________________
ભક્ત-ભક્તિ-ભગવાન
૪૨૩
પુરુષ' મળી જાય તો “હુંહી તુંહી’ બધે ગાય ! ‘તું'ને ‘હું જુદા છે ત્યાં સુધી માયા છે અને ‘તું’ ‘હું ગયું, ‘તારું મારું ગયું એટલે અભેદ થઇ ગયા ! ભગવાન તો કહે છે કે, ‘તુંય ભગવાન છે. તારું ભગવાન પદ સંભાળ, પણ ના સંભાળે તો શું થાય ?” પાંચ કરોડની એસ્ટેટવાળો છોકરો હોય, પણ હોટલમાં કપ-રકાબી ધોવા જાય ને એસ્ટેટ ના સંભાળે તેમાં કોઇ શું કરે ? ! મનુષ્ય ‘પૂર્ણ રૂપે’ થઇ શકે છે, મનુષ્ય એકલો જ - બીજા કોઇ નહીં, દેવલોકોય નહીં !'
ભગવાન એટલે શું? ભગવાન નામ છે કે વિશેષણ છે? જો નામ હોત તો આપણે તેને ભગવાનદાસ કહેવું પડત; ભગવાન વિશેષણ છે. જેમ ભાગ્ય ઉપરથી ભાગ્યવાન થયું, તેમ ભગવત ઉપરથી ભગવાન થયું છે. આ ભગવત્ ગુણો જે પણ કોઇ મનુષ્ય પ્રાપ્ત કરે તેને ભગવાન વિશેષણ લાગે.
અપદ’ એ મરણપદ છે. “હું ચંદુભાઇ છું” એ “અપદ' છે. અપદમાં બેસીને જે ભક્તિ કરે તે ભક્ત અને “શુદ્ધાત્મા’ એ “સ્વપદ' છે. ‘સ્વપદમાં બેસીને “સ્વ”ની ભક્તિ કરે એ “ભગવાન.”
આ એ.એમ.પટેલ મહીં પ્રગટ થઇ ગયેલા ‘દાદા ભગવાનની રાત દહાડો ભક્તિ કરે છે ! અને હજાર હજાર વાર એમને નમસ્કાર કરે છે!
જ્યાં સુધી આત્મા સંપૂર્ણ પ્રાપ્ત થયો નથી, ત્યાં સુધી એવું રહેવું જોઇએ કે ‘જ્ઞાની પુરુષ' એ જ મારો આત્મા છે અને એમની ભક્તિ એ પોતાના જ આત્માની ભક્તિ છે ! ભક્તિનો સ્વભાવ કેવો ? જે રૂપની ભક્તિ કરે તેવો થાય. ‘જ્ઞાની પુરુષ'ની ભક્તિમાં ઊંચામાં ઊંચી કીર્તનભક્તિ છે. કીર્તનભક્તિ ક્યારે ઉત્પન્ન થાય ? ક્યારેય પણ અપકીર્તિનો વિચાર ના આવે, ગમે તેટલું અવળું હોય તોય સવળું જ દેખાય. જો કે ‘જ્ઞાની પુરુષ'માં અવળું હોય જ નહીં. કીર્તનભક્તિમાં તો નામેય મહેનત નહીં ! કીર્તનભક્તિથી તો ગજબની શક્તિ વધે !
નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ દાદાશ્રી : મોક્ષ હશે કે નહીં ?
પ્રશ્નકર્તા: હા. એ તો વિશ્વાસ છે, માટે માર્ગ પણ હશે અને એના જાણકાર પણ હશે ખરા ને ?
દાદાશ્રી : હા. “અમે તેના જાણકાર છીએ. આ સાન્તાક્રુઝનો માર્ગ બતાવનાર તો મળી આવે, પણ મોક્ષનો માર્ગ તો બહુ સાંકડો અને ભુલભુલામણીવાળો છે, તેનો બતાવનાર મળવો અતિ દુર્લભ છે. તે જો મળી જાય તો એ “મોક્ષદાતા” પાસેથી માગી લેવાનું હોય જ ને ? ધીસ ઇઝ ધી ઓન્લી કેશ બેંક ઇન ધી વર્લ્ડ !
અમે એક કલાકમાં જ તમારા હાથમાં રોકડો મોક્ષ આપી દઇએ છીએ. અહીં ક્યાં મહિના સુધી શ્રદ્ધા રાખવા કહીએ છીએ ? ‘શ્રદ્ધા રાખ, શ્રદ્ધા રાખ’ એમ જે કહે છે એમને તો આપણે ખખડાવીએ કે, ‘પણ અમને શ્રદ્ધા આવતી નથી ને ! તમે કંઈક એવું બોલો કે જેથી અમને શ્રદ્ધા આવે !” પણ શું કરે ? દુકાનમાં માલ હોય તો આપે ને ? ક્રોધની દુકાનમાં શાંતિનું પડીકું માગવા જઇએ તો મળે ?
પ્રશ્નકર્તા : ના મળે.
દાદાશ્રી : ભગવાને શું કહેલું કે, “મોક્ષ તો પા માઇલ જ છેટે છે અને દેવગતિ કરોડો માઇલ દૂર છે; પણ નિમિત્ત મળવું જોઇએ, એના વગર મોક્ષ નહીં મળે. જેનો મોક્ષ થયેલો છે એ જ મોક્ષ આપી શકે. આ તો બૈરી-છોકરાંને છોડીને ગયા અને માને કે માયા-મમતા છૂટી ગઇ. ના, તું જ્યાં જઇશ ત્યાં મમતા નવી વળગાડીશ, મમતા તો મહીં બેઠી બેઠી વધ્યા કરે. એ તો ‘જ્ઞાની પુરુષ'નું જ કામ, જેમ દવા આપવી એ ડૉક્ટરનું