનવું એ બધો ગુનો કહેવાય.' પછી કબીરસાહેબને હું સમજાવું કે, ‘આ લોકો જેટલું જોરથી બોલશે એટલો મહીં પડદો તૂટશે અને ત્યારે મહીં અલ્લાહ
આપ્તવાણી-૨
સાંભળશે. એમનું આવડું મોટું જાડું પડ, આવરણ હોય છે, અને તમારું પડ છે તે લૂગડાં જેવું પાતળું છે. એટલે તમે મનમાં વાત કરશો તોય તેમને પહોંચી જશે અને પેલા લોકોને તો પડ જાડું છે એટલે હોંકારીને જેટલું જોશથી બોલાય એટલું એમણે તો બોલવું. આ બધું એમને માટે બરોબર છે, કરેક્ટ છે. હવે આવી બાંગ ક્રાઇસ્ટના ભક્તો પોકારે તો તેમનું બગડી જાય. એમને તો બિલકુલ શાંતિ જોઇએ. બોલવાનું જ નહીં, શબ્દ જ નહીં. દરેકની ભાષામાં જુદું જુદું છે. એટલે એ એમની ભાષામાં વાત કરતા હોય ને તેને આપણે કહીએ તો કબીરસાહેબ જેવી દશા થાય. જે અનેકાંતને નથી સમજતા તે કબીરસાહેબની જેમ માર ખાય. પોતે પોતાની ભૂલનો માર ખાય છે.
૪૪
કબીરસાહેબ બહુ જાગ્રત માણસ થઇ ગયા. ભક્તો ઘણા ખરા થઇ ગયા એમાં પણ બીર બહુ બહુ જાગ્રત હતા. એવાં પાંચ-સાત ભક્તો થઇ ગયા છે, કે જે બહુ જાગ્રત હતા, અત્યંત જાગ્રત. એમને માત્ર મોક્ષમાર્ગ મળવાને વાંકે અટક્યું હતું. તેમને માર્ગ મળ્યો નહીં. તેમને જો માર્ગ મળ્યો હોત તો કંઇ કંઇ કામ કાઢી નાખે એવા હતા એ !
તે કબીરજીના વખતમાં બ્રાહ્મણો ગામમાં યજ્ઞ કરતા હતા. તેમણે યજ્ઞમાં હોમવા મોટો બકરો લાવીને ઊભો રાખ્યો હતો. કબીરજીએ આ જોઇને બ્રાહ્મણોને કહ્યું, તમે આ બકરો કેમ અહીં ઊભો રાખ્યો છે ?’ ત્યારે બ્રાહ્મણોએ કબીરજીને કહ્યું, ‘તું કેમ અહીં આવ્યો છે ? જતો રહે અહીંથી. તારે એનું શું કામ છે ?’ ત્યારે કબીરજી સમજી ગયા ને બોલ્યા,
આ બકરો જીવતો છે, સારો છે. એને શું કરવા તમે યજ્ઞમાં હોમો છો? એને કેટલું બધું દુઃખ થશે ?” ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, ‘એને તો યજ્ઞમાં હોમીશું, એટલે એને તો સ્વર્ગ મળશે.' ત્યારે કબીરજી ફટ દઈને બોલ્યા, ‘આ બકરાને શું કામ સ્વર્ગ કરાવો છો ? એના કરતાં તમારા બાપા ઘરડા થયા છે તેમને યજ્ઞમાં હોમોને કે જેથી તેમને સ્વર્ગ મળે !' હવે આ કેવું આધાશીશી ચઢે એવું વાક્ય કહેવાય ! તે બ્રાહ્મણોએ ખૂબ માર્યા એમને, એટલે જ્યાં ને ત્યાં માર ખાય. ભગવાનનું અનેકાંત સમજ્યા વગર બોલે તે જ્યાં ને ત્યાં માર ખાય ! બાકી કબીરજી જેવા તો ભગત નથી થયા