SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ બોલ્યા વગર તો ચાલવાનું જ નથી. બોલવાની સાથે સંકળાયેલી વ્યક્તિમત્તા પારખતા આવડવી જોઈએ. જિદગીનાં મોટાભાગનાં કામોમાં બોલવાની જરૂર પડે છે. તમે શું બોલો છો તે તમારી ઓળખ છે. તમે શું નથી બોલતા તેય તમારી ઓળખ છે. સારા માણસ હશે તે સારી વાતો કરશે, ખરાબ વાત નહીં કરે. એ પ્રશંસા કરશે, નિંદા નહીં કરે. એ સારા માણસની જ પ્રશંસા કરશે, હીન માણસોની પ્રશંસા એ કદી નહીં કરે. હીન માણસોની નિંદા કરાય પણ નહીં. એ હીન માણસો આપણને ફાડી ખાય. બીજી વાત, હીન માણસો એટલા નિર્લજજ હોય છે કે નિંદા થાય તેમ હીનતા વધારે.. ત્રીજી વાત, નિંદા તો કોઈની ન થાય. સજજનની નિંદા અન્યાયકારી છે. દુર્જનની નિંદા નુકસાનકારી છે. સારા માણસોની ઓળખ એ છે કે તે હીન માણસોની પ્રશંસા કદી નહીં કરે. સારા માણસો કામ વગરની વાતો પણ નથી કરતા. ટૂંકમાં અર્થહીન વાતો અને હીન અર્થવાળી વાતો સારા માણસ ન કરે. વાતો કરતી વખતે તે આટલી જાગૃતિ રાખે જ. ખરાબ માણસો વિચિત્ર વાતો કરશે. ગમે તેમ બોલશે, પ્રશંસા અને નિંદામાંથી તે નિંદાની પસંદગી જ કરશે. તે આખા ગામની ભૂલ કાઢશે. તે ડગલે ને પગલે ઝઘડશે. તેમને વાતે વાતે વાંધા પડશે. તેમના શબ્દો શાલીન નહીં હોય. તેમની પાસેથી ઉમદા પ્રેરણા લગભગ નહીં મળે. તે બીજાને બગાડશે. તે બીજાનું બગાડશે. બોલીને તે ઘોર ખોદી નાંખશે. પ્રશંસા તે કરશે, પણ પોતાની. પોતાનાં ડંકો વાગે એમાં એ રસ सतामसतां च वचनायत्ताः खलु व्यवहाराः (४) માણસ ખરાબ હોય કે સારો, વહેવાર તો બોલીને જ કરશે.” સારો માણસ બોલે જ નહીં, ખરાબ માણસ જ બોલે. આવા નિયમ તો છે નહીં. કામ કરવા હોય કે કરાવવા હોય–બોલવાનું તો થાય જ. ન્ટર
SR No.008818
Book TitleTu Taro Taranhar
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2007
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy