SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિમંત્ર વિજ્ઞાન ૨ ૧૭ ૨૧૮ આપ્તવાણી-૨ ભગવાને બધી જાતના ધર્મ મૂક્યા; મોક્ષનો માર્ગ મૂક્યો અને શુભાશુભનો પણ માર્ગ મૂક્યો, તેમણે અશુદ્ધનો માર્ગ નથી મૂક્યો. મંત્રોથી કર્મ હળવાં થાય, ચીકણાં કર્મો હળવાં થાય. પણ એ મંત્ર બોલવા એય એક એવિડન્સ છે. જ્ઞાની મળે એ તો નિમિત્ત હોય. જો બધો ફેરફાર થવાનો હોય તો જ નિમિત્ત મળે એવું છે ! કર્મ કોઇને છોડે નહીં, આ તો વિઘ્ન ટળવાનું હોય તો જ પેલું નિમિત્ત મળી જાય. અને મંત્રમાં વિઘ્ન ટાળવાની શક્તિ હોય છે. આ બ્રાહ્મણો હોય છે, એ બધું જોશ વગેરે જોઇને છોડીના લગ્નની પત્રિકા બનાવે, પછી જુએ કે આમાં રાંડવાનું આવે છે એટલે પછી ટાઇમ ફેરફાર કરે, છતાં એ બઇ રાંડવાની હોય તે રાંડે જ. એમાં તો કોઇ ફેરફાર ના કરી શકે ! આ તો ઊંધતો જવા દે, જાગતો ના જવા દે, એવું છે આ જગત ! તમે તો જૈન છો તે નવકાર મંત્ર બોલો છો કે ? પ્રશ્નકર્તા : હા, રોજ બોલું છું. દાદાશ્રી : તો પછી ઉપાધિ મટી ગઈ હશે ને ? પ્રશ્નકર્તા : પણ સંસારમાં ઉપાધિ તો હોય જ ને ! દાદાશ્રી : જજના હાથનું જજમેન્ટ હોય કે કારકુનનું હોય ? પ્રશ્નકર્તા : જજનું જ. દાદાશ્રી : તે નવકાર મંત્ર પણ જજે આપેલો હોવો જોઇએ. નવકાર મંત્ર સમજીને બોલો છો કે ઓળખાણ વગર બોલો છો ? આ ઘીની ઓળખાણ ના હોય તો ઘી શી રીતે લાવો ? એ તો પછી બીજું કશુંક વળગાડે. મંત્ર તો “જ્ઞાની પુરુષે” આપેલો હોય તે યથાર્થ ફળ આપે. આ ત્રિમંત્રો અમારી આજ્ઞાથી બોલે તેનાં સંસારનાં વિઘ્નો દૂર થાય, પોતે ધર્મમાં રહે અને મોક્ષને પણ પામે તેમ છે ! સર્વ સાધુભ્યામ નમઃ જે બોલે છે, નવકાર મંત્ર પણ બોલે છે, પણ નવકાર આજે અહીં આગળ છે નહીં. નવકાર તો અમે જેમને સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે તે નવકારમાં આવે. બાકી નવકાર ત્યાં બીજાં ક્ષેત્રોમાં પહોંચે છે. નવકાર તેથી બોલવાનો છે. આમને નવકાર પહોંચે નહીં, કારણ કે એ તો એમ જાણે છે કે “હું આચાર્ય છું.’ પ્રશ્નકર્તા : આપણે મનમાં નવકાર બોલીએ તો આટોમેટિકલી પંચપરમેષ્ટિ ભગવંતોને પહોંચી જાય છે ? દાદાશ્રી : નવકાર એવી વસ્તુ છે કે તમે જેને કહેવા માંગો છો તેને તે પહોંચી જાય ! આ આટલા બધા નવકાર મંત્ર બોલે છે ને લોક કહે છે કે, “આ ચિંતા બધી કેમ જતી નથી ?” અલ્યા, સાચા નવકાર મંત્રને કોઇ બોલતા નથી. આ આમને પહોંચાડવા નવકાર મંત્ર બોલે છે, તે આ એના અધિકારી ન હોય, આ એમના નામનો કાગળ ન હોય. હવે એમના નામનો કાગળ ના હોય ને એમની ઉપર બીડીએ આપણે, c/o ઉપાશ્રયમાં બીડીએ, એટલે હવે પેલાને તો કુદરતી રીતે પહોંચે જ નહીં, એટલે એ ડેડ લેટર ઓફિસમાં જાય; એટલે આપણો લેટર ગયો નકામો અને ચિંતા ઊભી ને ઊભી રહી. આપણે એમ નક્કી કરવું જોઇએ કે, હિન્દુસ્તાનમાં આપણા દેશમાં ભરતક્ષેત્રમાં જ્યાં સાચા નવકાર હોય ત્યાં નવકાર પહોંચો, યથાર્થ સાધુઓને, યથાર્થ આચાર્યોને અને યથાર્થ ઉપાધ્યાયને પહોંચો. આ ત્રણ જણને જ પહોંચાડવાના છે, સિદ્ધો અને અરિહંતોને તો પહોંચે છે જ. પ્રશ્નકર્તા : એટલે એમ ઓટોમેટિકલી નવકાર પહોંચી જાય જ ? દાદાશ્રી : હા, ઓટોમેટિકલી પહોંચી જાય જ. હવે આ નમો અરિહંતાણં બોલીએ છીએ, પણ જાણીએ છીએ કે તે અહીં ભરતક્ષેત્રમાં છે નહીં એટલે તે પાછું ત્યાં પહોંચે, જયાં અરિહંત હોય ત્યાં અને નમો સિદ્ધાણં તે સિદ્ધોને પહોંચે જ, પણ જેટલા ભાવથી બોલે તેવું પહોંચે. આ બધું સમજવું જોઇએ. જૈન ધર્મ એટલે સમજવું, સમજીને ગાઓ કહે છે. આપણા નરસિંહ મહેતા થઇ ગયાને તે નાગરની પોળમાં રહે. એમની પોળ તો નાગરની હોય ને ? મહેતાજી તો રોજ સવારના પોરમાં પરભાતિયાં વહેલા ઊઠીને બોલે, તે બીજા નાગરો એમની ટીખળી કરે. તે સવારના દાતણ કરતાં કરતાં નાગરો મોટેથી ભગત જે બોલે તે બોલવા
SR No.008825
Book TitleAptavani 02
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size62 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy